RSS

Category Archives: “ચ્હા સાથે ચાહ

“ચ્હા સાથે ચાહ

26169989_1810684702299619_6091336045507687867_nચ્હા સાથે ચાહ- રેખા પટેલ (વિનોદિની)

બચપણની દોસ્તી અને તેનાં દ્વારા થયેલા કોઈ પણ અહેસાનને ભૂલી જનારા ઉપર કયારેય વિશ્વાસ રાખવો નહિ.

એ દોસ્તો જ્યારે આપણી પાસે કશુંજ નહોતું ત્યારે પણ હમકદમ હતા, આજે બીજાઓ સર કે મેમ કહે એવી પદવી ઉપર બિરાજમાન હોઈએ ત્યારે માત્ર તેઓ જ તુંકારો કરી હચમચાવી શકે છે. કાન પકડાવી ભૂલ પણ કબુલ કરાવી શકે છે.

આખી દુનિયા જ્યારે પછાડવા તૈયાર હોય ત્યારે એજ મિત્રો નિસ્વાર્થભાવે સાથ આપે છે. ખુશીમાં સહુથી આગળ નાચતાં અને દુઃખમાં સંભાળવા જોડાજોડ રહેનારા, મહદ્ અંશે બાળપણના જ મિત્રો હોય છે. આપણી પ્રગતિમાં સહુથી વધારે અભિમાની થઇ તેઓજ ફરતા જોવા મળે છે.

સામાન્ય રીતે જગતનાં કોઈ પણ સબંધોમાં પડેલી તિરાડો કાયમી બની જાય છે. જ્યારે બચપણના મિત્ર સાથેની લડાઈ પછી ફરી જ્યારે પણ મળવાનું, વાત કરવાનું બને ત્યારે જૂની વાતોનો ઉલ્લેખ પણ નથી આવતો. દંશ અને વેરઝેર થી મુક્ત આ દોસ્તીને સંભાળી લેવા જો જરા ઝૂકવું પડે તો જરાય નાનમ વિના ઝુકી જવું જોઈએ.

 

આવા મિત્રોનો સાથ કદીના છોડવો જેના ખભા તમારા દુઃખ ઝીલવા તૈયાર હોય અને જેના પગ તમારી ખુશીમાં ઝૂમવા તત્પર હોય. બાકી અહી આપણી ખુશીમાં દુઃખી ને દુઃખમાં ખુશ થનારાઓની ખોટ નથી…

“ કોઈ મિત્ર સાથે અણબનાવ થયો હોય તો પ્રયત્ન કરી જુવો. નફો નહિ થાય તો ખોટ પણ નહિ આવે “

દરેક સવાર ગઈકાલની ભૂલોને સુધારવાની એક તક આપે છે, એ તકને કેટલા અંશે ઝડપી લેવી એ માત્ર આપણા હાથમાં રહેલું છે.

એક નાની અમથી વાતમાં સ્મિતાને, તેના બહુ જુના મિત્ર સાથે મન દુઃખ થયું હતું. અને દોસ્તીના એ રેશમી દોરામાં ગાંઠ પડી ગઈ. એક આવીજ સવારે તેને એ દોસ્તની અચ્છાઈ યાદ આવી. સહુ પહેલા સ્વસ્થ ચિત્તે તેણે બંને વચ્ચેની ગેરસમજ વિચારી લીધી. અને બધો અહં એક બાજુ મુકીને તેણે મિત્રને “કેમ છે” નો પત્ર લખી દીધો. અને તુટતો સબંધ બચાવી લીધો. આના કારણે સ્મિતાને બમણી ખુશી મળી ગઈ..

સાચી મિત્રતા હશે તો માત્ર “કેમ છે” થી જરૂર સંધાઈ જશે. એક શબ્દથી જો આટલી ખુશી મળતી હોય તો આનાથી વધારે નફો બીજો કયો હોઈ શકે? —

 

ચ્હા સાથે ચાહ :
चलो इकबार फिर से अजनबी बन जाये ….
આ લખવા, કહેવાથી જો આમ થઈ શકતું હોય તો કેટલું સારું થાત. કોઈના મનનમાં કોઈજ પ્રકારનો અજંપો ના રહેત. પણ આ મન કાંઈ પાટી અને પેન નથી કે એક ડસ્ટર હાથમાં આવે ને સઘળું પલક ઝપકતાં ભૂંસાઈ જાય.
મન ઉપર કંડારાયેલ સારા નરસાં બધાજ પ્રસંગો, યાદો નજર અંદાજ કરવાથી વિચારોથી દૂર રહે છે. પરંતુ એ કાયમ માટે નાબૂદ થયાજ નથી.
કારણ આપણું મસ્તિસ્ક એક વખત સ્વીકારેલ યાદો મિટાવી શકાતું નથી અને તેના પ્રત્યાઘાત સ્વરૂપે પ્રસંગોપાત એ યાદો ઈચ્છા અનિચ્છાએ યાદ આવી જાય છે, ત્યારે એની અસર આજ ઉપર હાવી થાય છે.
યાદ મીઠી હોય તો ખુશી આપે અને કડવી અણગમતી હોય તો દુઃખ કે કડવાશ ફેલાઈ જાય.

ક્યારેક એમ પણ બને કે અતીતની કોઈ મીઠી યાદ સમય સાથે ભુલાઈ ગઈ હોય તેનું સ્મરણ થતા ,એ સમય યાદ આવતા હૃદયમાં ઊંડી ટીસ પણ ઉઠી જાય છે. મનુષ્ય સ્વભાવનાં ગુણધર્મ પ્રમાણે સુખ મળતાં દુઃખ ઝડપથી ભૂલી જાય. પરંતુ વીતી ગયેલા સુખને ભૂલી શકતો નથી,જાણે અજાણે તેને મમળાવતો રહે છે.

આને આજ કારણે સાવ અજનબી થઈને ફરીફરી મળવું ક્યારેય શક્ય નથી હોતું જ્યારે પણ એ યાદ એ,સમય,એ વ્યક્તિને મળવું થશે અતીતનો પડછાયો ઓછા વત્તા અંશે આગળ પાછળ હશેજ ✍
રેખા પટેલ ( વિનોદિની)image

 

13895006_1256831364351625_4123263103258142265_nચ્હા સાથે ચાહ : ફ્રેન્ડશીપ ડે
એકબીજાના મનના દ્વારે મિત્ર બનીને જાજો
એકમેકના સુખમાં હસજો દુઃખમાં વહારે દ્યાજો

મિત્ર તમારો આગળ વધતા તાળી પાડી ગાજો
પાછા પડતાં એની માટે નિસરણી સમ થાજો…

આ સબંધ મિત્રતા પણ કેવો હોય છે! હલકો એ સાવ વાદળ જેવો,જેની સંગમાં ઉડવું ગમે છે. અને લાગણીઓના ભાર સાથે એ પર્વત જેવો ભારેખમ. જેના ભાર નીચે આખી જિંદગી કચડાઈ રહેવું ગમે છે. મને હંમેશા હુંફાળા સબંધોનું વળગણ રહેલું છે. હું સબંઘોની જાહોજલાલીમાં જીવનાર જીવ છું. એટલે જ મિત્રતાનો માંડવો હંમેશા મારા હૃદય આંગણે બાંધેલો રાખું છું.

મારા માટે પ્રેમ કરતા મિત્રનું મહત્વ વધારે છે. કારણ કે પ્રેમ કોઈને કોઈ આકર્ષણ ને કારણે થતો હોય છે. જ્યારે સાચી મિત્રતા માત્ર મન મળતા અકારણ થઇ જાય છે. જ્યાં દેખાવ કે ઘન કે પદને મહત્વ અપાતું નથી. દોસ્તીને સદાય જીવંત રાખવા માટે આ બધાથી પરે રાખવી ખાસ જરૂરી છે.

“દોસ્તીમાં જ્યારે મારું તારું કે આગળ વધવાની હોડ આવી જાય છે ત્યાં દોસ્તીના તાર તુટવા લાગે છે. પછી મીઠાશના ગમે તેટલા સાંધા કરો એ સુરીલા સુર રેલાવતા નથી”.

જો મિત્રને ખરેખર પ્રેમ કરતા હોય અને મિત્રતાને અખંડ રાખવી હોય તો તેના સુખે સુખી અને દુઃખે દુઃખી થજો. ખરેખર ફરીફાઈ જરૂરી હોય તો તમેં આવડત થકી આગળ વધી મિત્રને હરાવજો. તેને પાછળ પાડીને આગળ વધવાનું કદી પણ નાં વિચારશો.
” જ્યાં જેલસી આવી ત્યાં મિત્રતા તૂટી સમજો” હેલ્ધી કોમ્પીટીશન મિત્રને પણ પસંદ આવશેજ.

કોઈ એવી નબળી ક્ષણોમાં મિત્રે કરેલી એના મનની વાત, એક વાર સાંભળ્યા પછી કાયમને માટે ભૂલી જજો. ભૂલ થી એની સામે પણ એ વાતનું ફરી ઉચ્ચારણ કરી તેને શરમમાં મુકવાની કોશિશ ના કરવી.
” મિત્રતામાં વિશ્વાસ બહુજ મોટી વસ્તુ છે” મિત્ર ઉપર કરેલા ઉપકાર કદીયે ગણી બતાવવા નહિ. એ બીજા બધાના ઉપકારને માથે લઇ શકશે. પણ મિત્ર જો કહેશે તો તેનું સાહસ તૂટી જશે. એ શરમથી ઝુકી જશે.

બસ આ સાવ સાદી લાગતી વાતો જો ઘ્યાનમાં રાખવામાં આવે તો મિત્રતાને કદીયે ડાઘ નહિ લાગે. અને ઉપરોક્ત નિયમોને પાલન ના કરતા હોય તેવા લોકોને કદીયે સાચા મિત્ર ગણવાની ભૂલ ના કરવી. નહિતર દુઃખી થવાનો અને પસ્તાવાનો સમય આવશે.
રેખા પટેલ (વિનોદિની)

 

 

ચ્હા સાથે ચાહ : પ્રેમમાં ઉગવું કે પ્રેમમાં પડવું?

13151891_1190752700959492_3265899496856130287_n.jpg બ બબચ્હા સાથે ચાહ : પ્રેમમાં ઉગવું કે પ્રેમમાં પડવું?

આ જગમાં આવેલો કોઈ પણ મનુષ્ય એવો નહિ હોય કે તે કોઈને કોઈ પ્રકારે કોઈ સાથે પ્રેમમાં નાં થયો હોય. કેટલાકના જીવનમાં પ્રેમ પ્રગતિનું કારણ બને છે તો કેટલાકના જીવનમાં પ્રેમ મુશ્કેલીઓ લઈને આવે છે.

પ્રેમ માણસની આંતરિક શક્તિઓ નો વિકાસ કરે છે. માટે જો તર્ક લગાવીએ તો પ્રેમમાં પડવું કરતા ઉગવું શબ્દ વધારે શોભે છે. જીવનમાં પ્રેમ આવે છે ત્યારે ચારે બાજુ સપનાઓ ના સુગંધી વન ઉગી નીકળે છે. માણસ હવામાં અધ્ધર ચાલતો થઇ જાય છે. તો તેને પડ્યો કેમ કહી શકાય?
મારા માટે પ્રેમમાં નિરંતર પ્રગતિ થાય છે. હળવું બનેલું મન રોજ કૈક અલગ કરવા પ્રેરાય છે. આનંદ અને ઉત્સાહ થી છલકાય છે. અને આજ સાથે આવતીકાલના સપના જોવામાં તલ્લીન થાય છે.
“અને પ્રેમમાં પડવું, એટલે અધોગતિ થવી. સાચા પ્રેમમાં અધોગતિનું નામોનિશાન નથી હોતું. હા જ્યાં છળ હોય કપટ હોય ત્યાં પડવું અને પાડવું હોય છે. પણ ત્યાં પ્રેમ જ નથી હોતો”.

મિતાલી એકધાર્યું જીવન જીવતી હતી. જીવનમાં ખાસ કોઈ ઉત્સાહ નહોતો. પરતું જ્યારથી પ્રવીણ સાથે પ્રેમનો નાતો બંધાયો ત્યારથી તેનાં જીવનમાં આગળ વધવા કોઈ બહાનું મળ્યું. મિતાલીને લાગ્યું કે આજ સુધી માત્ર એ પોતાની માટેજ જીવતી હતી, હવે એને પ્રવીણ માટે પણ જીવવું હતું. આથી તેની શક્તિઓ બેવડાઈ ગઈ. અને એ પ્રેમમાં ઉગી નીકળી.

પ્રેમ,ક્રોધ અને અહંકારને વશ કરી લે છે, મનમાં શુધ્ધતા ભરે છે સાથે ત્યાગ અને સંવેદનાને જન્મ આપે છે. આમ સદગુણોના ઉત્પન્ન થવાને ઉગવું જ ગણી શકાય.
આજ પ્રેમમાં અમે ઉગ્યાં છીએ ,પળ પળમાં મહેક્યા છીએ
છોડી દુઃખોના સઘળા ભારા ,લો હલકા થઈને શ્વસ્યા છીએ
રેખા પટેલ (વિનોદિની)
અગાઉ પણ જણાવ્યું છે અહી મારા મનના વિચારો માત્ર હશે જે દુનિયાદારી થી અલગ પણ હોઈ શકે)
***********************

પ્રેમ કરું છું, હું તને પ્રેમ કરું છું,
જાણું નહીં કે કેટલો ને કેમ કરું છું..

વધતો રહે છે,સહેજ પણ ઘટતો નથી કદી,
છલકાતો જાય છે, હું જેમ જેમ કરું છું..
હું તને પ્રેમ કરું છું…

દિવસો વીતી રહે છે તને જોઈ જોઈને,
રાતો પસાર હું જેમ-તેમ કરું છું..
હું તને પ્રેમ કરું છું…

ખીલતો રહું છું હુંય ને ખૂલતો જઉં છું હું,
ગમતું રહે છે જેમ તને હું તેમ કરું છું..
હું તને પ્રેમ કરું છું…

ભૂલીને ઘાટ જૂજવા એકાંતની ક્ષણે,
ઓગાળી એને હેમનું હું હેમ કરું છું..
હું તને પ્રેમ કરું છું… તુષાર શુક્લ

Rekha Patel

 

ચ્હા સાથે ચાહ : રુચિ અરુચિ

IMG_7214ચ્હા સાથે ચાહ : રુચિ અરુચિ
ક્યારેક ગમતું કાર્ય હાથ લાગે તો તેની મઝા કૈક અલગ હોય છે, એક વિશ્વાસ સાથે આનંદ થી થતા એ કાર્યનું પરિણામ પણ મઝાનું આવે છે. અને સામા છેડે પરાણે સોપાએલું કાર્ય કરવાનો કંટાળો પણ બમણો રહે છે.
સરયુને બહારના કામ બધા કામ કરવા ગમે પરતું ઘરમાં કોઈ કામ સોંપવામાં આવે તો તે પરાણે કરતી હોય તેવું લાગે. ક્યારેય કોઈ કામમાં પરફેક્શન નાં મળે. કારણ તે કરવાની તેની વૃત્તીજ નહોતી. આમ કરવમાં એવું નાં કહી શકાય કે તે કામ ચોર હતી. કારણ તે જ્યાં જોબ કરતી ત્યાં રોજ દસ કલાક મન દઈને બધુજ પરફેક્ટ કરતી. પરિણામે ટુંકા સમયમાં તેને પ્રમોશન પણ મળી ગયું હતું. તો પછી ઘરકામ માટે કાયમ તેના ઘરના ખોડ કેમ કાઢતાં હશે?

કારણ એકજ હતું આ કામ તેની રૂચી પ્રમાણેનું નહોતું. બહુ અસર પડે છે ગમતા કે અણગમતાં કાર્ય કરવામાં આવે. જીવનમાં ઘણીવાર એવું પણ બને કે ના ગમતા કાર્ય કરવા પડે, આવા સમયે માણસની સાચી સમજ અને સ્વભાવનો પરિચય છતો થાય છે.  સમજુ માણસો આવી પરિસ્થિતિને સમજીને કાર્યને પૂરું કરે છે.

ક્યારેક આપણુ ગમતું કામ કરવાનું થાય છે ત્યારે આપણે સમય કે સંજોગો જોતા નથી. બસ ઉત્સાહ પૂર્વક તે કામની પાછળ લાગી જઈએ છીએ, આંતરિક રીતે જાગેલી શક્તિઓના પરિણામે ઘાર્યા કરતા ઓછા સમયમાં તેને યોગ્યતાથી પૂર્ણ કરી લઇએ છીએ. આ જોતા એક વાત ચોખ્ખી જણાય છે કે આપણા માં કાર્ય કરવાની શક્તિ છે. બસ આપણે તેને ગમતું  ના ગમતું ના વાડામાં બાધી દઈએ છીએ.

આવીજ રીતે જ્યારે આપણા માટે કૈક કરીએ ત્યારે તે કામ કરતા ખુશી આપે છે,સાથે આત્મવિશ્વાસ વધારે છે. અને લોકોને દેખાડવા કરવામાં આવતું કાર્ય જો યોગ્ય પ્રતિભાવ નાં મળે ત્યારે હતાશા તરફ લઇ જાય છે. બીજાઓની પરવા કરવા કરતા હકારાત્મક બની પોતાની ખુશ રહેવામાં શાણપણ છે. તો ચાલો ગમતું એકાદ કામ કરી લઇએ ” ગમતાનો કરીએ ગુલાલ”
  રેખા પટેલ (વિનોદિની )