સ્ત્રી એટલે જીવતી જાગતી ધબકતી લાગણીઓનું મિશ્રણ, જે મૃદુ સંવેદનાઓને જન્મ આપતું હ્રદય ધરાવે છે. બાળપણમાં ઉછળતા ઝરણા જેવા જીવનને સ્વેચ્છાએ યુવાની સુધીમાં નદી જેવું ધીર ગંભીર સ્વરૂપ આપી દે છે. જેઆગળ જતા દરિયાની જેમ વિશાળતા ધારણ કરી સંસારનાં બધા સુખદુઃખ અંતરમાં દફનાવી દેતી હોય છે.
આવી સ્ત્રી જ્યારે સઘળી ઈચ્છા, ઉમંગો, વેદનાને શબ્દોથી કંડારવા લાગે છે ત્યારે અદભુત રચનાઓ સમાજને મળીઆવે છે.
આવીજ એક સ્ત્રીની જીવનગાથા…નામ છે અમૃતા પ્રીતમ. જેમનો જન્મ ૧૯૧૯, ૩૧ ઓગસ્ટના રોજ ગુજરાવાલાપંજાબમાં થયો હતો. જે આજે પાકિસ્તાનનું એક શહેર છે.
તેમના માતા ગુજરાતી અને પિતા પંજાબી હતા. માતાપિતા બંને ઘાર્મિક અને શાંત સ્વભાવના હતા. તેમનું એક માત્રસંતાન તે અમૃતાજી. નાનપણથી લખવાનો શોખ હતો આથી શરૂવાતમાં પિતા સાથે ભક્તિગીતો રચતા હતા.
અમૃતાજી કિશોરાવસ્થામાં બાલસખાને કલ્પનામાં લાવીને કવિતાઓ કંડારતા હતા, ત્યારબાદ પંજાબીમાં કવિતા, સાથે વાર્તા અને નિબંધ લખતા થયા. ૧૧ વર્ષના થયા ત્યારે તેમની માતાનું અવસાન થયું અને નાની ઉંમરમાં જમાતાના પ્રેમથી વંચિત થયા, ઘરની જવાબદારીઓ આવી છતાં તેમનો લખવાનો શોખ બરાબર રહ્યો. જીવનમાંઆવતા ચઢાવ ઉતારને કારણે તેમની કવિતાઓમાં રચનાઓમાં જીવંતતા રહી છે.
જીવનમાં લાગણીઓની સતત ભૂખ ઉંમરના દરેક પડાવે રહી એ અનુભૂતિ તેમની રચનાઓમાં જોઈ શકાય છે. ૧૯૪૭માં દેશમાં પડેલા ભાગલાની વ્યથાઓ તકલીફ પણ તેમની અનેક રચનામાં વ્યક્ત થયેલી છે. જે આજે પણખુબ પ્રચલિત રહી છે.
સોળ વર્ષની વયે તેમનો પ્રથમ કાવ્ય સંગ્રહ “અમ્રૂત લહરેં” પ્રગટ થયો તે પછી તેમની ૮૭ વર્ષનાંજીવન સફર દરમિયાન તેમણે અઠ્ઠાવીસ જેટલી નવલકથાઓ, અઢાર કાવ્ય સંકલન, કેટલીયે લઘુકથાઓ, આત્મકથા અને જીવન સંસ્મરણો લખ્યાં.
સોળ વર્ષની ઉંમરે તેમના લગ્ન લાહોરના પ્રતિષ્ઠિત પરિવારના યુવક પ્રીતમસિંધ સાથે થયા. પ્રીતમસિંધ સ્વભાવેસાલસ અને શાંત હતા જ્યારે અમૃતાજી અગ્રેસીવ અને શોખીન મિજાજના હતા. બંનેનાં સ્વભાવની વિમુખતાનેકારણે લગ્ન પછી થોડાજ સમયમાં તેમની વચ્ચે એક દીવાલ બંધાઈ ગઈ હતી. છતાં પતિના સ્વભાવની સરળતા પણતેમને છેવટ સુધી સ્પર્શતી રહી
૧૯૪૪ લાહોરના એક મુશાયરામાં સાહિર લુધિયાનવી અને અમૃતાજીની પહેલી મુલાકાત થઇ. વરસાદી રાત્રે થયેલીપ્રથમ મુલાકાત બંનેના જીવનને ભીંજવી ગઈ હતી. પ્રથમ મુલાકાતમાં અમૃતા સાહિરથી ખુબ પ્રભાવિત થઇ ગયા. કોઈ અદમ્ય આકર્ષણથી તેઓ પરસ્પર બંધાઈ ગયા.
‘જિંદગી ભર નહીં ભૂલેગી વો બરસાત કી રાત….’
સાહિર સાહેબનું લખેલું આ ગીત કલ્પનામાત્ર નહોતું પણ અમૃતાજી સાથેની તેમની પ્રથમ મુલાકાતનું યાદગાર કાવ્યમય વર્ણન હતું.
આ સમયને યાદ કરતા અમૃતાજીએ પણ નોધ્યું હતું કે
‘જબ જબ મૈં ઉસ રાત કે બારે મૈં સોચતી હૂં, તો મુઝે લગતા હૈ કિ તકદીર ને મેરે દિલ મૈં મોહબ્બત કે બીજ બો દીએ થે, જિનમેં બારિશ કે કારન કોંપલ નિકલ આઈ થી…!’
તેમનો પ્રેમ સામાજિક બંધનથી પરે અલગ પ્રકારનો હતો. વર્ષો સુધી એકબીજાને ના મળવા છતાં, અનેક ચઢાવઉતારો વચ્ચે પણ તેમના પ્રેમની ધારા અવિરતપણે વહેતી રહી છે.
ભારત પાકિસ્તાનના ભાગલા પછી સાહિર લાહોરમાં અને અમૃતા દિલ્હીમાં સ્થાઈ થયા. આ દરમિયાન તેમની વચ્ચેપત્ર વ્યવહાર રહ્યા હતા. સમય જતા સાહિર મુંબઈમાં આવી વસ્યા.
બંનેના લખાણોની ભાષા અલગ હતી સાહિર ઉર્દુમાં લખતા હતા અને અમૃતા પંજાબીમાં છતાં પ્રેમની એકજ ભાષાહતી. છેવટે અમૃતા હિન્દીમાં લખતા શીખી ગયા. અમૃતાએ સાહિરને સંબોધી ઘણી રચનાઓ વાર્તાઓ લખી છે. તેમાં અઢળક લાગણીઓને વ્યક્ત કરી છે.
શબ્દોના સહારે આ લેખિકાએ જીવનની દરેક પળોને ભરપુર માણી છે. જે પ્રેમની ઉત્કટતા અમૃતાને સાહિર પાસેથીહતી તે સો ટકા પૂરી થઈ શકી નહોતી છતાં તેનો તેમને કોઈ અફસોસ નહોતો. બંને વચ્ચે ખામોશીઓનો પ્રેમ હતો. પડછાયાની પ્રીત હતી. મોરપિચ્છ અને વાંસળી જેવું કોઈ બંધન હતું.
છતાં સળગતા સિગારેટના ઠુંઠાની જેમ તેમનો પ્રેમ અંત સુધી સળગતો રહ્યો અથવા તો સમયની છાજલીમાં પડીરહ્યો. બંને ખુબ ઓછું મળતા પરંતુ જ્યારે મુલાકાત થતી ત્યારે શબ્દો થીજી જતા.
પ્રેમની પીડામાં સર્જકો વધારે નીખરી ઉઠે છે તેવુજ અમૃતાજી સાથે બન્યું.
કભી તો કોઈ ઇન દીવારો સે પૂછે કી કૈસે મુહબ્બત ગુનાહ બન ગઈ હૈ.
દેખા ઉન્હેં તો જો ઉનકી નઝર થી વહી તો ખુદા કી નિગાહ બન ગઈ હૈ.
બે બાળકોના જન્મ પછી પણ પતિ સાથે સ્વભાવની, આદતોની વિરુધ્ધતા તેમને માનસિક સંતોષ આપવામાંઅસફળ રહી. ભારત પાકિસ્તાનના ભાગલા પછી તેઓ પરિવાર સાથે દિલ્હીમાં આવી વસ્યા.
આ સમય દરમિયાન સ્વતંત્ર વિચારો ધરાવતા અમૃતાએ સાહિર સાથેના સબંધોને છુપાવવાની ક્યારેય કોશીશનહોતી કરી. પ્રીતમસિંધ પણ તેમની આ લાગણીઓથી પરિચિત હતા. હાલક ડોલક જીવન નૈયામાં વિચારોનીઅસમાનતાને કારણે પતિએ છુટાછેડાની માગણી કરી જે અમૃતાજીએ સ્વીકારી લીધી. છેવટે ૧૯૬૦માં તેમના તલાકથઈ ગયા.
સાહિર સાથેના સબંધો પણ બરફની માફક ક્યારેક જામી જતા ક્યારેક પીગળી જતા છતાં મુઠ્ઠીમાં ભરાઈ શકતાનહોતા. બંને વચ્ચે અતુટ પ્રેમ હોવા છતાં દુર થઇ ગયા. આ વાતનું બંનેને સરખું દુઃખ હતું. સાહિરના જીવનમાં બીજીએક સ્ત્રીનો પ્રવેશ થયો એ પછી અમૃતાજી તૂટી ગયા હતા છતાં તેમની લાગણીઓમાં કોઈ ખાસ ફર્ક નહોતોઆવ્યો.
તું જીંદગી જૈસી ભી હૈ વૈસી મુજે મંજુર હૈ,
જો ખુદી સે દુર હૈ, વાહ ખુદા સે દુર હૈ.
એક સમાચાર મુજબ અમૃતાજીને જ્યારે જ્ઞાનપીઠ એવોર્ડ મળ્યો ત્યારે કોઈ પત્રકારે તેમનો ફોટો માગ્યો હતો. તેમણેએ ફોટા ઉપર પોતાના નામ ને બદલે સાહિર એમ લખ્યું. આ એક નામ તેમના લોહીનાં કણેકણમાં ભરાઈ ગયું હતુંતેને સમય જુદા કરી શક્યો નહોતો.. સાહિર તો જીવન પથ ઉપર સાથી તરીકે મળ્યા નહિ. પરંતુ આનાથી તદ્દનવિરુદ્ધ બીજું એક પાત્ર ઈમરોઝ તેમના જીવનમાં મીઠી વીરડી સમું આવ્યું.
દિલ્હીમાં અમૃતાજીની મુલાકાત પોતાના કરતા નાની ઉંમરના ઇન્દ્રજીત એટલે કે ઈમરોઝ સાથે થઇ. જેમને એભાગલા પહેલા પંજાબમાં હતા ત્યારથી જાણતા હતા. ઈમરોઝ અમ્ર્રુતાજીની કવિતાઓ લખાણના દીવાના હતા. પોતેએક સારા ચિત્રકાર હતા. કલાકારો આમ પણ ધૂની કહેવાય છે. તેમની ધૂનમાં તે અમૃતાજીને ચાહતા હતા.
પ્રીતમસિંધ સાથેના ડિવોર્સ પછી અમૃતજી બંને બાળકોને લઇ ઈમરોઝનાં ઘરે રહેવા ચાલી ગયા. તેમને પહેલી વારપ્રેમ કરતા પણ મજબુર સંબંધ મળ્યો. ઇમરોઝે અમૃતાજી અને તેમના બંને બાળકોને છેવટ સુધી સાચવ્યા હતા. ઉંમરના છેલ્લા પડાવે જ્યારે પ્રીતમસિંધ બિમાર પડ્યા ત્યારે અમૃતાજી ભૂતપૂર્વ પતિને અહી લઇ આવ્યા અને છેલ્લીઘડી સુધી તેમની ચાકરી કરી. આ કાર્યમાં ઇમરોઝે પણ સાથ આપ્યો હતો.
“દરેક સબંધને જીવતા શીખવું જોઈએ. જીવન એ લાગણીનું ખીચોખીચ ભરેલું વન છે. તેમાંથી બહાર નીકળવાનોરસ્તો આગવી સમજ દ્વારા શોધી શકાય છે.”
અમૃતાજીએ લાગણીઓને અલગ અલગ ખાનાઓમાં જગ્યા આપી હતી. પ્રેમ દોસ્તી સાથી પતિ દરેકને પોતાનીઅલગ જગ્યા હતી. જીવનમાં ઘણું મેળવ્યું છતાં તેમના હ્રદયનો એક ખૂણો ખાલી રહ્યો કદાચ સાહિર લુધિયાનવીનામનું ખાનું પૂરેપૂરું ભરાયું નહોતું.
સાહિરની અડધી પીધેલી સિગારેટના ઠુંઠા, ચાયનો ખાલી કપ, બીમારીમાં સાહિરની છાતી ઉપર લગાવેલી વિક્સનીમહેક, સાહિરના હસ્તાક્ષર આ બધું અડધું અધૂરું જીવનને ક્યારેક ઉણપ વધારતું, ક્યારેક ખાલીપાને ભરી દેતું. આબધા સમયની વચ્ચે અવનવી કવિતાઓ વાર્તાઓ રચાતી રહી.
પોતાની કૃતિઓ માટે જ્યાં એક તરફ અમૃતાજીએ ખૂબ નામના મેળવી ત્યાં કેટલીક કવિતાઓ અને રચનાઓ માટેતેમને વિરોધનો સામનો પણ કરવો પડ્યો હતો. છતાં તેમની કલમની તાકાત અને મજબુત મનોબળને કારણે તેઓટક્કર ઝીલતા. અમૃતાજીની ભીતર અતિ સંવેદનશીલ સ્ત્રી જીવતી હતી જેના કારણે સમાજના દરેક પાસાને, સ્ત્રીનીમનોભાવનાને કલમને સહારે હ્ર્દયસ્પર્શી આલેખી શકતા હતા.
તેમણે ભારત પાકિસ્તાનના ભાગલાને આલેખીને એ વખતના નરસંહારને દર્શાવતી ઘણી સંવેદના ભરી રચનાઓઅને લેખ લખ્યા હતા.
આજ મૈને અપને ઘર કા નંબર મિટાયા હૈ.
ઔર ગલીકે માથે પર લગા, ગલીકા નામ હટાયા હૈ…
આઝાદ રૂહ કી ઝલક પડે, સમઝના વહી મેરા ઘર હૈ.
અમૃતા પ્રીતમએ અંદાજે ૧૦૦ જેટલા પુસ્તકો લખ્યા છે. તેમની અનેક કૃતિઓનો અનુવાદ વિવિધ ભાષામાં વિશ્વનીકુલ ૩૪ ભાષાઓમાં થયો છે. તેમની કેટલીય વાર્તાઓને આધારે ફિલ્મો અને ટીવી સિરીયલો બની ચુકી છે. પ્રેમઉપરની કવિતાઓ ભગ્ન હ્રદયની ભાવનાઓ માટે પ્રેમીઓના દિલમાં સદાને માટે કોતરાઈ ચુક્યા છે.
અમૃતાજીને અનેક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રિય પુરસ્કારોથી પણ સન્માનિત કરવામાંઆવ્યા છે. જેમાં પ્રમુખ છે ૧૯૫૬નો સાહિત્ય અકાદમી પુરસ્કાર, જે મેળવનાર પ્રથમ મહિલા હતા. ૧૯૮૨ માં ભારતના સર્વોચ્ચ સાહિત્યિકપુરસ્કારજ્ઞાનપીઠ, ૧૯૮૮માં બલ્ગરિયા વૈરોવ પુરસ્કાર સાથે તે પહેલી પંજાબી મહિલા હતા જેને ૧૯૬૯માં પદ્મશ્રીથીસન્માનિત કરવામાંઆવ્યા હતા. ૧૯૮૨માં ‘કાગઝ કે કૈનવસ‘ માટે તેમને ભારતીય જ્ઞાનપીઠ એવોર્ડ આપવામાં આવ્યો. છેલ્લે ૨૦૦૪માં પદ્મવિભૂષણનો પુરસ્કાર મળ્યો. સાથે ઘણા એવોર્ડથી તેમની કલમને નવાજવામાં આવી છે.
અમૃતા પ્રીતમ ઓગણીસમી અને વીસમી સદીના પ્રસિદ્ધકવયિત્રી, ઉપન્યાસકાર અને નિબંધકાર હતા. પંજાબીભાષાના સર્વશ્રેષ્ઠ કવયિત્રી તરીકે માન આપતા તેમની ૧૦૦ મી જયંતી પર ગૂગલએ ખાસ લેખિકાના અંદાજમાં ડૂડલબનાવી તેમને સમર્પિત કર્યું હતું.
છેવટે ૩૧ ઓકટોબર ૨૦૦૫મા અમૃતાજીનું નિધન થયું. છતાં કવિતા પ્રેમીઓ નાં દિલમાં તે હયાત રહ્યા છે.
મહોબ્બત કી કચ્ચી દીવાર લીપી હુઈ, પુતિ હુઈ
ફિર ભી ઇસકે પહેલું સે રાત એક ટુકડા ટુટ ગિરા
બિલકુલ જૈસે એક સુરાખ હો ગયા,
દીવાર પર દાગ પડ ગયા….