આંખો પર પાટા બાંધી જીવવું દ્રષ્ટિનું અપમાન છે.
એમજ અસત્ય સામે ચૂપ રહેવું બુદ્ધિનું અપમાન છે.
જીવન રંગભૂમિ છે અહી ભજવતા પ્રસંગોની શાન છે
કિરદારને સંપૂર્ણ ન્યાય આપવામાં જીવનની શાન છે
આપણા જીવનનું મૂલ્યાંકન સહુ પહેલા આપણેજ કરવું પડે છે. આપણી જીવન ગાડીના ડરાયવર આપણેજ બનવાનું હોય છે જો આમ કરવામાં નહિ આવે તો માથું ટટ્ટાર રાખીને જીવવું એક સ્વપ્ન બની જશે.
અણગમતી વાત,અને ખોટા લાંછનમાંથી ત્વરાએ મુક્ત થવું જોઈએ. વિચારોનું વિષ આપણી શુધ્ધતાનો નાશ કરે છે.
એ વધુ ફેલાય તે પહેલા તેનો મૂળનો નાશ કરવો જરૂરી છે…નવા વર્ષની પૂર્વ સંધ્યાએ.
રેખા પટેલ ( વિનોદિની)
09
Jan