RSS

Monthly Archives: March 2017

કૃષ્ણનો રાધાને પત્ર ”
તું ક્યાંય નથી છતાંય સર્વત્ર છો
ડૂબાડૂબ છો ને તોય પવિત્ર છો … રેખા

પ્રિય સખી , પ્રેમમાં માત્ર પામવું એ જરૂરી નથી. પણ પ્રેમમાં મબલખ આપતા રહેવું એ જરૂરી છે..સમર્પણ અને અપેક્ષા વિહિન પ્રેમ એ દુનિયામાં અદભુત ઘટના છે..અને એથી તો હું તારા નામથી ઓળખાઉં છું, પહેલા તું છો અને પછી હું આવું છું…તારા નામ પાછળ મારું નામ આવે છે.

હું તને ચાહું છું એ તો તું જાણે છે, પરંતુ મારી માટે પ્રેમની વ્યાખ્યા જુદી છે. હું માનું છુ કે જેને પ્રેમ કરતા હોઈએ એના માલિક ન બનવું. માલિકીનો ભાવ સ્નેહમાં સાંકળ બને છે. હું તારી સાથે શ્વાસોના બંધનથી જોડાએલ રહીને આપણા અલગ લાગતા અસ્તિત્વને હું પ્રેમ કરતો રહુ છું .

હું યુગોથી તને ઝંખું છું, આથી તું મારા કર્મોમાં ,મારા વિચારોમાં અને શ્વાસોમાં સતત સાથે હોય; અને આજ કારણે મને તારી કદીયે ખોટ પડી નથી. મારી માટે તારી દૂરતા પથમાં કંટક બની નથી. તું ભક્તિ છે હું શક્તિ છું, તું મોરલી હું સંગીત છું, તું મારા મહી અને હું તારા મહી છું. હું પ્રેમ કરું છું આપણી એકબીજામાં ઓતપ્રોત થઈ જવાની અપ્રદૂષિત સંવેદનાઓને.

સખી, હું તો બસ એટલુજ જાણું છું કે તને ચાહુ છું. તું પાસે નથી તો તને યાદ કરીને હું મારી હૈયામાં સજાવેલી તારી છબીને મનની આંખો થી અપલક જોયા કરૂં છુ, વહાલ કરૂં છુ. તારી સાથે વિતાવેલી દરેક ક્ષણોને ફરી ફરી જીવું છું.

તું હતી ત્યારે તારી ક્ષણ ક્ષણની હાજરીને મેં મારા મહી ઉતારી હતી. તારી એક એક કલ્પનાને ઉમંગથી કેદ કરી હતી. તારા આંસુ અને હાસ્યને આંખોની ભીનાશમાં સજાવ્યા હતા ,તારા એક એક ધબકારને મારા ઘબકારોની વચમાં પૂર્યા હતા. સખી આજે આ બધું જીવનદોરી બનીને સાથે રહ્યું છે. જેમજેમ સમય વીતતો જાય છે તેમતેમ હું મારા ફેફસામાં પુરએલા એ શ્વાસો થી શ્વસુ છું. જ્યાં સુધી હવા એનું નૃત્ય બતાવશે, જ્યાં સુધી નદી સગીત સંભળાવશે અને જ્યાં સુધી સૂર્ય ચાંદ તેમનો પ્રકાશ લહેરાવશે ત્યાં સુધી હું આ પ્રક્રિયા ચાલુ રાખીશ.

સખી,જેમ સમાજના વાડા તને આંતરે છે તેમ કર્મોના બોજ તળે મારે પણ ભીસાવું પડે છે. તને નિહાળવાનું ભાગ્યમાં નથી રહ્યું . પ્રેમ એતો આત્માનો અહેસાસ છે.” મનના આ મહેકતા ઉપવનને સ્નેહ કેરા સમજણથી સીંચવું પડે છે.

હા મન છે ! ક્યારેક યાદો બહુ ભારે બની જાય ત્યારે થોડી ઉદાસી છવાઈ જાય છે. ત્યારે તને આપેલા વચન ” રાધે હું તારા મય બનીને ખુશ રહીશ ” ને યાદ કરી ખુશ થવાનો ફરીફરી પ્રયત્ન કરી લઉં છું.
વહાલી સખી તું પણ મને આપેલા એ છેલ્લા વચનને યાદ રાખી ખુશ રહેજે …રાધે રાધે.

રેખા પટેલ (વિનોદિની) ડેલાવર See More

17362923_1493741007327325_5946113141581821652_n

 

IMG_1471સ્ત્રીનો સહારો સ્ત્રી”

સ્ત્રી જો સ્ત્રીને સમજે, સાથ આપે તો તેમના જીવનમાં આવતી અડચણ બધી ધુમ્રસેરની માફક વિખેરાઈ જાય.

કાવ્યાને લગ્ન કરીને આવ્યાને બે વર્ષ થવા આવ્યા હતા. હજુ પણ તેના દરેક શ્વાસ ઉપર મનોજની ચાંપતી નજર રહેતી હતી. શક્કી અને મિજાજી મનોજના ડરને કારણે કાવ્યા ખુલ્લા મને હસતાં પણ ડરતી હતી. તેના સાસુ સરીતાબેનની નજરથી આ બધું કઈ અજાણ નહોતું. એ પણ મિજાજી દીકરાના સ્વભાવથી બચવા માટે આ બધાથી દુર રહી પોતાના કાર્યમાં વ્યસ્ત રહેવાનો ડોળ કરતા રહેતા. છતાં નવી પરણીને આવેલી પારકી દીકરી માટે તેમનો જીવ બળતો હતો. મનોજના ઘરથી બહાર જતાની સાથે તે કાવ્યાને કામકાજમાં પુરતો સહકાર આપવાનો પ્રયત્ન કરતા. પરંતુ એ ખીલતા ફૂલ જેવી કાવ્યા અકાળે મુરઝાઈ ગઈ હતી.

એક દિવસે નાનકડી ભૂલને કારણે મનોજે પોતાનો સંયમ ગુમાવી દીધો અને કાવ્યાને તડાતડ બે લાફા લગાવી દીધા. સરીતાબેનને લાગ્યું હવે પાણી માથાથી ઉપર જઈ રહ્યું છે, તે દિવસે તો તે કશુંજ બોલ્યા વિના ત્યાંથી દુર ખસી ગયા.

બીજા દિવસની સાંજે મનોજ નોકરી ઉપરથી પાછો આવ્યો ત્યારે કાવ્યા તેની પથારીમાં બ્લેન્કેટ ઓઢી સુતી હતી.

” કેમ આજે શું થયું કે તું મારા સ્વાગત માટે બહાર નથી આવી, ચાલ ચા બનાવી લાવ”.

ત્યાંતો સરીતાબેન ત્યાં આવી ઉભા રહ્યા”મનોજ કાવ્યા સવારે બાથરૂમમાં લપસી પડી હતી. તું નોકરી ઉપર હતો આથી હું તેને ટેક્ષી બોલાવી હોસ્પીટલમાં લઇ ગઈ હતી. અને એક્સરે પછી જાણવા મળ્યું છે કે તેને કમરમાં પાછળ ઝીણી ક્રેક પડી છે માટે હમણાં તેને સંપૂર્ણ આરામની જરૂર છે. હવે તું પણ કાલથી વહેલો ઘરે આવવાનું રાખજે. મારી એકલી થી ઘરનું અને કાવ્યાનું કામ નહિ થાય”.

આ બે વર્ષ મનોજે રાજાશાહી ભોગવી હતી. હવે ઘરે આવતાની સાથે કાવ્યાની દેખભાળ કરવાનું રહેતું ઉપરાંત માને પણ થોડી મદદ કરવાની થતી. એક અઠવાડિયામાં મનોજ થાકી ગયો હતો.

” મા આ કાવ્યાને ક્યારે સારું થશે? હું તો થાકી ગયો. કાવ્યા સાજી નરવી હતી ત્યારે આપણે કેટલી શાંતિ હતી. મને પાણી માંગતા દૂધ મળતું હતું. અને હવે મારે તેની સેવા કરાવી પડે છે”. મનોજ કાવ્યા માટે દુઘ ગરમ કરતાં બોલ્યો.

” હા બેટા સાચી વાત છે. જ્યારે તે સાજી હતી ત્યારે હું પણ તેની મહત્તા સમજી શકી નહોતી. હવે લાગે છે કે એ છોકરી કેટલું કામ કરતી અને તોય તું તેની ઉપર ચિડાતો રહેતો અને હું પણ ખાસ મદદ નહોતી કરતી. આજે સમજાય છે કે તેના વગર આપણા સંસારની ગાડી ડગમગવા લાગી છે”.

મનોજ ચુપચાપ ગરમ દુખ લઈને કાવ્યાને આપવા ગયો.” કાવ્યા ચાલ આ દૂધ જલ્દીથી પૂરું કરી લે”.

” મનોજ પ્લીઝ મને દૂધ નથી ભાવતું”.

” ડીયર તું જલ્દી સાજી થઇ જા તારા વિના હું અધુરો છું, તને આમ પથારીમાં પડેલી જોઈ લાગે છે હું પણ બીમાર થઈ ગયો છું”. કહી કાવ્યાના માથા ઉપર સ્નેહથી હાથ ફેરવવા લાગ્યો.

બીજા દિવસે મનોજના નોકરી ઉપર ગયા પછી કાવ્યા રસોડામાં આવી ” બા હવે મને લાગે છે આપણે આ નાટકને બંધ કરી લેવું જોઇયે, મનોજ બહુ દુઃખી લાગે છે. અને તેમને આમ જોઈ મને બહુ દુઃખ થાય છે.”

” બસ બેટા બે દિવસ વધુ. આજે કહીશું ડોક્ટર પાસે જઈને આવ્યા હવે સારું છે. પણ જોયુંને બેટા મારો મનોજ કેવો સુધરી ગયો”. કહી સરીતાબેન હસવા લાગ્યા.

“હા બા તમારા વિના આ ક્યા શક્ય હતું, તમારા સાથને કારણે હું મારા સંસાર સુખને પામી શકી છું”.

” બેટા સ્ત્રી જો સ્ત્રીની સાથીદાર બને તો સઘળા દુઃખ હસતાં દુર કરી શકાય છે. ચાલ હવે મઝાની ચાય બનાવી સાસુ વહુની ટીવી સિરિયલોની મઝા માણીએ”…..

અને આખું રસોડું બંનેના ખીલખીલાટ થી મહેકી ગયું.

રેખા પટેલ (વિનીદીની)
https://vinodini13.wordpress.com

 
2 Comments

Posted by on March 8, 2017 in Uncategorized

 

દુઃખમાં વિચારોનું ઉર્ધ્વીકરણ

16864605_1467838339917592_2678018791537119886_n-%e0%aa%aa%e0%aa%b0%e0%aa%ab%e0%ab%87%e0%aa%95%e0%ab%8d%e0%aa%9fજીંદગીમાં સુખ, દુઃખ, ઈચ્છા ,અનિચ્છા બધું પામવું અને આપવું ઉપર આધારિત રહેલ છે. આપણા conscience -unconscience માઈન્ડમાં ચાલતા વિચારો આપણી આજ ઉપર પણ હાવી બની જતા હોય છે. પરિણામે ગમતું નાં ગમતું એવા વર્તુળો રચાયા કરે છે અને તેજ આપણી સુખ દુઃખની વ્યાખ્યામાં ઉમેરો કરે છે.

અહી દેખાતા ચિત્રમાં આગળ પાનખર પછીની વિરાની છે. આ ઉજ્જળતા પછી પણ બાકી રહેલી એક લીલી ડાળ આ પંખી માટે આશાની એક જ્યોતિ સમી છે. આવતી કાલે પાછા આવતા સુખનું એક આશામાં પંખી પાછું વળીને આવતી કાલના લીલેરા સ્વપ્ના જોવામાં તલ્લીન બન્યું છે. તેની દુર ખેંચાતી આંખોમાં ભવિષ્યના સોનેરી સપના છે જે એકલતા ભાંગવા પુરતા છે. દુઃખમાં પણ ખુશીને આવકારવાની મહેચ્છા આપણા સુષુપ્ત મનમાં ઘરબાઈને પડેલી હોય છે તેજ ચહેરા ઉપર ખુશીઓ ભરી દેવા બસ છે. આશા છે વિખુટા પડેલા સાથીઓ પણ સ્થિતિ અનુકુળ થતા આવી મળવાના. જેમ હસતો ચહેરો સહુને ગમે તેમ ઉગતી આશાઓ નિરાશાને ધકેલી દે છે.

આપણાંથી કંઈ “સુખ દુઃખ મનમાં નાં આણીએ ” સમજી મીરાંબાઈ ની જેમ સ્થિતપ્રજ્ઞ નથી થવાતું છતાંય સહનશક્તિ સાથે બંને સ્થિતિમાં બેલેન્સ ખુબ જરૂરી બને છે. સુખ દુઃખ દરેકના જીવનમાં આવે છે. નાનો મોટો ગરીબ ધનવાન દરેકના જીવનમાં આનો અનુભવ થતો રહે છે. જ્યાં સુધી કોઈ પણ વસ્તુનો અભાવ નડતો નથી ત્યાં સુધી વસ્તુના સાચા ભાવની આપણને કિંમત સમજાતી નથી. માટેજ ડાહ્યા માણસો કહેતા હોત છે કે ” સુખને સાચા અર્થમાં પામવા દુઃખને ચાખવું જરૂરી છે”.

 

છતાં પણ આવતીકાલના દિવાસ્વપ્નો જોવામાં આજ નકામી જાય તેમ પણ ના હોવું જોઈએ. કેટલાક માણસો માટે તેમનો ભૂતકાળ સુખી અને તેમાય જો વૈભવી હોય તો તે યાદો, એજ જૂની વાતોજ તેમના આજને બરબાદ કરવા પુરતી બને છે. પહેલા તો મારા ઘરે નોકરચાકર હતા. આ બધું કામ તેઓ કરતા હતા. હવે હું જાતે મારી માટે આ બધું કેમ કરી શકું? આવું વિચારનારા ને જયારે પોતાના કામ માટે નાનમ લાગે ત્યારે સમજવું તેની હાર નિશ્ચિત છે. સ્વપ્નો જોવા પણ આશા સાથે હિંમત હોવી જોઈએ નહિ કે યાદો સાથે નિરાશા.

જેમ સુખમાં છકી ના જાવું તેમ દુઃખમાં હિંમત ના હારવી જોઈએ. આજે નહીતર કાલે આવેલા દુઃખને પાછું વાળવાનું છે ના વિચારે તેને હાંકી કાઢવા પ્રયત્નશીલ રહેવું આવશ્યક છે. નહીતર મનમાં છવાએલી નિરાશાને કારણે ઉન્નતિના માર્ગે આગળ નહિ વધી શકાય એ નક્કી છે.

નિહાર ખુબ તેજસ્વી યુવાન હતો. ઉચ્ચ ભણતર પછી પણ તેને યોગ્ય જગ્યાએ નોકરી મળતી નહોતી. શરૂઆતમાં તેને થતું હું મારા એજયુકેશનને અનુરૂપ કામ કરીશ. નાનીમોટી નોકરી મારા માટે નથી, હું મારા ભણતરને વ્યર્થ નહિ જવા દઉ. આમ વિચારી ઈન્ટરવ્યું આપતો રહ્યો. પરંતુ લાંબી બેકારી થી છેવટે એ નિરાશ થઈ ગયો. ડીપ્રેશનની હાલતમાં એકલતાને સાથી બનાવી ઘરમાં પુરાઈ રહેતો. જોનારા તેની ઉપર દયા ખાતા અથવા તો હાંસી ઉડાવતા. છેવટે તેના પપ્પાની સમજાવટને કારણે અને પોતાનાઓની હુંફને કારણે હારીને ધરે બેસી રહેવાનું છોડી તેણે જે કામ મળ્યું તે શરુ કરી દીધું. સામાન્ય પોસ્ટ ઉપર પણ તેની મહેનત અને તેનું કામ બોલવા લાગ્યું અને ટૂંક સમયમાં ત્યાજ તેની પ્રગતિ થઈ અને મનગમતું કામ મળી ગયું.

સુખ મોટાભાગે ઢોલ નગારા સાથે આવે છે જેની જાણ આસપાસના બધાને થઇ આવે છે. લોકો તેમાં ભાગીદાર થવા દોડતા આવે છે. પણ દુઃખ સામાન્ય રીતે કોઈ પણ પદચાપ વિના ચુપચાપ અચાનક આવી ચડે છે. અને આમ પણ એ વાજતે ગાજતે આવે તો પણ જાણનારા અજાણ્યા બની જઈ આપણા દુઃખમાં ભાગ પડાવવા નથી આવવાના. આ સમજીને તેને પચાવવાની કળા જાતે શીખવી પડે છે. “સુખકે સબ સાથી દુઃખ મેં નાં કોઈ” બરાબર આજ ઉક્તિ અહી લાગુ પડે છે. સારા દિવસોમાં જે દોસ્તો મહેફિલોની શાન બનીને આવતા હોય છે તેજ આપત્તિ વેળાએ બોલાવવા છતાં પણ દેખાતા નથી. સાચા મિત્રોની પરખ આવાજ કપરા સંજોગોમાં થતી હોય છે.

દીવાલ ઉપર ટીંગાડેલા કોઈ પણ ચિત્રને જો ધ્યાનપૂર્વક જોવામાં આવે તો એ દરેક ચિત્રને બે બાજુઓ જોવા મળશે, આપણે તેને કેવી રીતે મૂલવીએ છીએ તે આપણા દ્રષ્ટીબિંદુ ઉપર આધારિત રહેલું છે. જિંદગીમાં સફળતા નિષ્ફળતા બંને સ્થિતિ કંઇક નવું શીખવી જાય છે. દુઃખમાં સહુ પહેલા કસોટીએ ચડે છે માણસની ધીરજ. “ધીરજના ફળ મીઠાં”. સામાન્ય લાગતા કાંટાની વચમાં ખીલેલાં ગુલાબના ચિત્રને જો ઘ્યાનપૂર્વક જોવામાં આવે તો તેમાં એક નહિ પણ ત્રણ બાજુઓ સમજાશે. આ જોનાર ઉપર આધારિત છે કે તેને કેવી રીતે જોવામાં સમજવામાં આવે છે.

એક તો આટલું નાજુક ફૂલ અને તેને ચારેબાજુ થી વિષમ પરીસ્થિતિનું ઘેરાણ,..બિચારું

બીજું આ સુંદર ફૂલને કાંટાઓ થકી મળી રહેલી સુરક્ષા…નશીબદાર

અને છેલ્લે કપરી પરિસ્થિતિમાં પણ કેવું મઝાનું હસતું આ ગુલાબનું ફૂલ …હિંમત અને ખુશી

હવે આપણેજ વિચારવું રહ્યું કે ચિત્ર તો એકજ હતું પણ આ સાવ વિપરીત ત્રણ બાજુઓ કેવી રીતે આવી? આજ આપણી મનોસ્થિતિ દર્શાવે છે.જેવું વિચારીએ, કલ્પીએ તેવીજ સ્થિતિનો અનુભવ કરી શકાય છે. માટે હંમેશા વિચારોનું ધોરણ ઊંચું રાખવું જરૂરી છે.

જ્યારે પણ કઠીન પરીસ્થિત આવે ત્યારે સહુ પ્રથમ જાત ઉપરનો વિશ્વાસ ઘટતો જાય છે, યાદ રાખવું જરૂરી છે કે એ દિવસથી નિષ્ફળતા આંગળી પકડી સાથે ચાલતી થઇ જશે. પરિણામે સફળ થવાના સઘળાં રસ્તા બંધ થતા જણાય છે. અને જીવનભરની ખુશીઓ મેળવવાની મહેચ્છા અધુરી રહી જાય છે. અમ થતું અટકાવવા પોતાની જાત ઉપરનો વિશ્વાસ અટલ રાખવો આવશ્યક છે. જીવનની આ આખી મુસાફરી દરમિયાન દરેકના રસ્તામાં  દુઃખનાં અવરોધો આવતા રહેવાના. બસ સ્થિતિને જાણવા સમજવાની અને તેને પચાવી જાણવાની કળા શીખવાની ખાસ જરૂર પડે છે. દુઃખ આપત્તિ કાયમી નથી રહેવાની એમ સમજીને આપત્તિ માંથી બહાર નીકળવાનો રસ્તો શોધવો પડે છે. ક્યારેક તો સુખના પડીકામાં સજાવાઈને મુશ્કેલીઓ પણ આવી જતી હોય છે. આવા સમયે લોભ ત્યજી સચ્ચાઈનો માર્ગ લેવો આવશ્યક બની જાય છે. જરૂર પડે છે પોતાના પ્રોબ્લેમ્સને જાતે દૂર કરવા કમર કસવાની. જો જાતે કશું કરવાની ઈચ્છા બળવત્તર હશે તો તમને બીજાઓનો સાથ પણ મળી આવશે.

આફતમાં પણ આનંદના જો દર્શન થશે તો આનંદ જરૂર આંગણે આવીને ઉભું રહેશે. પાનખર પછી વસંતનું આવવું નક્કી છે.જે પંખીઓ ઠંડીથી બચવા ઘર છોડીને જાય છે તે સમય થતા ચહેકવા ફરી ઘર વસાવવા આવી રહેવાના નક્કી છે. કુદરતે જેમ પાનખર પછી વસંત આપી છે તેમ દુઃખ પછી સુખની લહેર આપી છે.બસ ધીરજ અને વિશ્વાસની જરૂર છે. જે બોધપાઠ થી નથી કેળવાતી તેને પામવા વિચારોનું ઉર્ધ્વીકરણ જરૂરી છે.

રેખા પટેલ(વિનોદિની)

ડેલાવર (યુએસએ )

 

| વિનોદીની.. on WordPress.com

किसीने छूके मुझे अपना कहाँ रख्खा है ? जैसे अपने ही साँसो में सजा रख्खा है. मिले तो ऐसे की जैसे हवा से फूल खिले कहीसे बहते हुए झरनेमें तपती घुप मिले. जैसे अपने ही चाहतमें कैद बना रख्खा है. हमारा होश…

Source: | વિનોદીની.. on WordPress.com

 
Leave a comment

Posted by on March 1, 2017 in Uncategorized

 

किसीने छूके मुझे अपना कहाँ रख्खा है ?
जैसे अपने ही साँसो में सजा रख्खा है.

मिले तो ऐसे की जैसे हवा से फूल खिले
कहीसे बहते हुए झरनेमें तपती घुप मिले.
जैसे अपने ही चाहतमें कैद बना रख्खा है.

हमारा होश यूँ दिन रात जवां रख्खा है
किसीने छूके मुझे अपना कहाँ रख्खा है ?

कभी खयालोंमे,कभी सामने वो आता है
कभी सरगोसी से दिलको भी छेड़ जाता है
जैसे अपने ही प्यारमें सदा बसा रख्खा है

हमें ही नूर कभी मुजरिम बना रख्खा है
किसीने छूके मुझे अपना कहाँ रख्खा है ?
जैसे अपने ही साँसो में सजा रख्खा है
रेखा पटेल (विनोदिनी)✍🏼img_1356

 
1 Comment

Posted by on March 1, 2017 in Uncategorized