RSS

Monthly Archives: November 2016

નાના મટી મોટા બન્યાં સૌને પછી ભૂલી ગયા
સીડી વડે ચડતાં શિખી એને વળી કૂદી ગયા

સુખ દુઃખ છે જોડાજોડ ચાલે નાં કદીએ ભૂલવું.
ફૂલો મહી કાંટા જડે છે વાત એ ચુકી ગયા

આવે દિવસ ચડતી તણો સંયમ કદીના છોડવો
ક્ષિતિજની ધારે સુરજના તેજ પણ ખૂટી ગયા.

છે બે-મુખાળૉ આ જમાનો,કોઈ કોઈનું નથી
લૂંટાઇ જઇશું, વાત કરનાંરાં જ ખુદ લૂંટી ગયાં

આ સત્યને જાણી લો કે અકબંધ કોઈ છે નહી
શ્વાસો છૂટ્યાં તો,મોહનાં બંધન બધાં છૂટી ગયાં

જીવન મહી જ્યાં વેદનાંનો અંશ ઊમેરાય ત્યાં
ગીતા,અવેસ્તાં બાઇબલ નામે ગ્રંથો ખૂલી ગયાં
.
રેખા પટેલ (વિનોદિની)

ગાગાલગા ગાગાલગા ગાગાલગા ગાગાલગા

 
Leave a comment

Posted by on November 20, 2016 in ગઝલ, Uncategorized

 

image
વીતે વસંતના દિવસો,ને પાનખર આવી ચડે છે,
ઠંડા પવનની ઝાપટે, પીળા પત્તા ધ્રૂજી પડે છે.

રાત આખી વૃક્ષ રડ્યું, ને પાને એ લાલાશ ચડે છે
આભે ચમકતો સૂર્ય પશ્ચિમે જઈને વ્હેલો ઢળે છે.

મારી નજરને ખેચતું છેલ્લું પત્તું પણ તૂટી રડે છે,
અળગી થતી મૌસમ મજાની જોઈને હૈયું જલે છે

શોભતા’તા રંગીન ફૂલો ત્યાં બરફ આભેથી ઝરે છે
વિના રંગીની એકલી ડાળીઓ બધી ખળભળે છે.

પંખી વિના આકાશ બુઠ્ઠું છે,મન મારું બહુ ઝુરે છે
જશે વિરહનાં દિવસો પણ દુઃખ આવે એવું સરે છે
રેખા પટેલ (વિનોદીની)

 

ચ્હા સાથે ચાહ :
चलो इकबार फिर से अजनबी बन जाये ….
આ લખવા, કહેવાથી જો આમ થઈ શકતું હોય તો કેટલું સારું થાત. કોઈના મનનમાં કોઈજ પ્રકારનો અજંપો ના રહેત. પણ આ મન કાંઈ પાટી અને પેન નથી કે એક ડસ્ટર હાથમાં આવે ને સઘળું પલક ઝપકતાં ભૂંસાઈ જાય.
મન ઉપર કંડારાયેલ સારા નરસાં બધાજ પ્રસંગો, યાદો નજર અંદાજ કરવાથી વિચારોથી દૂર રહે છે. પરંતુ એ કાયમ માટે નાબૂદ થયાજ નથી.
કારણ આપણું મસ્તિસ્ક એક વખત સ્વીકારેલ યાદો મિટાવી શકાતું નથી અને તેના પ્રત્યાઘાત સ્વરૂપે પ્રસંગોપાત એ યાદો ઈચ્છા અનિચ્છાએ યાદ આવી જાય છે, ત્યારે એની અસર આજ ઉપર હાવી થાય છે.
યાદ મીઠી હોય તો ખુશી આપે અને કડવી અણગમતી હોય તો દુઃખ કે કડવાશ ફેલાઈ જાય.

ક્યારેક એમ પણ બને કે અતીતની કોઈ મીઠી યાદ સમય સાથે ભુલાઈ ગઈ હોય તેનું સ્મરણ થતા ,એ સમય યાદ આવતા હૃદયમાં ઊંડી ટીસ પણ ઉઠી જાય છે. મનુષ્ય સ્વભાવનાં ગુણધર્મ પ્રમાણે સુખ મળતાં દુઃખ ઝડપથી ભૂલી જાય. પરંતુ વીતી ગયેલા સુખને ભૂલી શકતો નથી,જાણે અજાણે તેને મમળાવતો રહે છે.

આને આજ કારણે સાવ અજનબી થઈને ફરીફરી મળવું ક્યારેય શક્ય નથી હોતું જ્યારે પણ એ યાદ એ,સમય,એ વ્યક્તિને મળવું થશે અતીતનો પડછાયો ઓછા વત્તા અંશે આગળ પાછળ હશેજ ✍
રેખા પટેલ ( વિનોદિની)image

 

“વિદેશી સમાજ વચ્ચે દેશી વિદેશી સમજ”
એજ “ડાયાસ્પોરા જીવન” …રેખા પટેલ ✍

થોડા વર્ષો પહેલા આ “ડાયાસ્પોરા” શબ્દથી હું તદ્દન અજાણ હતી, આજે આ શબ્દ મારી આજુબાજુ એક વર્તુળ બની ઘેરાવો વધારી રહ્યું છે. આજે પણ આ શબ્દને સાચા અર્થમાં ઓળખવાનો મારો પ્રયાસ ચાલુ છે.

દેશની માયા મમતા વિચારો અને સંસ્કૃતિને સાથે લઇ જ્યારે પરદેશમાં આપણે સ્થાઈ થઈએ છીએ ત્યારે જાણે અજાણે આ બધું દરિયા પાર લઈને આવીએ છીએ. આપણે બંને સંસ્કૃતિને સાથે જીવીએ છીએ અને તેથી ઉત્પન્ન થતો વિચારોનો પડઘો એજ મારા મતે ડાયસ્પોરા ફીલિંગ હોઈ શકે.

શરૂઆતમાં દેશની યાદ બહુ તીવ્રતાથી સતાવે છે. પરંતુ સમય જતા એ મીઠી યાદ બની રહી જાય છે. છતાં પણ એ ઘૂળ એ હવા કોઈનાથી ભુલાતી નથી. ગમે એટલા મોટા થઈયે તો પણ માની મમતા નથી ભૂલી શકાતી બરાબર આજ લાગણીઓ જકડી રાખે છે. હું માનું છું ગઈકાલની સંવેદનાં અને આજના વિચારોનો સંગમ એક થઈને ડાયાસ્પોરા સાહિત્યનો જન્મ થાય છે……

સમયના થર ચડી ગયા,

મને

હિન્દમહાસાગર છોડયાને,

આ એટલાન્ટીક ઓળંગ્યાને.

હજુય વરસાદની ઝરમર સાથે

માટીની મહેક સુંઘવા શ્વાસ ખેચું છું.

વહેલી સવારે મસ્જિદની બાંગ,

સંઘ્યા ટાણે મંદિરના ઘંટ

અને

ખુલ્લી બારી માંથી ઝાંકતા તારલિયા

હું હજુય શોઘ્યાં કરું છું….

ડાયાસ્પોરા લેખન એટલે નવી સફર, નવા સ્ટેન્ડ પોઈન્ટ ઓફ વ્યુ વચ્ચે ઓરીજીનલ વિચારોની કશ્મકશ સાથે સમન્વયતા. જાણે કે આલીશાન હોટલમાં બેસીને ધુળીયા રસ્તા ઉપરની રેંકડીમાં બનતી ચ્હા ની ઝંખના.. તેઓ પરદેશમાં રહીને એ સંસ્કૃતિ વચ્ચે દેશમાંથી લાવેલી બેગમાંથી આવતી સુગંધને આલેખે છે.

પરદેશમાં દેશનાં ભૂતકાળ માટે નો ઝુરાપો, અને વર્તમાનના જીવન સાથેનું મિશ્રણ એક થઇને ડાયાસ્પોરા ફીલિંગનો જન્મ થાય છે. સામાન્ય સમજ અને વિચારો કરતાં તેમની કવિતા,વાર્તાઓ અને લખાણમાં અલગતા જોવા મળે છે. પરિણામે તેનું મહત્વ અલગ હોય છે. આવા લખાણમાં પોતાના ખોવાતા જતા અતીત્વને જકડી રાખવાની તડપ પણ જણાઈ આવે છે.

આ સર્જનમાં પૂરેપૂરું સત્ય હોવું જરૂરી નથી, જરૂરી છે એમાંથી નીતરતી લાગણીઓનું પારદર્શક હોવું. જે વાંચનારને આજ માંથી સીધા ઉઠાવી કાલની કોઈ છુટેલી પળો સાથે સંપર્ક કરાવી આપે તેવું હોવું જરૂરી છે. આ એક વિચારોનો ત્રીભેટો ગણી શકાય. જ્યાં સંપૂર્ણ ક્યાંયના નથી અને સંપૂર્ણ સમર્પણની ભાવના દેખાય આવે છે. આજકાલ આમ પણ ફયુઝનનો જમાનો છે કદાચ આજ કારણે હશીખુશી સાથે છુપાએલી એક તડપ એક અધુરી વાસના ભેગી થઈને ડાયાસ્પોરા લાગણીઓને જન્મ આપે છે.

રેખા પટેલ (વિનોદિની)

 

MY ARTICAL ON RASHTRA DARPAN

fullsizerender-jpg-%e0%aa%b0%e0%ab%87%e0%aa%96

રેખા પટેલ , તેઓ છેલ્લા  ૨૪ વર્ષથી અમેરિકાના ડેલાવર સ્ટેટમાં રહે છે. નાની ઉંમરથી અમેરિકામાં જઈને વસ્યાં હોવા છતાં ગુજરાતી ભાષા પ્રત્યે તેમને અપૂર્વ લાગણી છે. જેનો પુરાવો આપતા તેમના હાલ પબ્લીશ થયેલા બે પુસ્તકો છે.

છેલ્લા કેટલાક સમય થી મારા દ્વારા લેવાતી યુરોપ કેનેડા અને અમેરિકાની મુલાકાતો દરમિયાન મારું એક મહત્વનું કાર્ય રહેતું કે ઉગતા નવા ડાયાસ્પોરા લેખકોની ખોજ. જેમાં કેટલાક જડી આવેલા, નામોમાં ડાયાસ્પોરા લેખકોમાં રેખા પટેલનું નામ મોખરે છે. ગયા વર્ષે ડાયાસ્પોરા લેખકોને સન્માનિત કરવાના પ્રસંગે રાજકોટમાં   જુના અને અનુભવી લેખકોમાં તેમને સામેલ કરાયા હતા. ત્યાં તેમનું ગુર્જર પ્રકાશન માંથી પ્રકાશિત ટૂંકી વાર્તાઓનું પુસ્તક ટહુકાનો આકાર  નું લોકાર્પણ દક્ષિણ ગુજરાત યુનીવર્સીટીના કુલપતિ ડો. દક્ષેશ ઠાકરના હસ્તે કરાયું હતું.

બરાબર વર્ષ પછી અમેરિકામાં તેમના બે પુસ્તકોનું લોકાર્પણ થયું ત્યારે હું ઉપસ્થિત રહી શક્યો તે માટે  મને આનંદ સાથે ગૌરવ  છે. રેખાબેન તથા તેમના પતિ વિનોદ પટેલ ખુબજ સારી મહેમાન નવાજી કરી જાણે છે. તેમના ઘરે ડેલાવર ખાતે આ બંને પુસ્તકોનું લોકાર્પણ ગોઠવાયું હતું. જેમાં તેમની ટુકી વાર્તાઓ” લીટલ ડ્રીમ્સ “ ને ખ્યાતનામ કવિયત્રી પન્નાબેન નાયકના હસ્તે અને ” લાગણીઓનો ચક્રવાત  નવલકથા નું નોર્થ અમેરિકાની ગુજરાતી લિટરરી એકેડેમીના પ્રમુખ રામભાઈ ગઢવીના હસ્તે લોકાર્પણ થયા હતા.

આ પ્રસંગને વિજયભાઈ ઠક્કરે સંચાલિત કર્યો હતો . આ પ્રસંગે સુચીબેન વ્યાસ, ગીરીશભાઈ વ્યાસ, અમેરિકામાં ગુર્જરી ચલાવતા કિશોરભાઈ દેસાઈ, રાજેશભાઈ હાજર રહ્યા હતા. ત્યારબાદ આજ પુસ્તકનું ફરીથી લોકાર્પણ ન્યુજર્સી એડીશન ખાતે આવેલી ગુજરાત દર્પણની સભામાં પણ કરવામાં આવ્યું હતું.

રેખા પટેલ આમતો એક સારા વાર્તા કાર હોવાની સાથે કવિતાઓ પણ સુંદર લખી જાણે છે.  એક કવિયત્રી હોવાની વિશેષતાને કારણે તેમની વાર્તાઓમાં અલગ પ્રકારની સંવેદનાં જોવા મળે છે.  આ બંને પુસ્તકો નું ગાર્ડી રિસર્ચ ઇન્સ્ટીટયુટ ફોર ડાયસ્પોરા સ્ટડીઝ ડાયાસ્પોરાની દેખરેખ હેઠળ તૈયાર થયેલા છે. જેનું પબ્લીકેશન  અમદાવાદ પાર્શ્વ પ્રકાશન માંથી થયેલ છે. 

રેખા પટેલની મોટાભાગની વાર્તાઓ વાસ્તવિકતાને આધારે લખાએલી હોય છે આથી વસ્તુ સ્થિતિ ક્યાંક ઘટી ચુકેલી વધારે લાગે છે. વાર્તાના દરેક પાત્રો સાથે માનસિક એકતા સાધવી એ તેમની ખૂબી છે. જેના કારણે તે ઓછા સંવાદોમાં સચોટતા આપી શકે છે. કોઈનું અનુકરણ નહિ કરી પોતાને પ્રતીતિકર લાગે તે વિચારો સાથે લખવાની તેમની પ્રકૃતિ એક સફળ વાર્તાકાર તરીકે તેમની અલગ છાપ ઉપસાવી રહી છે. તેમણે દેશથી દૂર રહીને પણ સંસ્કૃતિને જાળવી રાખી છે. જેનું પ્રતિબિંબ તેમનાં લેખન દ્વારા સમજાઈ શકે છે. તેમના જણાવ્યા પ્રમાણે વાર્તા લખતા તેઓ  સામે આવતા દરેક પાત્રોમાં ઓતપ્રોત થઈ જતા હોય છે. પરિણામે વાચકને તે વાત પોતાની લાગે તેવી સચોટતા પેદા કરી શકે છે.

ગયા વર્ષે ગુર્જર માંથી બહાર પડેલી ટુંકી વાર્તાઓની બુક ટહુકાનો આકાર જેમાં ભારતના ગામડાઓમાં ઘટતી ઘટના કે જૂનાપુરાણા ખ્યાલોને આવરી લેતી વાર્તાઓ વધુ હતી, જેમાં સમાજની રૂઢિચુસ્તતા દેખાઈ આવતી હતી. જ્યારે આ વધારે કરીને મોર્ડન જમાનાને અનુલક્ષીને લખાએલી , યુવાનોની મનોવૃત્તિને આલેખતી જોવા મળશે. જીવનમાં ના દરેક પાસાઓ ઉપસાવવું તેમની ખાસિયત કહી શકાય.

એક ડાયસ્પોરા વાર્તાકાર અને કવિયત્રી તરીકે તેમનું ભાવી ઘણું ઉજળું દેખાઈ રહ્યું છે.  યુવાસંવેદન વિશ્વને અર્થપૂર્ણ આલેખનાર ઉગતા નહિ બલકે ટૂંકા સમય ગાળામાં ઉગી ચુકેલા સફળ વાર્તાકાર રેખા વિનોદ પટેલને સત્કારતા હર્ષ અનુભવું છું.

  ડો. બલવંત જાની
 
2 Comments

Posted by on November 18, 2016 in Uncategorized

 

🍂 પાનખરનું ગીત 🍂

🍂 પાનખરનું ગીત 🍂
ફૂલોના કાને ઉપવનની એક નાની સરખી વાત પડી
એ રહેવાના બે ચાર દિવસ છોડી દ્યો માયા રાત પડી

જે પવનને ઝોંકે ટકતા હતાં
એ આજ અહી બહુ ધ્રુજતા હતાં
ને ધરતીના ખોળે ખરતાં હતાં
ભેગા થઇ ફૂલો રડતા હતાં.

છૂટ્યા સઘળાં સાથી સગપણ,પતઝડની આ બારાત ચડી
ફૂલોના કાને ઉપવનની એક નાની સરખી વાત પડી.

પછી ખેરવી સઘળાં પાન ફરી
તહી ડાળ ડાળએ આહ ભરી
આ જીવન હાથથી ગયું સરી
એ વાત સુણી બહુ રાત રડી

કાલે ખીલશું, ફરી મઘ મઘશું આસ ઉપર કાળાશ ઢળી
ફૂલોના કાને ઉપવનની એક નાની સરખી વાત પડી.
– રેખા પટેલ(વિનોદિની) 🍂✍

 

સુરજ નીકળ્યો

 

image

સુરજ નીકળ્યો
તળાવ તરવા.
હવા સંગે છબછબિયાં કરવા,
હંસો સંગે એ તરતો ડૂબતો.

બે ચરણ ત્યાં આવી થંભ્યા.
એકલતાની ભીડ ભાંગવા

સમયને તોડવા,
એણે ,
પથ્થરનો કર્યો ઘા તળાવમાં.
વમળ વેરાયા પાણી મહી
અને સુરજ ભીતર ઉતર્યો.
આખું ગગન ઝબઝબ
એ પણ
ઓગળ્યું પાણી મહી.
-રેખા પટેલ(વિનોદિની)

 

मेरे दिल को तसल्ली तेरी आहट से मिल जाती है

presentation1

मेरे दिल को तसल्ली तेरी आहट से मिल जाती है
बस पल दो पल सुकून-ए राहत से मिल जाती है

मेरे भीतर बढ़ता रहा पौधा तेरी याद ने बोया था
दिल को ठंडक उसकी इनायत से मिल जाती है

अगर तुम आओ तो थोड़ी देर ठहरना मेरे पास
खुशियाँ तेरे प्यार की गरमाहट से मिल जाती है

मरने के बाद तो मंज़िल तक तक पहोंच जाते है
मुझे तो जिंदगी तेरी एक नजर से मिल जाती है

इन गीतों गज़लों से मोहब्बत पूरी कहा होती है
सच्ची मोहब्बत बस मुस्कराहट से मिल जाती है

पल पल यूँ मिलना,पल यूँ बिछडना गंवारा नही
बाकी रही मोहब्बत तो कयामत से मिल जाती है

मोहब्बत के जज़्बे को उल्फ़त समझो या इबादत
अगर रूह की भूख हो तो चाहत से मिल जाती है
-रेखा पटेल(विनोदीनी)

 

લખતો રહીશ ભીના અક્ષરે હવામાં તારું નામ,

 

લખતો રહીશ ભીના અક્ષરે હવામાં તારું નામ,
તું જળ બની વાદળૉ ઉપર સવાર થઈને આવજે,
સાથ સુકાયેલી ક્ષણોમાં ભીનાશ ભરીને લાવજે..લખતો રહીશ ખીલતી કળીઓ પર તારું નામ,
તું ફૂલો ઉપર ઝરતાં ઝાકળ બનીને આવજે,
એક મદમાતી પ્રભાતી તું સુગંઘ ભરીને લાવજે..

લખતો રહીશ હું ક્ષિતીજની રેખા પર તારું નામ,
તું સ્નેહ મિલનના મેઘધનુષી રંગો ભરીને આવજે,
નભ ને ઘરાનાં મિલનની તું સાક્ષી ક્ષણોને લાવજે..

લખતો રહીશ ધડકનના બધા તાલમાં તારું નામ,
તું મારી ઉર્મિઓમાં વહેતો શરાબ બનીને આવજે,
પ્રીતની પ્યાલીમાં તું વિશ્વાસ ભરી ભરીને લાવજે..
રેખા પટેલ (વિનોદિની)

 

 

ચાલને પ્રેમ કરી લઇએ…..આપણે પ્રેમ કરી જોઈએ.

ચાલને પ્રેમ કરી લઇએ…..આપણે પ્રેમ કરી જોઈએ.
એકમેકને બહુ જોયા,હવે દુનિયા જોઈ લઇએ,
જીતવા જેવું ઘણું છે જગમાં,

મન સહુના હરી લઇએ….ચાલને પ્રેમ કરી લઇએ.
આંખોમાં ડૂબી તરતા શીખ્યા, દુનિયા તરી જોઈએ,
ઝીલવા જેવું ઘણું છે જગમાં,

સુખ દુઃખ ઝીલી લઇએ ..ચાલને પ્રેમ કરી લઇએ.
આપમેલની વાત છોડી, થોડું વહેંચી જોઈએ,
આપવા જેવું ઘણું છે જગમાં,

હારી સઘળું જીતી લઇએ …ચાલને પ્રેમ કરી લઇએ.
આમંત્રણમાં સહુ કોઈ પહોંચે,ના બોલાવે પહોંચી જઈએ,
માનપાન જેવું ધણું છે જગમાં,

હૃદયને પ્રેમે જીતી લઇએ …ચાલને પ્રેમ કરી લઇએ.
આપણે પ્રેમ કરી જોઇએ…
રેખા પટેલ (વિનોદીની)