RSS

24 Aug

આંસુની હું પરબ ભરું તો,તું વચમાં મને દેખાય છે,
જ્યાં કરું ગઝલની અવતરણ તુ શબ્દોમાં ટંકાય છે

સંગાથે તારે આ જીવતર ઉત્સવ બની ઉજવાય છે,
વિરહમાં તારા લખેલ અક્ષર કાગળિયે કોરા વંચાય છે.

આંખ મીચું અને સપનામાં પગરવ તારો જણાય છે,
મૃગજળ જેવી ખુશીઓમાં પણ દુઃખ જઈ ઢંકાય છે

જોઉં હું જ્યાં અરીસા મહી તું આવી ત્યાં મલકાય છે,
તુજ અલગારી લાગણીઓ મહી મન ગુલાલે રંગાય છે .

સ્મરણ જરા આવે વિનોદે એનું ને ઉર્મીઓ લહેરાય છે
સ્નેહ સાથે સાથ મળે તો વિનોદિની ચોતરફ પંકાય છે.
રેખા પટેલ (વિનોદિની)

 
1 Comment

Posted by on August 24, 2016 in ગઝલ

 

One response to “

  1. Vimala Gohil

    August 24, 2016 at 6:45 pm

    અંતરે ઉઠેતીલાગણીની સુંદર અભિવ્યક્તિ.

     

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

 
%d bloggers like this: