RSS

Monthly Archives: April 2016

बरखा रूत

आज बादलों की पूरी फ़ौज आकाश पर छा गई.
घिरके आई ये घनघोर घटा जो नभ पर छा गई

बादल घुमड़-घुमड़ गाने लगे,देखो शोर मचाने लगे.
बिजलियाँ आंखमिचौली खेलती और मचलती रही
नन्हे-मुन्नों छीटोंसे शुरू ये वर्षा टूटकर झरती  रही
रिमज़िम घुंघरू बाँधकर बारिश धूम बरसाने लगी.
छोड़के सब शर्मो हया धरती मुग्धा सी नहाने लगी
चारो तरफ खिले फूलों पर खुशहाली लहेराने लगी.

 फिर में क्यूँ इतनी स्तब्ध हु, फिर कहाँ में खो गई ?
वहीं उजले दिनोंका टुकड़ा यादमें कुछ कह गया
एक जरासी बात पर अपनी कहानी दोहरा गया
निकलकर अपने आजसे में वहाँ तक जा पहुँची
दिलका कौना जो प्यासा था उसे भिगोने चली.
अब सचमें सावनके साथ हार जितकी होड़ लगी.
रेखा पटेल (विनिदिनी )

 

સુખની શોધ :

સુખની શોધ :

સુખમાં રહેવાનું તારણ ભાઈ,રોગને કહેવું તું ભારણ ભાઈ
શરીર તો મારું એક બહાનું છે,મન દુઃખનું છે કારણ ભાઈ

દરેક વ્યક્તિ જાણે અજાણ્યે સુખની શોધ કરતો રહે છે , આ સુખ તે અસલમાં છે શું?
શું તે કોઈ વસ્તુસ્થિતિ છે ? મનનો કોઈ ભાવ છે કે રોકડ રકમ? આ જાણી નથી શક્યા છતાય સતત તેની શોધમાં દરેક જણ રાત દિવસ દોડતો રહે છે
           કેટલાક કહે છે  ” સુખી રહેવા નકારાત્મકતાને હઠાવો” પણ નકારાત્મકતાને હઠાવવા માટે સહુ પ્રથમ આપણી શારીરિક હેલ્થ પાવરફૂલ હોવી જરૂરી છે “. થોડી બીમારી આવતા આપણે નકારાત્મક વિચારોથી ભાવુક બની જઈએ છીએ. આવી સ્થિતિથી પ્રભાવિત થઇ આપણી સંવેદનશીલતા ઝડપથી પરિસ્થિતિમાંથી પીછહેઠ કરી લે છે. પછી હતાશા અનુભવે છે.

માણસનાં મન ને જરાય સરખું ચેન થી હોતું
બધી અમીરાતની વચ્ચેય તેને શૂન્યનો આભાસ હોય છે
એક અસુખ એક ઉણપ એક છાનું સપનું એના ચેન ને કોતરતું જાય છે
તે થોડો નવરાશ અને નિરાંતનો સમય કાઢી,
પોતાનું મનગમતું કામ કરે અને તેના ભાવભીના મનને ખુલ્લું મન રાખે તો
અસંતોષ ના અંઘારા કૂવા માંથી બહાર નીકળવાનો માર્ગ સોઘી શકે છે.

જિંદગી બડી હસરત સે તકતી હૈ, ફૈલા કે બાંહે ઉસે અપના બનાલો

આમતો આ વાત સાચી છે ” જ્યારે માણસ શરીરથી બીમાર હોય ત્યારે નાનીનાની વસ્તુઓ અને આજુબાજુના ઘટના ક્રમનો તેના મન ઉપર નેગેટીવ અસર પડતી દેખાય છે, આવા સમયમાં તે વધુ નબળો બનતો જણાય છે “.જો આપણે શરીરથી સુખી હોઈશું તો મનથી પ્રફુલ્લિત આપોઆપ થઇ શકીશું , ખુશ રહેવું એ આપણી પોતાની ઈચ્છા ઉપર અવલંબે છે પરંતું શારીરિક સુખ એ નિરોગી તન અને આંતરિક ચેતના શક્તિ ઉપર આધારિત છે.

              આવા સમયે તે વ્યક્તિએ પોતાના માનસિક બળને એકઠું કરવાની તાતી જરૂર પડે છે ,આ સમયે દુઃખ નિરાશા કે ગ્લાની અનુભવવાને બદલે જો થોડા હકારાત્મક વિચારો મનગમતું કાર્ય હાથ ઉપર લેશે તો  માનસિક નકારાત્મકતા થી દુર રહી શકશે, આ રીતે ઝડપથી શારીરિક મજબુતાઈ પાછી મેળવી શકાશે . “સારી હેલ્થ માટે સહુ પ્રથમ મેન્ટલ હેલ્થ પાવરફૂલ હોવી જરૂરી છે”.

આપણે સહુ જાણીએ છીએ કે” ખુશી ભૂતકાળમાંથી જન્મી વર્તમાન સુધી લંબાય છે”.  પરંતુ એનો અર્થ જરાય એવો નથી થતો કે કાલને યાદ કરતા રહીએ અને આજને ભૂલી જઈએ .વર્તમાને ભૂતકાળ ઉપર બહુ નિસ્બત નાં રાખવું , ભૂતકાળના દુઃખોને આજના આનંદ ઉપર હાવી થતા રોકવા જરૂરી છે.  નહીતર આજને બગડતા વાર નહિ લાગે. “બરાબર એમજ જેમ પાકી કેરીના ટોપલામાં એક ખરાબ કેરી મુકાઈ હોય.”

              ઉજ્જવળ હોય કે નિરાશાજનક પણ ભૂતકાળ ને ભુલાવામાં ભલાઈ છે, યાદ રાખવું તો એટલુજ રાખવું જોઈએ કે જેના કારણે આપણી પ્રગતિનો માર્ગ ખુલ્લો રહે અને આપણી આજ ના બગડે.  કેટલાક લોકો કાયમને માટે જુના સુખ અને દુઃખને ગણી ગણીને યાદ કરી તેમની આજને બગાડે છે અને મળતી નાની મોટી ખુશીઓને ગ્રહણ લગાડે છે. ગઈ કાલના સોનેરી સપનાને યાદ કરવામાં આજના અને આવતી કાલના સપનાને નજર અંદાજ ના કરવા જોઈએ . જીંદગીની સાચી મજા તો જીંદગીનાં આજને સ્નેહથી જીવવામાં છે
ક્યારેક કોઈ છૂપો ભય અંદર રહેલી ખુશીઓ નો શિકાર કરી નાખે છે ,અને થાકેલુ અસુખ મન શરીરને થકવી નાખે છે .  સામાન્ય રીતે આપણું ઘાર્યું નથી થતું ત્યારે આપણે દુઃખી થઇ જઈયે છીએ આવા વખતે લાગે છે કોઈને આપણી પડી નથી કે કોઈને આપણી માટે ભાવ નથી રહ્યો … અંદરની ખુશી અને સ્થિર રહેતા મનનું સંતુલન ખોઈ બેસીએ છીએ, વધારે કરી વણનોતર્યું દુઃખ વહોરી લઈએ છીએ.  નિરાશા કલેશ ,કંટાળો બધું આપણી આજુબાજુ ગોઠવાઈ જાય છે અને આનંદ , પ્રગતિનો રસ્તો રોકાઈ જાય છે.
             પ્રગતિના સમયમાં આડે આવતા લોકો અને તેમના અણછાજતા વ્યવહારોને નજર અંદાજ કરવામાં ભલાઈ રહેલી છે ,કારણ તેની સામે થવામાં આપણી શક્તિ અને સમય બંને વેડફાઈ જતા હોય છે . આવા સમયે મનમાં રહેલા ધ્યેયને આંખ સામે રાખી આપણે આગળ નીકળી જવું જોઈએ . દુઃખી મન હોય ત્યારે ખાસ એકલા ના બેસી રહેવું કે દુઃખ ભર્યા ગીતો નાં સાંભળવા જોઈએ. કારણ આજુબાજુના વાતાવરણની અસર મન ઉપર વધુ ઝડપથી પડે છે.
અહી મળતા દરેક ભાવ દરેક વ્યવહાર જરૂરી નથી કે આપણી ખુશી માટેજ હોય , જેમ આપણે કોઈ થી દુઃખી થઈયે છીએ તેમ કોઈ માટે આપણે પણ દુઃખનું કારણ જરૂર બની જતા હોઈશું. માટે દરેક પ્રત્યે સદભાવ રાખવો બહુ જરૂરી છે. કોઈ માટે મનમાં રાખેલી કટુતા ક્યારેય સાચી ખુશી નહિ આપે. માટે કાયમ “જીઓ ઓર જીને દો” નો ભાવ રાખવો જોઈએ.
         કોઈના થી થયેલી ભૂલોને મન ઉપર લેતા પહેલા એકવાર સામે વાળાની પરિસ્થિતિનો વિચાર અવશ્ય કરવો જોઈએ, આમ કરતા મનદુઃખનું સાચું કારણ જાણી શકાશે, સાથે આપણા પોતાના મનનું દુઃખ કે ભાર હળવું થશે. અને સ્થિતિને ઝડપથી થાળે પડી શકાશે. આમ કરતા પણ જો લાગે કે સામેવાળી વ્યક્તિમાં વધારે પડતા દોષો છે તો આપણને તકેદારી ભરવાની સમજ વધશે. તો એક રીતે સામેવાળાને સમજવાનો આ વિચાર સહેલો જ કહેવાય.
કેટલાક લોકો તમને લાગણી થી કચડી નાખતા હોય છે. વધારે પડતી લાગણીઓ મુંઝવી નાખે છે. આવા અસમયે આપણે સાચી સ્થિતિને ભૂલી જઈએ છીએ. ખોટી લાગણીમાં મગજ થાકી જાય છે અને વિચારવાની સ્થિતિ ડામાડોળ બની જાય છે, તેની નુકશાની આપણેજ ઉઠાવીએ છીએ. માટે આવા વખતે થોડો સમય આવી વ્યક્તિઓ થી નમ્રતાપૂર્વક દૂર રહી સાચી સ્થિતિ અને ભાવનાઓ ઉપર વિચાર કરવો જરૂરી બને છે. ક્યારેક દૂરતા આપણને યોગ્ય નિર્ણય લેવામાં મદદરૂપ બને છે.
              સામાન્ય રીતે કલહ ખોટા ઝગડાઓ થી દૂર રહેનારા ચુપ રહેવાનું પસંદ કરે છે. આ ખોટું નથી પરંતુ ક્યારેક તો પોતાની જાત માટે સ્ટેન્ડ લેતા શીખવું જોઈએ. યોગ્ય સમયે જરૂરી પ્રત્યાઘાત આપવો જોઈએ, નહીતર લાગણીઓ દુઃખ મનમાં અને મનમાં  ઘુંટાઈને વધુ ઊંડી જશે. પરિણામે સહન કરવાનું વધી જશે. આવી સ્થિતિમાં અસંવેદન બની જવું પણ યોગ્ય છે. સાથે દ્રઢતા અને નિર્ભયબની સામે વાળાને ભૂલનો અહેસાસ કરાવવો જરૂરી બને છે.
બહુ સહેલાઈથી ખુશીને પોતાની કરવા માટે પોતાની ઉપર વિશ્વાસ રાખવો બહુ જરૂરી બને છે , હું ખુશ છું એવો ભાવ વધારે ઘુંટાવા દવો જોઇયે. અને આ માટે દિવસમાં એકવાર તમારી ખુદની પ્રસંશા કરો. તમારા કરેલ સારા કાર્યોને બીરદાવો, એક આત્મવિશ્વાસ ભરો આમ કરવાથી તમારી આસપાસ એક હકારાત્મક વાતાવરણ રચાશે જેના કારણે કાર્ય કરવાની ધગશ આપોઆપ વધતી જશે .
રેખા વિનોદ પટેલ (વિનોદિની )
ડેલાવર (યુએસએ )

 

 

मंजिल का पता देकर दीवाना कर गये हो

मंजिल का पता देकर दीवाना कर गये हो
मेरी नींदे तुम उड़ाकर दीवाना कर गए हो

आंखोमें डालकर आखें मैख़ाना भर गए हो
मय प्यारका हमें पिलाकर दीवाना कर गए हो

तन्हाई के बीच मेरा जहाँ आबाद कर गए हो
दर्द को ही दवा बनाकर दीवाना कर गए हो

साथ मेरे तुम अपनी खुद पहचान बन गए हो
युँ मुझको मुजसे चुराकर दीवाना कर गए हो

इस जान का क्या करूँ दिलको तो ले गए हो
हमे तुम उलझनमें डालकर दीवाना कर गए हो

रेखा पटेल ( विनोदिनी )

 

વૃધ્ધોને વ્હાલા એડલ્ટ ડેકેર

વૃધ્ધોને વ્હાલા એડલ્ટ ડેકેર જ્યાં સુધી હાથ પગ ચાલતા હોય એ માણસે જિંદગીને છલોછલ માણી હોય એનાં માટે એકલતા,વૃદ્ધાવસ્થા અને બીમારી આ ત્રણનું એક સાથે આવવું,એટેલે જાણે નર્કમાં હોવાનો અહેસાસ. આ એક કૌંટુબી…

Source: વૃધ્ધોને વ્હાલા એડલ્ટ ડેકેર

 
Leave a comment

Posted by on April 8, 2016 in Uncategorized

 

વૃધ્ધોને વ્હાલા એડલ્ટ ડેકેર

IMG_6124વૃધ્ધોને વ્હાલા એડલ્ટ ડેકેર

જ્યાં સુધી હાથ પગ ચાલતા હોય એ માણસે જિંદગીને છલોછલ માણી હોય એનાં માટે એકલતા,વૃદ્ધાવસ્થા અને બીમારી આ ત્રણનું એક સાથે આવવું,એટેલે જાણે નર્કમાં હોવાનો અહેસાસ.

આ એક કૌંટુબીક મિત્રનાં પિતાની છે. જેઓ આખી લાઈફ અમેરિકામાં પોતાની મરજી મુજબ મસ્તીથી જીવ્યા હતા, નોકરી કરી હતી. પરતું હવે પંચોતેર વર્ષે પત્નીના જવાથી સાવ એકલા થઇ ગયા. દીકરો અને વહુ જોબ કરે છે તેથી લાઈફમાં તેઓ પણ બીઝી રહે છે. પરિણામે બીમાર રહેતા આ વડીલ બહુ ચીડિયા થઈ ગયા.
આ વડીલની હાલત જોઇને મને સહુ પ્રથમ અહીં ચાલતું એડલ્ટ ડે કેર યાદ આવ્યું. અમેરિકામાં પાંસઠ વર્ષ પછી ઓછી આવક ઘરાવતા કે ડિસેબલ લોકોને મેડીકેડ અપાય છે. જેમા એક પ્રોગ્રામમાં આવા વૃધ્ધો માટે ખાસ એડલ્ટ ડે કેરની વ્યવસ્થા છે. આવા ડે કેર સેન્ટરની કાર ત્યાં જતા વૃધ્ધોને ઘરે પીકઅપ અને ડ્રોપ કરવા માટે આવે છે. અહી દિવસના પાંચ કલાક તેઓને રખાય છે. જેથી તેમનો આ સમય હસી ખુશીમાં વીતી જાય. અમારા ફ્રેન્ડને આ વાત ગમી ગઈ અને તેમના પિતાને ત્યાં મોકલવાની વ્યવસ્થા કરી. આજે તેઓ બહુજ ખુશ રહે છે. આવા સેન્ટરોમાં મઝાની પ્રવૃત્તિઓ ચાલતી હોય છે, અહી તેમને હળવી એકસરસાઈઝ કરાવે છે,ગેમ રમાડે છે. સાથે ભજન આરતી અને મુવી પણ બતાવે છે. ક્યારેક બહાર શોપીંગમાં પણ લઇ જવાય છે.
 ન્યુ જર્શીમાં આવુ જ એક એડલ્ટ ડેકેર ચલાવતા જયંતભાઈ સાથે થયેલી વાતચીત દરમિયાન તેમણે જણાવ્યુકે આવા સેન્ટરમાં આવા વડીલોને રોજ પાંચ કલાક રાખી શકાય છે. દરેક પોતપોતાના સહુલીયત વાળા સમયે આવે છે. તેમના ડેકેરમાં ઇન્ડિયન અમેરિકન,ચાઇનીઝ, કોરિયન વધારે છે.જયંતભાઈ સારી સર્વિસ આપવામાં માને છે આથી તેમના ડેકેરમાં ૮૫ વડીલો સાથે ૨૩ જણનો સર્વિસ સ્ટાફ છે. તેઓ કહેછે આવી સુવિધા અને ઘર જેવું વાતાવરણ તેમની જિંદગીના પાછલા વર્ષોને ખુશીથી ભરી દેતા હોય છે. કારણ અહી તેને તેમના જેવા હમઉમ્ર મિત્રો મળી જાય છે.જે તેમની એકલતા ભાંગે છે અને જિંદગી જીવવા જેવી લાગે છે.
આવીજ રીતે અહી ચાલતા એડલ્ટ નર્સિંગહોમ કેરની વાત લખું છું. આ નર્સિંગહોમ એટલે કે પાંસઠ  પછીના વડીલો કે પછી ડિસેબલ થયેલાં વ્યક્તિઓનું કાયમી રહેઠાણ. જ્યાં આવ્યા પછી ભાગ્યેજ ઘરે પાછા જઈ શકે છે.
ન્યુજર્સીમાં ૨૦૦૫ થી આવી મલ્ટીકેર ફેસિલીટી ચલાવતા “શ્રી મુકુંદભાઈ ઠાકર” સાથે થયેલી વાતચીત માં તેમના દ્વારા જાણવા મળેલી કેટલીક વાતો લખું છું. તેમને હાલ ૯ આવા નર્સિંગ હોમ છે જેમાં ૬૫ વર્ષ થી લઇ ૧૦૫ વર્ષના વડીલો પોતાનું ઘર માનીને રહે છે. મુકુંદભાઈનું એક વાક્ય મને બહુ ગમી ગયું ” અહી આવતા વડીલોને બીજા કોઈ નામે ઓળખવાને બદલે બા અને દાદા કહેવાનું વધુ પસંદ કરીએ છીએ,જે પ્રેમ અને ફુંફના તેઓ હકદાર છે તેને આપવાનું અમારું પ્રથમ કામ છે”. કેટલાક તો સાવ પથારીવશ હોય છે તેમને સુતા સુતા ટીવી,સંગીત અને વાંચન જેવી વ્યવસ્થા કરી આપે છે.
અહી ૨૪ કલાકની સુવિધાઓ આપવામાં આવે છે,કાયમ અહી રહેવાનું હોવાથી તેમને ઘર જેવું જ વાતાવરણ મળવું જોઈએ તેમ વિચારી અહી સવાર સાંજની આરતીથી માંડી બધા જ તહેવારોની ઉજવણી કરવામાં આવે છે. જે વૃધ્ધો ઘરે એકલતાનો ભોગ બની રહ્યા હોય કે ગંભીર બીમારીમાં ઘરે તેમની યોગ્ય સારવાર ના થઇ શકતી હોય,તેવા દર્દીઓ માટે આવી જગ્યાઓ ઘર કરતા પણ વધારે પોતીકી બની જાય છે.અહી કાયમી રહેતા વૃધ્ધો એકમેકના સાથી બની જાય છે અને સુખેથી પાછલી ઉંમર વિતાવે છે. છતાં પણ સ્વજનોને ચોક્કસ યાદ કરતા હોય છે. આથી વર્ષમાં બે વાર અહીં રહેતાં વૃધ્ધોના પરિવારને એકઠાં કરવામાં આવે છે.આમ કોમર્સિયલ ચાલતાં આવા સેન્ટરો અંગત રીતે માનવતાનું કામ પણ કરી રહ્યા હોય છે.
વૃઘ્ઘવસ્થા એક એવી બીમારી છે જે દરેકને આવીને વળગવાની છે “આજે મારો વારો તો કાલે તારો વારો ” જેવું છે. આથી કોઈ પણ વૃદ્ધની લાચારીને જોઈ આડી આંખ કરવાને બદલે તેમને અને તેમની જરુરીઆતને સમજ્વાનો પ્રયત્ન કરવો જોઈએ. વડીલો તેમની ઢળતી ઉંમરે હૂંફ અને સમય માગે છે. છતાં પણ એમ લાગે કે આપણે આટલું નથી કરી શકતા ત્યારે અસહાયતા અનુભવતા વૃધ્ધો માટે આવા ડેકેર સેન્ટર કે નર્સિગહોમ કેર મંદિર સમા બની જાય છે. લોક શું કહેશે તે ભૂલીને તેમને ત્યાં જવાની પ્રેરણા આપવી જરૂરી બને છે. જેથી તેઓ તેમની આ અવસ્થાને સુખમય જીવી શકે.
જે સંતાનો માટે પોતાની જરૂરીયાતને સિમિત રાખીને સંતાનોને કોઇ ઉણપ દેખાવા દીધી ના હોય એવાં માતા પિતા માટે તેમની પાછલી ઉમરમાં અવહેલના કરે છે ત્યારે પારિવારીક મુલ્યોનું અવમુલ્યન ચોક્ક્સ થાય છે અને માનવતાને એક ડાધ ચોક્ક્સ લાગે છે.
રેખા વિનોદ પટેલ(યુએસએ)

 

 

” વિશ્વાસ,મૈત્રીભાવ અને માફીભાવ” સુખી લગ્નજીવનની મહત્વની ચાવીઓ.

“લગ્નજીવનના રથની લગામ માત્ર પતિપત્નીના હાથમાં રહેલી હોય છે”
પતિ પત્ની વચ્ચે જો મૈત્રીભાવ હશે તો તેમના પ્રેમની મીઠાશ અવશ્ય સચવાઈ જશે. કારણ ત્યાં પરસ્પર સમજુતી સાથે હિતની ભાવના હશે, જ્યાં સારા ખોટાનું અને માન અપમાનનું ચલણ નહીવત રહેશે.
પછીનો ક્રમ છે વિશ્વાસ. અહી એકબીજાની આઝાદીને ઘ્યાનમાં રાખવામાં આવે તો પ્રેમ સાથે વિશ્વાસ પણ આપોઆપ સચવાઈ જાય છે, પ્રિય પાત્રનું અહિત સહુ પ્રથમ મારું અહિત બનશે નો જો ભાવ જો મનમાં હશે તો ત્યાં પ્રેમ હંમેશા સલામત રહેશે. એક બીજાને મનની વાત કરતા પહેલા સામે વાળા નું મન વાંચવું પણ અત્યંત જરુર્રી છે.

વિશ્વાસ મૂકી ખુલ્લા થતા પહેલા જાણી લેવું જોઈએ કે સાથી આ વાતને સમજવા કે પચાવી શકવા તૈયાર છે કે નહિ? સમય અને સ્થાન જોઈ અંગત વાતો કહેવી જોઈએ ક્યારેક ઉતાવળે કહેવાએલી વાત મૂળ મુદ્દો છોડીને કોઈ અલગ સ્વરૂપ લઇ શકે છે.
સીમા અને રાજનાં લગ્નજીવન ની પહેલી રાત્રે બંને ભાવુક હતા, સીમાનો હાથ હાથમાં લઇ રાજે સીમાને કહ્યું ” સીમા આજથી આપણે પતિપત્ની સાથે સાથે અંગત મિત્રો પણ બનીશું ,તો તું મને એક દોસ્ત માની તારા મનની દરેક વાત જણાવી શકે છે. હું તારા ભૂતકાળ થી અજાણ્યો છું તો તે બાબતે તું અને ખુલ્લા મને કહી શકે છે.”
અને લાગણીવશ સીમાએ તેના એક ખાસ મિત્ર હર્ષ વિશે વાતો કરી. અને બસ પ્રથમ દિવસ થી રાજના મનમાં સીમા પ્રત્યે એક શંકાનું બીજ રોપાઈ જાય છે જેને દુર કરવામાં સીમાના કેટલાય વર્ષો નીકળી ગયા.
પરંતુ આજ વાત જો સીમાએ સમયને અંતરે વાતો વાતોમાં રાજને જણાવી હોત તો શક્ય છે તે પણ હર્ષને પોતાનો મિત્ર બનાવી શક્યો હોત.

લગ્ન પછી ઘર એક મંદિર છે જ્યાં પ્રેમ અને સમર્પણ એનું આંગણ છે. અહી વિચાર ભેદ ભલે થાય પણ મન ભેદ ક્યારેય ના થવો જોઈએ નહીતર કોઈ પણ સમસ્યા નો સાચો ઉકેલ નહિ મળે અને સંસાર રથનું એક પૈડું ખોરવાઈ જતા આ ખોડંગાતો રથ યોગ્ય દિશામાં આગળ નહિ વધી શકે.

પતિપત્ની હંમેશા એકબીજાની સાથે રહેતા હોવાથી તેમને એકબીજાની કમજોરીઓ નો ખ્યાલ આવી જતો હોય છે. સાથે રહેતી બે અલગઅલગ સોચ ઘરાવતી વ્યક્તિઓના મત પરસ્પર ક્યારેક તો ટકરાય છે. આવી પરિસ્થિતિ માં દોષારોપણ ને બદલે જો સહેજ કુનેહ થી કામ લેવાય તો ગમે તેટલી વિષમ સ્થિતિ માં પણ સહેલાઈ થી બહાર નીકળી શકાય છે. આવા વખતે એક બીજા સામે આંગળી ચિંધ્યા વિના પોતપોતાની ભૂલને જો નમ્રપણે સ્વીકારી લેવામાં આવે તો સંવાદોની ગમેતેવી ઉગ્રતાને ઝડપથી સંકેલી લેવાય છે. અને ભૂલો ભૂલીને માફ કરવાની સરળતા આ સબંધ સિવાય બીજે ક્યાંય જોવા નહિ મળે. લગ્નજીવનની મઘુરતા સદાને માટે જળવાઈ રહે એ માટે આ ત્રીજો માફીભાવ ખાસ મહત્વનો છે જો ખોટા અહં નો ત્યાગ કરવામાં આવે તો સબંધોની મધુરતા જળવાઈ રહે છે.

દાંપત્યજીવનમાં નાનો મોટો ટકરાવ તો સ્વાભાવિક બને છે. કોઈ કારણોસર એવી પરિસ્થિતિ આવે છે કે પતિ પત્ની બે માંથી એકની વ્યસ્તતા બીજાની અકળામણ નું કારણ બની જાય, ત્યારે પોતાની સ્થિતિને એક તરફ મૂકી સામેવાળાની પરિસ્થિતિને શાંતિથી વિચારવી જોઈએ.

તરું અને સચિનના લગ્નને પાંચ વર્ષ થયા હતા. તરું તેના માતા પિતાની એકનું એક સંતાન હતી. તેની માતાને આવી પડેલી માંદગીને કારણે છેલ્લા કેટલાક વખતથી તે સાસરી અને પિયર વચમાં વહેચાઈને જીવતી હતી. પરિણામે તે સચિનને પુરતો સમય આપી શકતી નહોતી. શરૂમાં સચિનને આ વાતનો ગુસ્સો રહેતો અને થોડો સમય મનમોટાવ પણ રહ્યો. તરું બીમાર માને એકલા છોડી શકે તેમ નહોતી. આવી પરિસ્થિતિમાં તે ચુપ રહેતી.
છેવટે સચિનને આ વાત વિશેની ગંભીરતા અને સાચી સમજ તેની મમ્મી એ આપી કે “દીકરી હોય કે દીકરો બંને માટે માની જગ્યા અને પ્રાયોટીરી કાયમ સરખી રહેવાની.” છેવટે સચિન આખી વાતને સમજી ગયો અને તરુને બધીજ રીતે સાથ આપ્યો પરિણામે તેમના સંસારબાગની મધુરતા કાયમને માટે સચવાઈ ગઈ.

સાથી ઉપર આક્ષેપો કરવાને બદલે તેની પરેશાની સમજી અને તેમાં જો સાથ આપવામાં આવે તો વિશ્વાસ એમની દોર વધુ મજબુત બને છે. અને છેલ્લી સ્થિતિમાં તેમને શારીરિક અને માનસિક રીતે ” દો જિસ્મ એક જાન ” કહી શકાય છે.

રેખા વિનોદ પટેલ (વિનોદિની )
ડેલાવર

 

જો દર્પણમાં ચહેરો સમાય તો માણસ માણસ લાગે

જો દર્પણમાં ચહેરો સમાય તો માણસ માણસ લાગે
જો ડૂબતાનો હાથ ઝલાય તો માણસ માણસ લાગે

બહુ ઝાઝો ફરક નથી થોર અને સુકા બાવળ વચમાં
જો હથેળીએ છાયો અપાય તો માણસ માણસ લાગે

ઘૂઘવતો સાગર અને ઝાંઝવાના નીર અહી સરખા છે
તરસ્યાને જઈ પાણી પવાય તો માણસ માણસ લાગે

નવાઈ શું ! કરવતથી ભલભલાના માથા વધેરાય છે
સોય બનીને જીવ બચાવાય તો માણસ માણસ લાગે

ગીઘ દ્રષ્ટી અને ચાણક્ય બુધ્ધીથી યશ મળે જગમાં
એક દીવાનો સમજદાર થાય તો માણસ માણસ લાગે

રેખા પટેલ (વિનોદિની)

 

એજ બંધન નિશ્ચિત છે.

અછાંદસ:
ઠરી ગયેલા
તળાવ કિનારે
આ મહુડાનું ઝાડ
નશાખોરી ના ઈલ્જામે
બંધક હતું.
તેને છોડવા પાનખરે
ધરણાં આદર્યા.
પાનેપાન ગીરવે મુક્યા
છેવટે
મુક્તિનો આદેશ મળ્યો.
એ જાણી તળાવ હસ્યું
વસંતે ડોકું કાઢયું
ને મહુડો ફરી ખિલ્યો.
ભૂલી ગયો
ફરી તેને,
એજ બંધન નિશ્ચિત છે.
રેખા પટેલ ( વિનોદિની)

 
 

ગોરી તારૂ વાસંતી વૈભવશું રૂપ, મને કુંડા રંગોના ગણાવે છે

વસંતનું કાવ્ય : વાસંતી …

ગોરી તારૂ વાસંતી વૈભવશું રૂપ, મને કુંડા રંગોના ગણાવે છે
ઓલા ઘેરદાર ઘાઘરામાં કેસૂડાની છાંટ,કેસરી રંગે રંગાવે છે

આ ગુલાબી સૌરભને પામવા, ઉપવન આખુય ટોળે મળે છે.
નશીલા નયનોમાં કેફ છે ભરેલા,એ ડાયરા વસંતનાં ભરાવે છે

મોધી મિરાત મારા દીલમા ભરી ને, મૌસમની હેલી મુંઝાવે છે
ગુલમહોરી સપનાનો લાલચટ્ટ રંગ, જે ઝાટકા હૈયે લગાડે છે

ઘેલી બની પ્રીત રંગે ચડી, લીલીછમ લાગણીઓ ભેગી ભળી છે
આછેરી યાદ જ્યાં તારી ભળે ત્યાં મન અબીલ ગુલાલ ઉડાડે છે.

સોનેરી સાંજને સરોવર કિનારે તારે હાથમાં હાથ દઈ ચાલવું છે.
જીવતર મહી મળે તારો સથવારો તો રંગો ઉજાણી કરાવે છે

રેખા પટેલ(વિનોદિની)

 

બરફ યુગનો અંત આવ્યો.

મૌનના
બરફ યુગનો અંત આવ્યો.
એ પછી
પહેલી વહેલી,
અમીબા જેવી યાદ જન્મી.
જે
અનંત આકારો બદલતી
વળગી રહી.
એને દુર કરવા કટકા કર્યા
દરેક કટકે
નવો ફણગો ફૂટતો રહ્યો.
ને એ યાદ
જડ નાખતી રહી.

રેખા પટેલ ( વિનોદિની)