RSS

Monthly Archives: October 2015

આભાર , સાવ સરળ લાગતો આ શબ્દ હકીકતમાં બહુ ભારે છે ,

આભાર , સાવ સરળ લાગતો આ શબ્દ હકીકતમાં બહુ ભારે છે , કારણ સાચી લાગણીઓનાં બદલામાં પાછા અપાતા આ શબ્દમાં વજન ઘણું વધી જતું હોય છે . “આ ભારને” હું આભાર માનતા નમ્રતાથી પાછું વાળવાનો એક પ્રયાસ કરું છું.

સાચુ કહું તો અહીં ફેસબુકમાં આવીને મેં ખરેખર ઘણું અચીવ કર્યું છે, મારી પ્રગતિ થઈ તેનાથી વધારે મને એટલો બધો પ્રેમ મને અહી આવીને મળ્યો કે જેની મને કલ્પના પણ નહોતી , આજે આટલી બધી “બર્થડે વીશીસ” મળતા હું મારી જાતને ઘન્ય અનુભવું છું , આપ સહુનો આભાર માત્ર શબ્દોથી માનું તે પુરતું નથી છતાં પણ દિલ થી થેક્યું કહી ફૂલ નહિ તો ફૂલની પાંખડી અર્પું છું .

અહીં ફેસબુકમાં આવવાનો મારો આશય માત્ર જુના મિત્રોને મળવાનો અને મારો સમય પસાર કરવા માટેનો હતો બધાને લખતા જોઇને મને આવડે એ રીતે શબ્દો સાથે રમત કરી થોડી ઘણી કવિતાઓ રચતી હતી..ધીરે ધીરે કવિતાની આગળ વધીને મનની વાતો અને સંવેદના પર લખવાની શરૂઆત કરી..અને એ બધુ ફેસબુકની નોટ્સમાં મુકીને શેર કરતી હતી..એ પછી મારો હાથ લેખન પર બેસતો ગયો અને વાર્તાની શરૂવાત કરી..
બસ પછી લેખનકાર્ય પર મને સારી ફાવટ આવી ગઇ ,તો લેખનક્ષેત્રમાં જ આગળ વધવાનું નક્કી કર્યું …કારણકે લેખન એવી પ્રવૃતિ છે મન,મગજ અને આત્માને પરિશુધ્ધ આંનદ આપે છે.

જોકે આ કામ મારૂ નિંજાનંદલક્ષી હતું પરંતુ આપ સહુના સાથ સહકાર પછી લાગ્યું કે તેને દુનિયા સમક્ષ મુકવું જોઈએ ,કહેતા જરાય અતિશયોક્તિ નથી કે આ બધું આપ સહુ મિત્રોના સાથ વિના અશક્ય રહ્યું હોત. આજે મારું એક ચોક્કસ સ્થાન બની રહ્યું છે તેના માટે હું આપની આભારી છું . મે લખેલી ઘણી બધી ટુંકી વાર્તાઓનો એક સંગ્રહ પુસ્તક રૂપે પ્રગટ કરવા માંગુ છુ…અને ટુક સમયમાં પુસ્તક દિવાળી પછી મારું પુસ્તક બહાર પડશે ” ટહુકાનો આકાર ” અને આશા નહિ પણ વિશ્વાસ છે કે તેમાં પણ તમારા બધાનો મને સંપૂર્ણ સહકાર મળવાનો છે.

આ તો થઈ મારી એકલીની વાત.. પણ હું મારું મંતવ્ય જણાવું તો દરેક વ્યક્તિની અંદર એક અલગ કલાકાર જીવતો હોય છે ,જિંદગીમાં મોટે ભાગે એક એવો અવસર આવે છે જે અંદર છુપાયેલી કલાને બહાર કાઢવા માટે નિમિત બને છે..અને એ પછી બસ એ કલાને ઉત્સાહથી બહાર કાઢવાની જરૂર છે..શરૂઆતમાં ભલે થોડી જહેમત ઉઠાવવી પડે.એ પછી જુઓ તમને કેટલું આંતરિક સુખ મળે છે!!!

આમ જુઓ તો વ્યક્તિત્વને ખીલાવવા માટે કોઈ ઉંમરબાધ નડતો નથી.. ભારપૂર્વક કહુ છુ કે દરેક વ્યક્તિએ પોતાનું આંતરિક વ્યક્તિત્વ ખીલવીને અંદરથી સમૃદ્ધ થવું જોઈએ!
દરેક ઉત્તમ સર્જક પોતાની આગવી સૂઝ અને પ્રતિભા ઘરાવે છે..અને જો વ્યક્તિમાં પાકી નૈતિક સમજ અને જીવન પ્રત્યેનો હકારાત્મક અભિગમ હોય તો તે સાચી કળા ખીલવી શકે છે

ભારપૂર્વક કહુ છુ કે દરેક ચાલીસ વર્ષ પછીની વ્યક્તિએ પોતાને ગમતી કોઈ પણ પ્રવૃતિને જીવનનો એક ભાગ બનાવી લેવી જોઈએ , હું આ ખાસ ઉંમરની વાત કરું છું કારણકે આ ચાલીસ પછીની ઉંમરનો પડાવ એક એવી અવસ્થા છે.. જો તમે નવરા બેસીને અને નવરા મગજ સાથે રહેશો તો જલ્દી વૃઘ્ઘવસ્થાની નજીક પહોંચી જશો ,આ સમયે તમારા સંતાનો ઉડવાને થનગનતા હોય છે..જેમને પોતાની પ્રગતિ માટે તમારી માટે સ્થિર રહેવાને સમય નથી અને ના એવી કોઇ જરૂર છે. કારણકે સંતાનોની પ્રગતિમાં આપણે માં-બાપ અવરોધ બનવા માંગતા નથી.

આ આપણા બધાની એકજ સરખી વ્યથાની વાત છે , બચ્ચા મોટા થતા ઉડવાના જ છે આ અફર નિયમ છે . આવા સમયે કોઈ પણ પ્રવૃત્તિ હોય તો પરોવાએલું રહે કારણ સહુ જાણે છે કે “ખાલી મન શેતાનનું કારખાનું ” છે

હા જો તમે કામ કરતા હો કે પોતાનો ધંધો કરતા હો તો અલગ વાત છે. પણ જે સામાન્ય ગૃહિણી છે જેને મોટે ભાગે ‘હાઉસવાઇફ’ જેવું રૂપકડુ નામ આપવામા આવ્યુ છે..આ ગૃહિણીએ એની જિંદગીના સોનેરી કહી શકાય એવા પાછલા ૨૦ કે ૨૫ વર્ષ આ ઘરના માળાને અકબંધ રાખવામાં,અને પરિવારને હૂફ આપવામાં અને પરિવારની એકતા ટકાવી રાખવા વિતાવ્યા હશે..એવી ગૃહિણીઓ માટે આ સમય તકલીફદાયક બની રહે છે. અને વધારામાં એનાંમાં આવતો માનસિક અને શારિરીક બદલાવ એના માનસિક સંતુલનને પણ ડામાડોળ કરી નાખે છે …

આ વાત ફક્ત સ્રીઓને જ લાગુ પડે એવુ પણ નથી. ચાલીસી વટાવ્યા પછી પુરુષોને પણ આવી કેટલીક સમસ્યાઓ સતાવે છે.
કારણકે પુરુષો પોતાની યુવાનીમાં જીવનનો એક મહત્વનો હિસ્સો કુટુંબના જીવન નીર્વાહને સરળતાથી આગળ ચલાવવામાં વપરાઈ ગયો હોય છે. ત્યારે ઘણી બધી જવાબદારીમાંથી મુકત થયેલા પુરુષ માટે થોડી રાહત અને શાંતિનો માર્ગ ખુલ્લો થાય છે. કારણકે આ સમયે સંતાનો મોટા થઇ ગયા હોય છે ત્યારે એને સમજાય છે કે જુવાનીની છલકાતી મૌસમ પાનખરી પત્તાની માફક પીળાશ પકડવા લાગી છે.

તેમની જીવનસંગીની જે લગ્ન પછીના શરુવાતના દિવસોમાં તેમનો પડ્યો બોલ ઝીલતી હોય છે તેજ હવે તેની ઉંમરના આ પડાવે શારીરિક માનસિક રીતે કંઈક અંશે બદલાવ લાવે છે જેના કારણે થોડી અતડી કે ચીડચીડી બની જતી હોય છે…જોકે બધા યુગલોને આ સમસ્યા નડતી હોય એવું જરૂરી પણ નથી. જ્યારે પુરુષનું ચિત્ત ડામાડોળ બની જાય છે,ત્યારે પુરુષગત સ્વભાવને વશ થઇ બહાર બીજી સ્ત્રી કે બીજા કોઈ ખોટા માર્ગે ચડી જાય છે , થોડુંક ફ્લર્ટિંગ કરતો પણ થઇ જાય છે જેના કારણે ઘરમાં અને સમાજમાં તેનું માન ભંગ થવાની ભીતિ વધી જાય છે.

આવા સમયે જો ચાલીસી પછી કોઇ શોખ કે અન્ય એક્ટીવિટીમાં ડુબી જશો તો તમને આગળ વધવામાં મદદરૂપ થાય છે. તમારી અંદરના કલાકાર જીવને બહાર લાવવાથી માનસીક પ્રગતિ પણ થાય છે અને જિંદગીમાં એક પ્રિમિયમ કવોલિટીના આંનદની અવધિ શરૂ થાય છે..

જીવનમાં ફેરફાર કરવો જરૂરી છે. પણ હા ! ચાળીસ એટલે જીવન સીરીયસ કરવાની જરૂર નથી. બસ ફક્ત થોડાક ઠેહરાવની જરૂર છે બાકી તો જિંદગી જેમ જીવતાં હોવ એમ જ જીવી શકાય છે. આપણી અંદર રહેલા બાળકને ક્યારેય મારવાના દો , તેની જીવંતતા એજ જીવનની સાચી ખુશી છે

તરબત્તર આંનંદમાં અને રોનકમય રહેવું એ જિંદગીનું સાચુ અભિવાદન છે..પોઝિટીવનેસ હોય તો કશુ અશક્ય નથી. માટે મિત્ર વર્તુળ પણ એવું જોઇએ જે તમારામાં રહેલી કલા અને પોઝિટીવનેશને સતત પ્રોત્સાહન આપતા રહે. જે તમારી ભાવનાઓને સમજે તમારી પ્રગતિ જોઈ ખુશ થાય . આ તબક્કે હું મારી જાતને ભાગ્યશાળી સમજુ છું . ફરી એક વખત આભાર સાથે આજની પોસ્ટને વિરામ આપું છું.

કરો દિલથી યત્ન પછી જુવો મજાનો એ રસ્તો મળે છે,
તહી સામે ચાલી તમારી ગમતી જગાનો નકશો મળે
રેખા પટેલ ( વિનોદિની )

 

મારો જન્મદિવસ

re

આજે મારો જન્મદિવસ છે Birthday cake Party popper 😀
જે મારી માટે વિશેષ પ્રાર્થનાનો અને સંકલ્પનો દિવસ છે. આપ સર્વેની શુભેચ્છાઓ ને હું આપની પરવાનગી વિના સાથે જોડી લઉં છું …..

કહેવાય છે જન્મ અને મરણ બંને ઉપરવાળાના હાથમાં છે , એના ચક્રને ફેરવવાની તાકાત કોઈનામાં નથી.. માટેજ ઘરડાં કહી ગયા છે ” ન જાણ્યું જાનકી નાથે સવારે શું થવાનું છે ”  હું માનું છું જો આ જીવનચક્રમાં પ્રેમ અને સંતોષ રૂપી તેલ પુરવામાં આવશે તો આ ચક્ર સરળતાથી ચાલતું રહેશે.

આજે માં જગદંબાના પવિત્ર નોરતાનો પહેલો દિવસ છે ..એના ચરણોમાં શિશ નમાવી હું આટલું માગું છું  ..

શક્તિ દેનારી જગદંબા મા આજ માગું એટલું દેજે,
હું ,પાયે લાગુ વારંવાર મા મુજ હ્રદય મહી રહેજે.

નિષ્ફળતા ની કરી નિસરણી હું સફળતાને આંબુ,
આજના દિવસે,હે ભવાની મને શક્તિ આટલી દેજે.

કુટિલતાથી દુર રહી બની રહું વિનમ્ર એટલું યાચું,
મળતો રહે સર્વ નો મૈત્રીભાવ મને તું એવું હૈયું દેજે.

રહે મસ્તીમાં મન મારું નાં છાંટોય અભિમાન ચડે,
માન ઘન તે ખુબ આપ્યું, ખૂટે પ્રેમ સંતોષ તો દેજે.

જીવન મારું હોય ભલે ટુકું ,નાં કોઈ અફસોસ રહે
ગયા પછી કરે સહુ મીઠી વાત આટલું ચારિત્ર દેજે.

            રેખા પટેલ ( વિનોદિની )

 

“સજા બની બ્રેન યોગાની સારવાર”

p

વ્હાલા દાદુ પ્રણામ ,
દાદુ ,તમારું પ્રાણાયમ કેમ ચાલે છે ? તમને પણ જાણીને આનંદ થશે કે તમારા શીખવ્યા પ્રમાણે  હું પણ અહી સમય મળે ત્યારે યોગા અચૂક કરી લઉં છું ,અને સાથે સાથે તમને યાદ પણ કરું છું , કારણ તમે નાનપણ થી અમને પ્રાણાયામ નાં ફાયદા ગણાવતા હતા જેમાં તમે અચૂક કહેતા કે દીકરા પ્રાણાયામ કરવા થી બુદ્ધિ શક્તિ સતેજ થાય છે વિચારોમાં સ્થિરતા આવે છે અને તેના પરિણામે તું સરસ રીતે એકાગ્ર ચિત્તે વાંચી શકીશ.

અમે નાના હતા ત્યાર થી તમે અમને કહેતા “દીકરા અઠવાડીયે એક ઉપવાસ જરૂર કરો , આ  શરીર સાથે હૃદય શુદ્ધિ માટેનું એક આધ્યાત્મિક સાધન છે ” આત્મિક કેળવણી,માટે  સવારમાં શાંતિ પાઠ જરૂરી છે તેજ રીતે શરીરની કેળવણી માટે શરીરની કસરત જરૂરી છે ,હા જેને આજે અમે યોગા કહીયે છીએ.
ત્યારે તો તમારી વાત અમે રમતમાં લઇ લેતા છતાં તમારી ઈચ્છાને માન આપી તમે શીખવતા તેમ કરતા હતા.  પણ આજે તે વાત વૈજ્ઞાનિક રીતે સત્ય પણ પુરવાર થઈ છે . અહી અમેરિકામાં આવતી ન્યુઝ ચેનલ CBS ઉપર હમણા આવેલા ન્યુઝ પ્રમાણે હું તમને જણાવું તો હાલ બ્રેન યોગા બહુ પ્રચલિત થયા છે જેમાં જેમાં જમણા હાથને ડાબા કાનની બુટ અને ડાબા હાથને જમણા કાનની બુટ ને પકડીને ઉભડક ઉઠબેસ કરવાની હોય છે. આ યોગા એકસરસાઈઝ રોજ 3 મિનીટ કરવાની છે .
હા પહેલા તો આજોઈ મને હસવું આવી ગયું કે અમે જ્યારે નાના હતા ત્યારે પ્રાથમિક શાળામાં ટીચર અમને કોઈ પણ ખોટા કામ કે તોફાનના બદલામાં આવીજ શિક્ષા કરતા હતા જેને આપણે કાન પકડીને ઉઠબેસ કરવાની સજા કહેતા હતા .  પછી તેના ફાયદા વિસ્તાર થી સમજ્યા સાંભળ્યા ત્યારે તે વખતે  શિક્ષકો સાથે તમને યાદ કર્યા .દાદુ ,આ એકસરસાઈઝ ને બ્રેન યોગા નામ આપવામાં આવ્યું છે. ન્યુરો મેડિલક હોસ્પિટલ ,ઓક્યુપેશનલ થેરાપીસ્ટ , સ્કૂલમાં અને ઓટીઝમ ની સારવાર અપાતા બાળકો ઉપર સારવાર તરીકે હવે આ બ્રેન યોગાનો ઉપયોગ કરાવાય છે . તેઓનું કહેવું છે કે આના કારણે પેશન્ટની યાદ શક્તિમાં નોધપાત્ર વધારો જોવા મળે છે ,કાયમ કરતા આ યોગાને કારણે અલ્ઝાઈમર જેવી લાઈલાજ બ્રેઈનની બીમારી થી દુર રહી શકાય છે.  પહેલી નજરે જે વાત જોઈ વીચારી હસવું આવે છે કે જુના વખતમાં ગણાતી સજા આજે સારવાર બનીને સામે આવી છે.

“યોગ ધર્મ,અને અંધવિશ્વાસથી ઉપર એક સરળ વિજ્ઞાન અને પ્રાયોગિક વિજ્ઞાન છે. આ અમીર ગરીબ, વૃદ્ધ- યુવાન દરેકને પરવડી શકે તેમ છે બસ આની માટે માત્ર થોડા સમયની જરૂરીયાત છે.  “
યોગથી ઘણા ફાયદા થાય છે આ વાત હવે પશ્ચિમના દેશો પણ સ્વીકારે છે જેના પરિણામે તાજેતરમાં યુનો  એ દર વર્ષે ૨૭ સપ્‍ટેમ્‍બરે ને આંતરરાષ્‍ટ્રીય યોગ દિવસ ‘ જાહેર કરવામાં આવ્યો છે.
આવે તે માટે ‘ યુનો’ માં ભારત તરફથી પહેલ કરવામાં આવી હતી અને ધીરેધીરે વિશ્વના મોટાભાગના દેશોએ તેને સમર્થન આપ્‍યું હતું.જે આપણી માટે ગર્વની વાત છે. યોગ એક એવી વ્‍યાયામ પદ્ધતિ છે,માટે સાધનોની જરૂર પડતી નથી કે વધારાનો કોઈ ખર્ચ માથે પડતો નથી. અને થતા કાયમી ફાયદાને કારણે હવે સમાજમાં યોગને જીવનનો ભાગ બનાવનાર ની સંખ્‍યા નિયમિત રીતે વધી રહી છે. અત્યારે અમેરિકામાં ઠેરઠેર યોગા કલાસીસ ચલાવાય છે અને ઘાર્યા કરતા આવા ક્લાસીસને બહુ રીસ્પોસ મળવા લાગ્યો છે ,જે બતાવે છે કે આપણું હજારો વર્ષ જુનું આ યોગ વિજ્ઞાન ઘણું અસરકારક હતું
આજની  દોડધામ ભર્યા જીવનમાં સહુને યુગમાં સવારથી સાંજ સુધી ચિંતા ટેન્શન રહેતી હોય છે પરિણામે શારીરિક અને માનસિક બિમારીઓ થઈ જાય છે. આવા સમયમાં સમય મળે જો માં થોડીક યૌગીક ક્રિયાઓ જેમકે , પ્રાણાયમ, ડીપ બ્રિધીંગ, સવાસન, હાસ્ય યોગા કે થોડા પદ્ધતિસર યોગાના સ્ટ્રેચિંગ આસન કરવામાં આવે તો શરીર સાથે મન પણ પ્રફુલ્લિત રહે છે.  વધારે ખુશી થશે કે હવે અહી અમેરિકામાં પ્રાઈવેટ પ્રી-સ્કૂલ અને સ્કૂલમાં સ્પેશ્યલ યોગા ક્લાસ શરુ કરાવાય છે , જ્યાં બાળકોને નાનપણ થી સ્વસ્થ મન અને તન રાખતા શીખવવામાં આવે છે . આને કારણે આવી સ્કુલોમાં આવનાર બાળકોની સંખ્યા ઉત્તરો ઉત્તર વધતી રહે છે. હવે પ્રેગનેન્ટ વુમનને પણ યોગા સેન્ટરમાં ખાસ યોગા કરાવાય છે જેને કારણે મા અને આવનાર બાળક બંને તંદુરસ્ત રહે .
 સવારમાં કરવામાં આવતું “અનુલોમ વિલોમ” જે  ઘણા બધા શારીરિક અને માનસીક રોગોને કંટ્રોલમાં લાવી શકે છે ,મારી સહુથી પ્રિય યોગ ક્રિયા છે ,હાસ્ય યોગ જે સાવ સહજ અને બાળક જેવી સરળ પ્રક્રિયા છે. આને માટે દિવસ દરમિયાન ઓછામાં ઓછુ એક વખત દિલ ખોલીને મુક્ત મને હસવું પડે છે , આમ કરવાથી દિવસભરની ચિંતા તણાવ અને દૂર થઈ જાય છે. બસ તો દાદુ હું હવે રજા લઈશ ફરીથી તમને ગાંધી જયંતીની શુભકામના  …….  નેહાના પ્રણામ સ્વીકારજો
રેખા વિનોદ પટેલ, (યુએસએ )
 

માણસ જઈ પહોંચ્યો ચાંદ સુધી

માણસ જઈ પહોંચ્યો ચાંદ સુધી,ના પહોંચ્યો માણસ ના મન સુધી.
આંખ અને અંતર મહી ચાલતું ઘણું, ના જાણી શક્યો આજ સુધી.
રેખા પટેલ ( વિનોદિની)

 

अब भी वो महक बाकी क्यों है?

आज अरसे बाद,
पुरानी ख्वाहिश की,
गलियों से गुजरा.
पैर रखते ही गलीमें
सामना हुआ,
बीते मौसम का.
हवा सर्द थी,
मेने यादोकी चादर लपेट ली.
सामने आई
अजब खामोशी,
मेने घड़कनों का शोर बढ़ा दिया.
बस थोड़ी देर चला,
पुराना किस्सा मिल गया
दो पल को साँसे रुक सी गयी
वहीं दिलको तसल्ली मिलने आई
बड़े प्यार से बोली,
पुराने किस्सेमें यही होता है प्यारे.
में सोचमें पड गया !
हा ! वो किस्सा तो पुराना था.
फिर भी हवाओ में.
अब भी वो महक बाकी क्यों है?
रेखा पटेल (विनोदिनी)

 

દુઃખ પચાવી લેવાની શીખવા જેવી કળા”

l

પ્રિય મોના  ,
બહેન આજે તારો પત્ર મળ્યો જાણીને બહુ દુઃખ થયું કે તારી બાને કેન્સર છે . બહેન સાંભળતા જ નવાઈ લાગે છે કે 80 વર્ષના બાને સ્તન કેન્સર થાય ? તું મને પત્રમાં પૂછે છે કે બા સામાન્ય રીતે હેલ્ધી દેખાતા હતા વધારામાં તેમને કોઈ કુટેવ પણ નહોતી તો આમ થવાનું કારણ શું ?
હા નવાઈની વાત તો છે જ ! કારણ બધા કહેતા હોય છે કે આપણો ખોરાક હવે પહેલા જેવો હેલ્ધી નથી રહ્યો તેમાય આપણી બહારના ખોરાક અને પીણા ને કારણે આવા રોગોને સામે ચાલીને નોતરું દેતા હોઈએ છીએ. જ્યારે બા તો કદી બહારનું જમતાં જ નહોતા અને ખોરાકમાં પણ સાવ સાદું જમણ લેતા છતાં પણ આવો રોગ થાય ત્યારે નવાઈ જરૂર લાગે છે .
તને હું અહી હમણાજ બનેલી એક દુઃખદ ઘટના જણાવું તો તે સાંભળી કદાચ તારા દુઃખી મનને રાહત મળે . આપણે કહીએ છીએ કે જે આવ્યું છે તે જવાનું છે ,કારણ આપણું શરીર કાયમી નથી વાત સાવ સાચી છે પણ જ્યારે નાની ઉમરની વ્યક્તિનો અણધાર્યો અંત આવે ત્યારે વધારે પડતું દુઃખ થઈ આવે છે.

મારી ઓળખાણમાં એક દીકરી હતી રૂપલ , નામ પ્રમાણે તન અને મનથી રૂપાળી હતી , અમે સાથે વેકેશનમાં ગયા હતા ત્યારે તેને અચાનક બેકમાં દુઃખાવો ઉપાડયો અને ત્યાંજ કમરના છેલ્લા મણકામાં ક્રેક પડી ગઈ. ત્યાંથી તરત તેને હોસ્પીટલમાં દાખલ કરાઈ અને નિદાન થયું તેને લાસ્ટ સ્ટેજનું બોન કેન્સર છે.  દુઃખની વાત એ હતીકે તેની ઉંમર 36 વર્ષ હતી અને તેને  6 અને 3 વર્ષની બે દીકરીઓ છે .

સાંભળનારા બધા દુઃખી હતા ,કારણ ડોકટરે રૂપલને કહી દીધું હતું કે તારી પાસે ગણત્રી નાં જ દિવસો છે. હોસ્પીટલમાં આવ્યા પછી તે ઘરે જવા પણ પામી નહોતી અને 28 દિવસમાં તે દુનિયા છોડી ગઈ.
હવે તને જે લખું છું તે વાતને સમજવા ટ્રાય કરજે …. આટલી યુવાન સપનાઓ થી ભરેલી છોકરીને જ્યારે ખબર પડે કે તેની પાસે હવે આઠ દસ દિવસ પણ બચ્યા નથી ત્યારે તેની શું હાલત હશે ! છતાં પણ તેની આંખોમાં એક પણ આંસુનું ટીપું નહોતું દેખાતું, તે હંમેશા કહેતી કે બસ આટલું આયુષ્ય હું લખાવીને લાવી હશું , નાતો તેને દીકરીઓની ચિંતા હતી ના પ્રેમાળ  હસબંડ ની કારણ તે છેવટ સુધી કહેતી રહી કે મને મારા બંને તરફના ફેમીલી મેમ્બર ઉપર પૂરો વિશ્વાસ છે અને છેવટ સુધી તે મોત સામે હસતા મ્હોએ લડતી રહી.
મોના એક વાત મને સમજાતી નથી જયારે કોઈ કહે છે કે “જેની અહી જરૂર છે તેની ઉપર વાળાને પણ બહુ જરૂર છે ” આ વાત મને અહી જરા પણ સાચી લાગતી નથી , કારણકે માની જરૂરીયાત  નાની દીકરીઓને ઉપરવાળા કરતા વધુ હોય છે, અને ઉપરવાળો કોઈ આત્માને સંઘરતો નથી તો શા કારણે તે આટલી યુવાન વયના ઓને આવું અકાળે મોત આપતો હશે “?
ખેર આ વાત મોટા યોગીઓ નથી સમજી શક્યા તો તારું અને મારું શું ગજું . પણ બહેન દુઃખને રડ્યા કરતા તેને પચાવી લેવાની કળા શીખવા જેવી છે ,રૂપલને છેવટ સુધી આમ મક્કમ જોઈ તેના પરીવાર જનોને પણ હિમત મળી હતી . તું પણ બાને છેવટ સુધી ખુશ રાખવા પ્રયત્ન કરજે.
તને કેન્સર થવાના મુખ્ય કારણ વિષે ટુકમાં જણાવું તો આપણા શરીરમાં આવેલા અસંખ્ય કોષોની વૃદ્ધિ દિનપ્રતિદિન થતી રહે છે નવા બને છે સામે જુના મરતા રહે છે .  હવે જ્યારે આ પ્રક્રિયા ખોરવાઈ જાય છે ત્યારે નવા કોષોનાં સર્જાવા સાથે નાશ પામવાનું નિયંત્રણ ખોરવાઈ જાય છે .વધારે પડતા બની રહેલા કોષો ને કારણે શરીરની પેશીઓમાં વિકૃતિ આવે છે જેને કારણે ગાંઠ રચાય છે તે કેન્સરની ગાંઠ કહેવાય છે. માત્ર લ્યુકેમિયામાં ગાંઠો થતી નથી તે લોહીમાં થયું કેન્સર છે

આજકાલ મહિલાઓમાં બ્રેસ્ટ કેન્સરનું પ્રમાણ ભયજનક રીતે વધી રહ્યું  છે. દેશમાં તમાકુ મસાલા અને ગુટકાઓને કારણે પુરુષોમાં ઓરલ કેન્સર વધારે જોવા મળે છે છતાં પણ હવે મોટાભાગે ભારત અને બહારના દેશોમાં ધુમ્રપાન અંગે જાગૃતિ વધી હોવાથી ફેફસાના કેન્સરના કેસમાં ઘટાડો નોંધાઇ રહ્યો છે.

આ બધા કેન્સર જો પહેલા અને બીજા સ્ટેજ સુધીમાં હોય તો તેની સારાવાર મહદ અંશે રેડીયેશન કે કીમો  થેરાપી દ્વારા સફળ રહે છે. ત્રીજા અને ચોથા સ્ટેજના કેન્સરમાં ક્રમે દર્દીને બચાવવો મુશ્કેલ થઈ  રહે છે. ઉપરોક્ત બધી સારવાર ખર્ચાળ અને અસહ્ય હોય છે .
પર્યાવરણમાં પ્રદુષણ અને આધુનિકીકરણ ની આપણી જીવનશૈલી ને કારણે, આજે આખી દુનિયાના દરેક છેડે કેન્સર જેવા રોગોનું પ્રમાણ વધી ગયું છે. સામાન્ય રીતે એમ કહી શકાય કે આજનો તળેલો ચરબી ભરેલો ખોરાક ,મેદવૃદ્ધિ ,કસરતનો અભાવ,આપણા શરીરની આંતરિક સિસ્ટમને ખોરવી નાખે છે અને આપણું શરીર વણનોતર્યા રોગનું ઘર બની જાય છે.
પ્રીઝર્વેટીવ કરેલા કેન ફૂડ કે ફ્રોજન ફૂડના વપરાશને કારણે પણ કેન્સર થવાની શક્યતાઓ વધી જાય છે ,તેથી કરીને આજે ભારત કરતા અમેરિકા જેવા આધુનિક દેશમાં આવા રોગોનાં કેસ વધારે પ્રમાણમાં નોંધાય છે  .બહારનું ફાસ્ટ ફૂડનું વ્યસનની લોકો ધીમેધીમે મોત તરફ ધકેલી રહ્યું છે છતાં પણ આપણે જાણવા સમજતા છતાં આનાથી દુર રહી શકતા નથી એ આપણું કમનશીબ કહેવાય બીજું શું “.
ભલે બહેન પહેલું સુખ તે જાતે નર્યા ,તું આ વાત સમજીને તારું તથા ઘરમાં બધાનું જ્ઞાન રાખજે …….. તારી સખી નેહાની યાદ
રેખા વિનોદ પટેલ (યુએસએ )
 

मेरी चुप्पीमें

Source: मेरी चुप्पीमें

 
Leave a comment

Posted by on October 3, 2015 in Uncategorized

 

मेरी चुप्पीमें

p

मेरी चुप्पीमें झाँखकर देख तो छुपा हुवा इकरार निकले,
मेरा दिल खोलकर देख जरा तो इश्क का दरबार निकले

तू चाहे अगर तो बनकर मंज़िल तेरे द्वार तक चले आयेंगे,
शर्त बस यही के मेरा नाम तेरे सजदे मे बार बार निकले

अब तो जिगर के अंदर ही चुप रहती हु मेरे जाने-हयात,
मेरी रूह को तू छूले अगर तो चाहत की झंकार निकले

नगीने जैसी चमक उठूँगी ,एकबार इन आखोंमे देख लें,
फिर तु जब भी अपनी आंखे खोले, मेरा ही दिदार निकले

पलपल घूमती है तेरी यादें पडछाई बनकर मेरे इर्दगिर्द,
कोई खोले जो दिल मेरा तेरी ही यादोंका उपहार निकले

दिलको दिलसे मिलने की बेसब्री बड़ी है युगो युगो से,
हर अघूरी मुलाकात के बाद मिलन का इंतेजार निकले

तुम अगर आना चाहो तो पुकारलो वही कही दूरसे ही,
हम गुम है तेरी यादोंके सायें तले,यही इस्तेहार निकले

-रेखा पटेल(विनोदिनी)

 

Tags: