RSS

” ફેસ્ટીવલ ઓફ ગણેશા

28 Sep

IMG_0035

વ્હાલા મુકતા માસી ,
કેમ છો ? જાણું છું આજકાલ તમે બીઝી હશો કારણ આખો શ્રાવણ મહિનો તમારી માટે ઉત્સવના દિવસો છે.  હું નાનપણ થી તમને આ દિવસોમાં આવતા બધાજ ધાર્મિક તહેવારોને ભાવથી ઉજવતા જોતી આવી છું , ત્યારે પણ હું વિચારતી હતી કે કોઈ પણ ભાવ કેળવવા શ્રધ્ધા બહુ જરૂરી છે અને આજે તમને આ પત્ર બે પ્રકારના ભાવ સાથે લખી રહી છું .  હવે તમે નક્કી કરજો કે શ્રધ્ધા કેટલા અંશે યોગ્ય લાગે ?  હું તો માનું છું વધારે પડતી શ્રધ્ધાને અશ્રધ્ધા નું છોગું પહેરતા વાર નથી લાગતી .

જ્યાં જ્યાં ભારતીયો જઈને વસે છે ત્યાં તેઓ દરેક તહેવારને પુરા ભાવ અને મસ્તી થી ઉજવે છે તેમાય દેશ થી દુર રહેતા આ બધાને તહેવારો આવતા એવું ફિલ કરે છે કે દેશની નજીક છીએ અને આના આતિરેકમાં હવે ઇન્ડીયા કરતા બમણા ઉત્સાહ થી તહેવારોને અહી જીવી લેવાય છે ,
મુક્ત માસી હું વાત કરું હાલ ન્યુ જર્સી એડીશન ખાતે ઉજવાઈ રહેલા ગણેશ ચતુર્થીના ” ફેસ્ટીવલ ઓફ ગણેશા ”
ન્યુ જર્શી એડીશનમાં ઓક્ટ્રી રોડ નામની જગ્યા છે જ્યાં આપણાં ભારતીયો ની સંખ્યા ઘણી વધારે છે જેથી આ જગ્યાને મીની ગુજરાત પણ કહેવામ આવે છે . અહી આ બીજું વર્ષ છે જ્યાં ભગવાન ગણેશજી નો જન્મ દિવસ ભારે દબદબાપૂર્વક ઉજવવામાં આવ્યો છે ,આ ઉત્સવ પાંચ દિવસ માટે કરવામાં આવ્યો છે ,અહી આશરે 1,00,000 લોકો આવે તેવી શક્યતાઓ બતાવાય છે ,જ્યાં ગણપતિ દાદાની 14 ફૂટ ઉંચી વન પીસ પ્રતિમા છેક મુંબઈ થી સ્ટીમર માં લાવવામાં આવી છે અને વધારામાં અહીનો પ્રસાદ પણ મુંબઈના સિદ્ધિ વિનાયક મંદિર માંથી આવ્યો છે. અહી ભગવાન માટે બનાવાએલ લાડુનું વજન  1000 પાઉન્ડ હતું . આ બધુ ભક્તજનોને આકર્ષે છે અને ભાવિકોના ટોળે ટોળા ઉમટી પડે છે.

આવનારા લોકોના મનોરંજન માટે અહી સંગીત અને નૃત્યના પ્રોગ્રામ પણ બનાવાએલા સ્ટેજ  ઉપર રાખવામાં આવે છે. આ વખતનું મુખ્ય આકર્ષણ હતું ઝી ટીવી દ્વારા આમંત્રિત કરાએલા બોલીવુડ સ્ટાર અનીલ કપુરજી , જેમણે તેમના ડાયલોગ અને વાર્તાલાપ થી લોકોને મનોરંજન પૂરું પાડયું હતું.

આવા પ્રોગ્રામને કારણે ક્યારેક અહી રહેતા આપણા દેશી અને વિદેશી રહેવાસીયો ને અડચણ પણ નડતી હોય છે , ટ્રાફિક જામ થઇ જાય અને વધારામાં થતા શોર બકોરને કારણે તેમની તકલીફ વધી જતી હોય છે  છતાં પણ ભગવાનનું કામ છે કહી તેઓ ચુપ રહેતા હોય છે,  માસી આ બધું બરાબર છે ખુશ રહેવું અને રાખવું એ જીવનનો મંત્ર છે પણ આ બધું અંધશ્રધ્ધા નાં બની જાય તે જોવાનું કામ પણ આપણું છે

હું જાણું છું તમને આ સાંભળી આનંદ થયો હશે, તમારા શ્રધ્ધા ભાવથી આ યોગ્ય છે પરંતુ તહેવારો ની ઉજવણી પાછળ થતા વધારાના ખર્ચને જો યોગ્ય જગ્યાએ વાપરવામાં આવે તો ઘણું પુણ્ય નું કામ થઈ શકે છે . આ વાત સહુ સમજતા જાણતા હોવા છતાં ઉત્સાહ અને આનંદમાં આ બધું ભૂલી દરેક પ્રસંગોને યાદગાર બનાવવા પ્રયત્નશીલ રહે છે. ચલો સારું છે કે એકધારી ચાલતી જીવનની ઘરેડમાં અહી બધા આ રીતે બદલાવ લાવી ખુશ રહે છે

અહી એવા પણ કેટલાક લોકોને હું જાણું છું જે દરેક તહેવારમાં ખર્ચ ઉપર કાપ મુકીને જે તે ડોલર માનવતાના કાર્યમાં વાપરે છે .

 મારી નજીક એક આધેડ અમેરિકન કપલ રહે છે તે બંને પતિ પત્ની આખું વિક કામ કરે છે સાંજે થાકીને ઘરે આવે ત્યારે બેવ ભેગા થઇ રસોઈ અને ઘરકામ પતાવે. સોમ થી શુક્ર આ રીતે કામ કરે વીકેન્ડમાં ક્લીનીગ કરે, ગ્રોસરી અને સાથે સોશ્યલ કામ પતાવે. આથી તેમણે નિયમ બનાવેલો કે વીકેન્ડમાં જમવાનું ઘરે નહિ બનાવવું આથી તેઓને સરસ તૈયાર થઈ ક્યાંક ને ક્યાંક બહાર રેસ્ટોરેન્ટ માં જતા હું વર્ષો થી જોતી હતી .. હમણા થી હું જોતી કે તેઓ વીકેન્ડમાં ઘરે રસોઈ બનાવતા, આથી મેં તેમને આમ કરવાનું કારણ પુછ્યું . મને એમ કે હવે ઉંમર થઇ તો તેમને બહારનું ફૂડ ભાવતું નહિ હોય.
પણ માસી મારા આશ્ચર્ય વછે તેમણે જવાબ આપ્યો ” ડીયર આ વલ્ડમાં બહુ લોકો રોજ ભૂખ્યા સુઈ જાય છે મોડે મોડે પણ આ વાતનો અમને ખ્યાલ આવ્યો છે માટે અમે તે ડોલર્સ દર વીકે વધારાનું ડોનેશન તરીકે તેને હંગર્સ માટે મોકલી આપીએ છીએ
મારું મસ્તક મંદિરમાં શ્રધ્ધા થી નમે તેમજ તેમની સામે નમી ગયું . ” પ્રભુ માત્ર મંદિર એકલામાં બિરાજમાન નથી ,એતો દરેક દયાળુના દિલમાં સાક્ષાત બિરાજે છે “
ચાલો માસી આજે વધારે કઈ કહેવાઈ ગયું હોય તો તે બદલ ક્ષમા સાથે રજા લઈશ…… નેહાના પ્રણામ
રેખા વીનોદ પટેલ (યુએસએ )
 

One response to “” ફેસ્ટીવલ ઓફ ગણેશા

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

 
%d bloggers like this: