RSS

Monthly Archives: September 2015

હું અને તું સખી સરોવર પાળે

12063454_1063607770340653_2760707217241567989_n

હું અને તું સખી સરોવર પાળે
અહી દિન ઢળે રૂડી સાંજ પડે
આભે ઓઢી તેની લાલ ચૂનર
પાણી મહી તેના બિંબ જડે…..
હું અને તું સખી સરોવર પાળે.

મંદિર મહી ઘંટારાવ બાજે
જોઈ સુતા પ્રભુ આળસ ત્યજે
જોઈ મુખડું મલકતું તેજોમય
ચડ્યો સુરજ શરમે નીચે ઢળે ….
હું અને તું સખી સરોવર પાળે

આકાશે, ઉડતા પંખી ટોળે વળી
દીવા ટાણે સહુ ઘર ધણધણે
નાં ગાય બકરાને નકશા નડે
પડે સાંજ ને ખિટે શોધ્યાં મળે ….
હું અને તું સખી સરોવર પાળે

ઉગતી જવાની મૌજે મળે
ઢળતી લઇ લાકડીને ટેકે ફરે
ઝટ પગલા માંડતી ઘર ભણી
એ પનીહારી ઝાંઝરે ખણખણે ……
હું અને તું સખી સરોવર પાળે

જતા જોઈ ઉજાસને અંધારું રડે
તેને રડતું ભાળી આભે ચાંદ જલે
આજ આવ્યું કાલે એ જાશે બધું
કોણ આવન જાવનના ફેરા ગણે …..
હું અને તું સખી સરોવર પાળે

રેખા પટેલ (વિનોદિની )

 

ગોસીપ

IMG_0095
ગોસીપ નામના ગામમાં નાનકડી “વાત” રહેવા આવી. 💃🏻
કેટલાકે બહેન બનાવી કેટલાકે મિત્ર બનાવી.
તો કોઈક વળી કહે આવ સહેલી ….👭👫

બધા બતાવે સ્નેહ , સાથે જતાવે “વાત” તું મારી. 👩‍❤‍👩

જુઠા પ્રેમમાં રંગાઈ “વાત” વાતોમાં તણાઈ.

આ ભોળી ક્યા જાણે એ ગોસીપ ગામમાં ભરાણી

સહુ કોઈ મારા છે જાણી “વાત” ખુશીમાં ફુલાણી

નાદાને નાસમજી માં મનની સહુ સંગે કરી વહેચણી।

“વાતની” વાતના વડા બનાવી,
ગોસીપ ગામે કીધી ઉજાણી…. 🎊

રેખા પટેલ (વિનોદિની )

 

” ફેસ્ટીવલ ઓફ ગણેશા

IMG_0035

વ્હાલા મુકતા માસી ,
કેમ છો ? જાણું છું આજકાલ તમે બીઝી હશો કારણ આખો શ્રાવણ મહિનો તમારી માટે ઉત્સવના દિવસો છે.  હું નાનપણ થી તમને આ દિવસોમાં આવતા બધાજ ધાર્મિક તહેવારોને ભાવથી ઉજવતા જોતી આવી છું , ત્યારે પણ હું વિચારતી હતી કે કોઈ પણ ભાવ કેળવવા શ્રધ્ધા બહુ જરૂરી છે અને આજે તમને આ પત્ર બે પ્રકારના ભાવ સાથે લખી રહી છું .  હવે તમે નક્કી કરજો કે શ્રધ્ધા કેટલા અંશે યોગ્ય લાગે ?  હું તો માનું છું વધારે પડતી શ્રધ્ધાને અશ્રધ્ધા નું છોગું પહેરતા વાર નથી લાગતી .

જ્યાં જ્યાં ભારતીયો જઈને વસે છે ત્યાં તેઓ દરેક તહેવારને પુરા ભાવ અને મસ્તી થી ઉજવે છે તેમાય દેશ થી દુર રહેતા આ બધાને તહેવારો આવતા એવું ફિલ કરે છે કે દેશની નજીક છીએ અને આના આતિરેકમાં હવે ઇન્ડીયા કરતા બમણા ઉત્સાહ થી તહેવારોને અહી જીવી લેવાય છે ,
મુક્ત માસી હું વાત કરું હાલ ન્યુ જર્સી એડીશન ખાતે ઉજવાઈ રહેલા ગણેશ ચતુર્થીના ” ફેસ્ટીવલ ઓફ ગણેશા ”
ન્યુ જર્શી એડીશનમાં ઓક્ટ્રી રોડ નામની જગ્યા છે જ્યાં આપણાં ભારતીયો ની સંખ્યા ઘણી વધારે છે જેથી આ જગ્યાને મીની ગુજરાત પણ કહેવામ આવે છે . અહી આ બીજું વર્ષ છે જ્યાં ભગવાન ગણેશજી નો જન્મ દિવસ ભારે દબદબાપૂર્વક ઉજવવામાં આવ્યો છે ,આ ઉત્સવ પાંચ દિવસ માટે કરવામાં આવ્યો છે ,અહી આશરે 1,00,000 લોકો આવે તેવી શક્યતાઓ બતાવાય છે ,જ્યાં ગણપતિ દાદાની 14 ફૂટ ઉંચી વન પીસ પ્રતિમા છેક મુંબઈ થી સ્ટીમર માં લાવવામાં આવી છે અને વધારામાં અહીનો પ્રસાદ પણ મુંબઈના સિદ્ધિ વિનાયક મંદિર માંથી આવ્યો છે. અહી ભગવાન માટે બનાવાએલ લાડુનું વજન  1000 પાઉન્ડ હતું . આ બધુ ભક્તજનોને આકર્ષે છે અને ભાવિકોના ટોળે ટોળા ઉમટી પડે છે.

આવનારા લોકોના મનોરંજન માટે અહી સંગીત અને નૃત્યના પ્રોગ્રામ પણ બનાવાએલા સ્ટેજ  ઉપર રાખવામાં આવે છે. આ વખતનું મુખ્ય આકર્ષણ હતું ઝી ટીવી દ્વારા આમંત્રિત કરાએલા બોલીવુડ સ્ટાર અનીલ કપુરજી , જેમણે તેમના ડાયલોગ અને વાર્તાલાપ થી લોકોને મનોરંજન પૂરું પાડયું હતું.

આવા પ્રોગ્રામને કારણે ક્યારેક અહી રહેતા આપણા દેશી અને વિદેશી રહેવાસીયો ને અડચણ પણ નડતી હોય છે , ટ્રાફિક જામ થઇ જાય અને વધારામાં થતા શોર બકોરને કારણે તેમની તકલીફ વધી જતી હોય છે  છતાં પણ ભગવાનનું કામ છે કહી તેઓ ચુપ રહેતા હોય છે,  માસી આ બધું બરાબર છે ખુશ રહેવું અને રાખવું એ જીવનનો મંત્ર છે પણ આ બધું અંધશ્રધ્ધા નાં બની જાય તે જોવાનું કામ પણ આપણું છે

હું જાણું છું તમને આ સાંભળી આનંદ થયો હશે, તમારા શ્રધ્ધા ભાવથી આ યોગ્ય છે પરંતુ તહેવારો ની ઉજવણી પાછળ થતા વધારાના ખર્ચને જો યોગ્ય જગ્યાએ વાપરવામાં આવે તો ઘણું પુણ્ય નું કામ થઈ શકે છે . આ વાત સહુ સમજતા જાણતા હોવા છતાં ઉત્સાહ અને આનંદમાં આ બધું ભૂલી દરેક પ્રસંગોને યાદગાર બનાવવા પ્રયત્નશીલ રહે છે. ચલો સારું છે કે એકધારી ચાલતી જીવનની ઘરેડમાં અહી બધા આ રીતે બદલાવ લાવી ખુશ રહે છે

અહી એવા પણ કેટલાક લોકોને હું જાણું છું જે દરેક તહેવારમાં ખર્ચ ઉપર કાપ મુકીને જે તે ડોલર માનવતાના કાર્યમાં વાપરે છે .

 મારી નજીક એક આધેડ અમેરિકન કપલ રહે છે તે બંને પતિ પત્ની આખું વિક કામ કરે છે સાંજે થાકીને ઘરે આવે ત્યારે બેવ ભેગા થઇ રસોઈ અને ઘરકામ પતાવે. સોમ થી શુક્ર આ રીતે કામ કરે વીકેન્ડમાં ક્લીનીગ કરે, ગ્રોસરી અને સાથે સોશ્યલ કામ પતાવે. આથી તેમણે નિયમ બનાવેલો કે વીકેન્ડમાં જમવાનું ઘરે નહિ બનાવવું આથી તેઓને સરસ તૈયાર થઈ ક્યાંક ને ક્યાંક બહાર રેસ્ટોરેન્ટ માં જતા હું વર્ષો થી જોતી હતી .. હમણા થી હું જોતી કે તેઓ વીકેન્ડમાં ઘરે રસોઈ બનાવતા, આથી મેં તેમને આમ કરવાનું કારણ પુછ્યું . મને એમ કે હવે ઉંમર થઇ તો તેમને બહારનું ફૂડ ભાવતું નહિ હોય.
પણ માસી મારા આશ્ચર્ય વછે તેમણે જવાબ આપ્યો ” ડીયર આ વલ્ડમાં બહુ લોકો રોજ ભૂખ્યા સુઈ જાય છે મોડે મોડે પણ આ વાતનો અમને ખ્યાલ આવ્યો છે માટે અમે તે ડોલર્સ દર વીકે વધારાનું ડોનેશન તરીકે તેને હંગર્સ માટે મોકલી આપીએ છીએ
મારું મસ્તક મંદિરમાં શ્રધ્ધા થી નમે તેમજ તેમની સામે નમી ગયું . ” પ્રભુ માત્ર મંદિર એકલામાં બિરાજમાન નથી ,એતો દરેક દયાળુના દિલમાં સાક્ષાત બિરાજે છે “
ચાલો માસી આજે વધારે કઈ કહેવાઈ ગયું હોય તો તે બદલ ક્ષમા સાથે રજા લઈશ…… નેહાના પ્રણામ
રેખા વીનોદ પટેલ (યુએસએ )
 

हम अँदाज बदलते है

IMG-20150926-WA0046

हम अंदाज़ बदलते है,
हमने जीना सीख लिया.
नहीं करेंगे अब हम,
बाते चांदसे चादनी की ,
नहीं मिलेंगे अब हम,
सोते जागते ख़्वाबमें भी.

सलीका इश्क निभानेका,
दुनियासे सीख लिया .
नहीं करेंगे अब हम ,
बाते,आइनेसे श्रृगार की.
नहीं रखेंगे पाँव अब हम
आते जाते उस नगरमें भी.

मुखौटा पहने जिंदगी थी,
नकाब हटाना सिख लिया.
नहीं करेंगे अब हम,
बातें फूलोंसे खुश्बुओ की.
नहीं बैठेंगे हम अब,
जलते तपते मनमें भी.

हमनें दी आज़ादी सबको,
आज़ाद रहना सीखा लिया
नहीं करेंगे अब हम,
बाते कैद से ज़ंज़ीर की.
नहीं जियेंगे हम अब
डरते डरते जगमें भी.

रेखा पटेल (विनोदिनी)

 

માણસ જાત …….

માણસ જાત …….

એક માણસ જાત,અને કેટલા બધા નામ
નામ પ્રમાણે તેના અલગ અલગ કામ
કોઈ સ્ત્રી કહે વળી કહે બહેન
કહે કોઈ મા ,ભાભી કે મેરી જાન”
વ્હાલી લાગે નાર, જેવી જેની જરૂરીયાત.

આપણું માણસ ઘરમાં ગમે, પારકું ગમે બજાર
કોઈ ઘરરખ્ખું કહે ,કોઈ રખડું બની ચર્ચાય,
પોતાનાને ઢાંક પીછોડો, પારકા બદનામ.
એ જો રહે અંકુશમાં તો ભાઈ વાહ,
છટકે તેની કમાન તો ભરાવે નકરી આહ.

ભૂખમાં યાદ આવે મા, દુવામાં બહેન દેખાય
કરવા આનંદ પ્રમોદ વ્હાલી લાગે પ્રેયસી.
બાકી રહી અધુરપ તે ભરતી ઘરની સ્ત્રી
જીવંત રાખવા આ નામ જગતનું
“મા” બની ફરી માણસ જણતી એ જાત.

એક માણસ જાત,અને કેટલા બધા કામ…..

રેખા પટેલ (વિનોદિની ) usa

 

Tags:

अब तक तुम्हारा वो…… दो घड़ी का अपनापन……

कितनी अजीब बात है ,
मैं ,सब कुछ भूल सका ,
पर भुला सका ना,
अब तक तुम्हारा वो,
दो घड़ी का अपनापन……

जहाँ हँसी बोलती थी,
वहाँ आँखे सुनती थी
अँगुलीओ ने हँसकर की थी बातें
अब वही सुनना,
मेरी फितरत बन गई थी …..

पहले चुपके याद करता था
वो बाते अब सरेआम करता हूँ ,
तुम्हे गीतों में भरता हु,
अब में वो भाव को,
झोली में भरकर जीता हूँ…..

बस कोई शिकायत नहीं
आत्मसम्मान नहीं.
ना कोई अशांति पास है.
अब सिर्फ में ,तुम और,
पल-पल बिखरता प्यार है …..

-रेखा पटेल (विनोदिनी)

 

વડીલોની એકલતાનો કોઈ ઈલાજ નથી ….

IMG_4383

વ્હાલા દાદુ , જયશ્રી કૃષ્ણ ,
એક મજાની વાત કહું તો હવેના મોર્ડન યુગમાં રોજ અવનવા તહેવાર કેલેન્ડરમાં છપાયા છે જેમાં 13 સપ્ટેબર ગ્રાન્ડ પેરેન્ટ્સ ડે નક્કી કરાયો છે ,તો હું પણ તમને આજે ખાસ આ પત્ર લખીને તમારી સાથેના મારા સતત સંપર્કને એક વધુ જીવંત ક્ષણની ભેટ આપું. આમ તો પેરેન્ટ્સ અને ગ્રાન્ડ પેરેન્ટ્સની યાદ માટે કોઈ ખાસ દિવસની જરૂર નથી હોતી છતાં પણ આઘુનિક ભાગદોડ દિવસોમાં આવા દિવસો માન્ય રખાઈ તેમની મારે કઈક અલગ કર્યાની અનુભૂતિ દ્વારા તેમને ખાસ મહત્વ આપવામાં આવે છે .દાદા-દાદીનું મહત્વતો આપણા આપણા દેશમાં પણ ઘણું છે કારણ તેમની પાસે બાળકોને અપવા માટે બહુ ફાજલ સમય રહેતો હોય છે . સામાન્ય રીતે મા-બાપ પોતપોતાની જવાબદારીઓમાં વ્યસ્ત રહેતા હોય છે ત્યારે બા દાદા નવરાસની પળોમાં આપણી બધી ઈચ્છાઓ પૂરી કરે છે.   અમેરિકામાં આપણા દેશી ભાઈ બહેનો માટે દાદા-દાદી વરદાન જેવા બની જતા હોય છે. કારણકે તેમની છત્ર છાયામાં બાળકોને મુકીને નચિંત બની તેઓ બહાર કામ કરવા જઈ શકે છે.
  અમેરિકન પિપલ માટે પણ આજ લાગુ પડે છે . અહી બાળકોને વધારે સ્પોઈલ પણ ગ્રાન્ડ પેરેન્ટસ જ કરે છે ,વારે તહેવારે અવનવી ગિફ્ટો આપે છે. કારણ અહી રીટાયર થઇ ચુકેલા વૃદ્ધજનો ને ગવર્મેન્ટ તરફથી દર મહીને સારી એવી રકમ મળતી હોય છે તદઉપરાંત તેમની કમાણી હવે તેમને આજ રીતે વાપરવાની રહેતી હોય છે આથી કરીને એક રીતે કહું તો આમ “દાદા દાદી બાળકોના સાચા સાંતા ક્લોઝ” બની રહે છે.  આજ કારણે તેમની માટેનો અલાયદો રખાએલો આ એક દિવસ મને પણ બહુ ગમે છે.
છતાં પણ ક્યારેક મને ભારતથી આવેલા વૃદ્ધો માટે એક અજબ પ્રકારની હમદર્દી જન્મી જાય છે ,કારણ તેમની દશા તેમનું જીવન ,એક રીતે વરસાદી જંગલ માંથી કોઈ લીલા છમ બનેલા વૃક્ષને જડ સોતું ઉખાડી લાવીને ઠંડા ગરમ વિસ્તારમાં રોપીને સમયસર પાણીના સિંચન દ્વારા જીવંત રાખવા જેવું લાગે છે.
દેશમાં પોતાની ધરતી અને પોતાના માણસોથી ઘેરાએલા રહેતા આ વૃદ્ધો ને અહી ઘરની બહાર હાઈ હલ્લો કરવા પણ માણસો શોધવા પડે છે , વધારે દુઃખ ત્યારે થાય કે ક્યારેક ઘરમાં કેમ છો કહેનારની જ્યારે પણ કમી વર્તાય છે .
દાદુ આ વાત એટલે યાદ આવી કે હમણા વિકેન્ડના સમયે મારા શહેર થી દુર આવેલા મોલમાં શોપિંગ માટે ગઈ હતી ત્યારે એક ઘરડા દાદા લાંબા વખત થી ત્યાં બેઠા હતા ,હું લગભગ બે કલાક ત્યાં રોકાઈ હસું ,છેવટે પાછાં વળતાં પણ તેમને ત્યાજ બેઠેલા જોયા આથી કુતુહલતા વસ હું ત્યાં તેમની પાસે ગઈ અને આંખો મીચીને બેઠેલા દાદાને હલ્લો કર્યું , દાદાએ આંખો ખોલી ઊંડી ઉતારી ગયેલી આંખોમાં થાક અને દર્દ સ્પષ્ટ દેખાતું હતું .
મને જોઈ તરત બોલ્યા ” બેટા ગુજરાતી છો?”
મેં હકારમાં માથું હલાવ્યું તો કહે “હું અહી બેઠો છું તો વાધો નથીને ?” મને તેમની વાતોમાં દુઃખ કળાતું હતું . વધુ પૂછપરછ કરતા જાણવા મળ્યું કે તેઓ સાત વર્ષથી અહી અમેરિકામાં છે હજુ ભારત ગયા નથી  તેમને જવું છે પણ કોઈ ટીકીટની વ્યવસ્થા કરતુ નથી . પછી મને કહે  “આજે દીકરો વહુ અને તેમના ટીનેજર બાળકો ક્યાંક બહાર ગયા છે ઘરે મને એકલો મૂકી રાખવા કરતા અહી ઉતારી ગયા છે સાંજે જતા લેતા જશે” .
“મેં પૂછ્યું દાદા કઈ ખાધું ? ” તો જવાબમાં કહે સવારે ચા સાથે બે ભાખરી ખાધી હતી.  મોલના ફૂડ કોર્ટમાં એ દાદા સાથે લંચ લેતા મને બહુ આનંદ થયો હતો  અને દાદુ તમે યાદ આવી ગયા હતા.
આતો એકજ દાખલો આપ્યો છે અહી આવા કેટલાય વૃદ્ધો છે જે સંતાનીના સંતાનોને મોટા કરવા આવ્યા હોય છે ,બાળકો નાના હોય ત્યારે તેમના સંતાનોને આ મા-બાપ બહુ વ્હાલા હોય છે, જરૂરિયાત પ્રમાણે તેમને સાચવતા પણ હોય છે. અને નાના બાળકો દાદા-દાદીની આજુબાજુ દોડાદોડી કરતા હોય છે .આવામાં તે વૃધ્ધોને દેશની યાદ બહુ સતાવતી નથી પરંતુ જ્યારે બાળકો ટીનેજર બની જાય ત્યારે તેઓ વધારે કરી પોતાની રૂમમાં ભરાઈ રહે છે અથવા ઘરની બહાર રહેવાનું પસંદ કરે છે ત્યારે  તેમને એકલતા સતાવે છે. આવા વખતે આપણી સ્વજનોની જ ફરજ બને છે કે તેમને થોડો સમય આપી તેમની એકલતા દુર કરવી જોઈએ. અહી આ પ્રકારની એકલતા વૃદ્ધત્વને જોરદાર ઝાટકાથી તોડી નાખે છે. અને ક્યારેક તેઓ ડીપ્રેશન પણ અનુભવે છે , તેઓ ચીડીયા પણ બની જતા હોય છે.
જોકે અહી પરદેશમાં બધાજ સંતાનો કઈ ખરાબ કે સ્વાર્થી નથી હોતા અહી પગભર થવા માટે તનતોડ મહેનત કરતા હોવા છતાં ફોરેનમા આવીને માબાપના સંસ્કારોને ભૂલતા નથી. તેમના થી શક્ય હોય એટલું એમના માબાપ ને સાચવવા પ્રયત્ન કરે છે. અહી એક એવો વર્ગ પણ છે કે તેઓ સમજતા હોય છે કે આ ભારત નથી કે તેઓ બહાર જઈ પોતાનું મન હલકું કરે આથી શક્ય તેટલો સમય માબાપ સાથે વિતાવે છે. પોતાના પ્રોગ્રામ કેન્શલ કરી તેમને મંદિર કે તેઓને આનંદ આવે તેવી જગ્યાઓ ઉપર અવારનવાર લઇ જાય છે..
અહી તેમના પેરેન્ટસ બીમાર હોય તો હસતા મ્હોએ તેમની સેવા ચાકરી કરે છે , કારણ અહી દેશની જેમ બધાને કઈ આયા કે કામ કરનાર બાઈ પોસાય તેમ નથી હોતું .
સામા છેડે કેટલાય વૃધ્ધો એવા જોવા મળે છે જેમને કાયમ ફરિયાદ રહેતી હોય કે અહી કોઈ આપણી માટે નવરું નથી ,આ દેશમાં નથી ગમતું અહી તો જેલ જેવું લાગે છે ,આપણો દેશ સારો . પણ આમ બોલનારને ભારત માત્ર શિયાળાના બે મહીના જ દેશમાં જવું હોય છે, ત્યાં ગયા પછી અહી એકલા શું કરીએ કરીને તરત પાછા વળી જતા હોય છે. તેનું સાચું કારણ છે કે અહી સીટીઝન બનેલા વૃધ્ધોને ગવર્મેન્ટ તરફથી અપાતી સહુલીયતો અને ડોલરની લાલચ તેમના મનમાં ભરાએલી હોય છે જેને છીડીને જતા તેમનો જીવ ચાલતો નથી. દાદુ તમે કહેતા હતાકે “એ દુનિયા હૈ રંગીન ” આ સાવ સાચી વાત છે.દાદુ તમારા સંસ્કાર પ્રમાણે હું તો માનું છું જે દેશમાં રહો છો ,જે ધરતી ઉપર નું કમાવેલું જમો છો તેને મા નહિ તો માસી ગણી અપનાવી લ્યો પછી આ દેશ પણ વહાલો લાગશે, દૂધ અને દહીં બેવમાં પગ મુકવાથી કાયમ દુઃખી રહેવાય છે  ”
આપણે બીજાઓ સાથે કેમ વર્તીયે છીએ તે આપણા સંતાનો જોતા હોય છે. માટે કમસે કમ તેમના સારા શિક્ષણ માટે અને આપણા પોતાના ઘડપણને સુધારવા અત્યાર થી આંખો અને હૃદય ખુલ્લા રાખવા જોઈએ …અને આ રીતે પરદેશમા પણ આપણા દેશના મુલ્યો અને સંસ્કારની ગરિમાને આગળ વધારવી જોઈએ .
  વ્હાલા દાદુ અહી હું હવે રજા લઉં છું,  તમારી નેહાના પ્રણામ સ્વીકારજો
રેખા વિનોદ પટેલ
યુએસએ
 

જલન

ચાંદની રાતમાં ,
ઝીલનું બધુજ પાણી ચાંદી થઇ વહેતું હતું
મહી એક નાવ બે જણને લઇ તરતી હતી.
” જોને આભે ચાંદ તારું રૂપ જોઇને જલે છે ”
“ના ચાંદ પુરુષ છે એ તારું સુખ જોઇને જલે છે”
એક મુક્ત હાસ્ય પડઘાઈ ગયું
જંગલી ફૂલોની મહેક લઈને આવતો પવન,
એ હાસ્યને દુર દુર ફેલાવી ગયો……

વહેણ વધતું રહ્યું, વાતોમાં નાવ ઘપતી રહી.
રાત પૂરી થવાની રાહ જોતો ચાંદ જલતો રહ્યો.
જલનની પરીકાષ્ઠાએ તેણે કાળી વાદળી ઓઢી લીધી,
નાવ ફંટાઈ ગઈ અને ઘુમરીમાં ફસાઈ ગઈ
ના રૂપ રહ્યું ના સુખ રહ્યું ,

ઉગ્યો સુરજ, ના ચાંદ રહ્યો……
એક અંતરની જલન થકી સઘળું વિલીન થયું

રેખા પટેલ (વિનોદિની)

 

Tags:

એક પછી એક એમ સમયનાં પડ નીકળે,

અછાંદસ કવિતા
એક પછી એક એમ સમયનાં પડ નીકળે,
ભરેલા સરોવર તળે પથ્થર જડ નીકળે.
જરાક મનને અણગમતું બને જો અહી,
તહી તો સબંધોના માયાવી ઘણ નીકળે .

ગમતું જડી જાય કોઈ જણ મારગ મહી,
એ કાંટાળા વૃક્ષ વચમાં મીઠું ફળ નીકળે
બંધ આંખો સપના સજાવતી સુંદર ભલે,
રેલાય સત્યનો પ્રકાશ,મહેલ છળ નીકળે

જે ચાલે બધા સુખદુઃખ લેણદેણ કહી,
તેને મારગ કાયમ શાંતિ અચળ નીકળે.
વિદાઈ પછી સહુ સ્નેહે કરે વાત તમારી,
તો સમજો ફેરો જીવનનો સફળ નીકળે.
-રેખા પટેલ (વિનોદિની)

 

સઘળું અંધારું ડરીને ભાગી ગયું …

અમાસની એ રાત્રીએ ઓરડાનાં અંધકાર સાથે મનનો અંધકાર એકાકાર થઈ ગયો.
આખી રાત અંદર અને બહાર અંધારા સામે ઘમાસાણ યુદ્ધ છેડાઈ ગયું.
છેવટે પ્હો ફાટતાં બહાર અજવાળુ જીતી ગયું.
અંદર હજુ પણ જીત પેલા મનનાં અંધારાની હતી.
હું હાર સ્વીકારી અંદર ચુપચાપ બેઠો હતો.
બારીની તિરાડ માંથી જીતેલા ઉજાશે ટકોરા લગાવ્યા.
કમને પણ ઉઠીને મેં બારી ખોલી,
મારું એક મક્કમ પગલું અને અજવાસ ફેલાઈ ગયો,
સઘળું અંધારું ડરીને ભાગી ગયું … અંદરનું અને બહારનું 🌞

રેખા પટેલ ( વિનોદીની)

 

Tags: