અરે કોઈ સ્વપના લઈ લ્યો કોઈ સ્વપના લઈ લ્યો !!!!!
લો આવી ગયો સપનાનો સોદાગર …
આ રાત્રે આવતો હોય તોય સારું ,આ સવારના પહોરમાં આવે છે તો એ સપના લઈને શું કરું ?
સવારમાં લીધેલા સપના રાત સુધી ક્યા તાજા રહે છે ?
અને હમણા થી તો રાત્રે ઊંઘ પણ બહુ મોડી આવે છે,ત્યાં સુધી ઓલ્યા વાસી થઈ જાય છે.
ઓલો સોદાગર તો કહેતો હતો કે બહેન ઉપર થોડું આશાનું પાણી છાંટી રાખજો તાજા રહેશે ,
હવે એ આશા પણ ભેળસેળ વારી મળે છે તો સપના તાજા રહેવાને બદલે વધુ મુરઝાઈ જાય છે.
પહેલા સારું હતું કે સપના સવારમાં જોવા મળતા અને પુરા પણ થતા હતા ,
હવે સમયનું ચક્ર ફેરવાઈ ગયું અને સવારના સપના જોવાનો સમય નથી અને સાચા પણ નથી પડતા.
આ મુઓ હવે થી રાતના આવે તો સારું , થોડાક ખરીદી લઉં
રેખા પટેલ (વિનોદિની)
પ્રેમપરખંદા
April 6, 2015 at 5:48 pm
વાહ