આજના પ્રગતિશીલ ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ગાંધીજીના અધૂરા સ્વપ્નને પૂરા કરવા માટે તેમની જન્મજયંતીને અલગ રીતે ઉજવવાનું નક્કી કર્યું અને તે માટે ૨૫મી સપ્ટેમ્બરથી ૨ ઓક્ટોબર સુધીના સમય ને સ્વચ્છતા સપ્તાહ તરીકે જાહેર કરી સ્વચ્છતા અભિયાન હાથે ધર્યું ગાંધીજી સ્વચ્છતાના અતિ આગ્રહી હતા. તે માનતા મન શુદ્ધ રાખવા સહુ પ્રથમ તનની સ્વચ્છતા જરૂરી છે આ માટે દરેક વ્યક્તિએ પોતાનું કામ જાતે કરવું જોઈએ અને પોતાની આસપાસ સ્વચ્છતા રાખવી જોઈએ। તે માનતા હતા “પોતાના કામ કરવામાં કોઈ નાનમ નથી “
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની સ્વચ્છતા અભિયાનની હાકલને દેશ ભરમાં ભલભલાના હાથમાં ઝાડું પકડાવી દીધા, નાના માણસોથી લઇ કોલેજ સ્ટુડન્ટ ,નાના મોટા અધિકારીઓ ,બિઝનેસમેનનાં હાથમાં સફાઈના સાધનો પકડાવી દીધા બધા ઉત્સાહ પૂર્વક આ સ્વચ્છતા અભિયાનમાં જોડાઈ ગયા. જેમણે ઘરમાં કદી ઝાડુને હાથ પણ નાં અડાડ્યો હોય તેવા લોકો પણ હાથમાં પ્લાસ્ટીક ગ્લોઝ પહેરીને મ્હો ઉપર કપડું બાંધીને ઝાડું લઈ સફાઈમાં સહયોગી બન્યા હતા. દેશભરમાં સ્વચ્છતા અભિયાનમાં સામાજિક સંસ્થાઓ પણ જોડાઈ હતી, ઠેર-ઠેર સ્વચ્છતા કાર્યક્રમ યોજાતા હતા,આ માટે ઈન્ટરનેટનો અને ટેલીવિઝન તથા આધુનિક મીડિયાનો ભરપુર ઉપયોગ કરાયો હતો.માત્ર પગારદાર માણસો રાખીને સ્વચ્છતા રાખી શકાતી નથી આ માટે દરેક વ્યક્તિએ પોતાનો સહકાર આપવો જરૂરી છે . આ સુધારો ગરીબ અને પૈસાદાર બંનેના પુરેપુરા સહકારથી જ થઇ શકે છે ”
માત્ર મહીનાભર માટે આ સ્વચ્છતા અભિયાન ચલાવવાથી દેશ ચોખ્ખો નથી થવાનો , આ અભિયાનની શરુઆત તો દરેક નાના મોટાએ પોતાના રોજીંદા જીવનમાં વણી લેવો પડે નાના બાળકોના જીવનમાં નાનપણથી જ સ્વચ્છતાનો પાઠ ભણાવવો જોઈએ તેમને સમજાવવું જોઈએ કે “સ્વચ્છતા ત્યાં જ પ્રભુતા” છે અને આ આદર્શને જીવનમાં વણી લેતા શીખવાડવું જોઈએ.મોટા ભાગના રહેવાસીઓ પોતાના આંગણા ને સાફ કરી કચરો ઘરની બાજુમાં ફેકી દેતા હોય છે, આમ પોતાનું આગણું ચોખ્ખું દેખાય પણ બીજાનું ખરાબ થાય છે આમ જો દરેક વ્યક્તિ કરશે તો ક્યાય ચોખ્ખાઈ નજરે નહિ આવે
જાહેર માર્ગો ઉપર શૌચાલય અને મુતરડીઓ ને પોતાના ઘરનો એક ભાગ ગણવામાં આવે તોજ ત્યાંથી આવતી માથું ફાડી નાખતી દુર્ગંધ માંથી છુટકારો મળી શકે તેમ છે
લગ્ન પ્રસંગોમાં કે ભોજન સમારંભ ના પ્રસંગો મા એઠવાડ ના ગંદકીના થર જામે છે જેમાંથી આવતી ગંધ આજુબાજુ રહેતા લોકોને અસહ્ય બની જતી હોય છે,અને ગંદકી થી બીમારીઓ ઉત્પન્ન થાય છે.
મંદિરો,આશ્રમો અને હોસ્પીટલ માથી ફેલાતી ગંદકી પણ કઈ ઓછી નથી હોતી ,અને પવિત્ર ગંગામાં ઠલવાતી ગંદકી આનુ જ પરિણામ છે
માત્ર મહીનાભર માટે આ સ્વચ્છતા અભિયાન ચલાવવાથી દેશ ચોખ્ખો નથી થવાનો , આ અભિયાનની શરુઆત તો દરેક નાના મોટાએ પોતાના રોજીંદા જીવનમાં વણી લેવો પડે નાના બાળકોના જીવનમાં નાનપણથી જ સ્વચ્છતાનો પાઠ ભણાવવો જોઈએ તેમને સમજાવવું જોઈએ કે “સ્વચ્છતા ત્યાં જ પ્રભુતા” છે અને આ આદર્શને જીવનમાં વણી લેતા શીખવાડવું જોઈએ.મોટા ભાગના રહેવાસીઓ પોતાના આંગણા ને સાફ કરી કચરો ઘરની બાજુમાં ફેકી દેતા હોય છે, આમ પોતાનું આગણું ચોખ્ખું દેખાય પણ બીજાનું ખરાબ થાય છે આમ જો દરેક વ્યક્તિ કરશે તો ક્યાય ચોખ્ખાઈ નજરે નહિ આવે
જાહેર માર્ગો ઉપર શૌચાલય અને મુતરડીઓ ને પોતાના ઘરનો એક ભાગ ગણવામાં આવે તોજ ત્યાંથી આવતી માથું ફાડી નાખતી દુર્ગંધ માંથી છુટકારો મળી શકે તેમ છે
લગ્ન પ્રસંગોમાં કે ભોજન સમારંભ ના પ્રસંગો મા એઠવાડ ના ગંદકીના થર જામે છે જેમાંથી આવતી ગંધ આજુબાજુ રહેતા લોકોને અસહ્ય બની જતી હોય છે,અને ગંદકી થી બીમારીઓ ઉત્પન્ન થાય છે.
મંદિરો,આશ્રમો અને હોસ્પીટલ માથી ફેલાતી ગંદકી પણ કઈ ઓછી નથી હોતી ,અને પવિત્ર ગંગામાં ઠલવાતી ગંદકી આનુ જ પરિણામ છે
સ્વચ્છતા અભિયાન દરમિયાન તો લાગતું હતું કે આખો દેશ ચોખ્ખો થઇ ચમકવા લાગશે પણ નવું “નવ દહાડા” …
ઘોડાપુરની માફક આવેલો ચોખ્ખાઈનો ઉત્સાહ સમય જતા વળતા પાણીની જેમ ઓસરવા ના લાગે તેનો ખ્યાલ રાખવો પડશે .આ અભીયાનને કાયમ માટે પોતાના રોજીંદા કાર્ય સાથે વણી લેવો જોઈએ .
દરેક જણ પોતપોતાના ઘર, આંગણ ,મહોલ્લો અને પછી શહેરના સાર્વજનિક રસ્તા જગ્યા સ્વચ્છ રાખવવાનો વિચાર કરે અને તેમ કરવામાં ભાગીદાર બને તો આખો દેશ આપોઆપ સ્વચ્છ અને સુઘડ લાગશે.”સ્વચ્છતાને સંપતિ ,વસ્તી અને સામાજીક નિષ્ઠા સાથે સીધો સબંધ છે ”
ગરીબાઈ અને ગીચ વીસ્તારોમાં ગંદગી આપોઆપ ફેલાય છે. ગરીબ માણસોનાં કપડા ગંદા ઘોયા વિનાના પરસેવાની વાસ વાળા હોય છે તેમાય તેમના રહેઠાણ અસ્વચ્છ ગીચતાના કારણે હવાઉજાસ વિનાના હોવાથી ગંદકીનો સાથે રોગોનો ઝડપથી ફેલાવો કરે છે .
મધ્યમ વર્ગના લોકો ફેશનમાં ચવાતી ચુઇન્ગમ કે ચીપ્સ અને બિસ્કીટ કે કેન્ડીના ખાલી થયેલા રેપર, ઠંડા પીણાના ડબ્બા વગેરેને ગમેત્યા નાં ફેકતા તેને બરાબર કચરાપેટીમાં નાખવાનું રાખેતો જાહેર રસ્તાઓ સુઘડ રહેશે , કેટલાક લોકો ઘરે યોજાએલી નાની મોટી પાર્ટીમાં ભેગો થયેલો કચરો ગમે ત્યાં ફેકાવી દેતા હોય છે..
મધ્યમ વર્ગના લોકો ફેશનમાં ચવાતી ચુઇન્ગમ કે ચીપ્સ અને બિસ્કીટ કે કેન્ડીના ખાલી થયેલા રેપર, ઠંડા પીણાના ડબ્બા વગેરેને ગમેત્યા નાં ફેકતા તેને બરાબર કચરાપેટીમાં નાખવાનું રાખેતો જાહેર રસ્તાઓ સુઘડ રહેશે , કેટલાક લોકો ઘરે યોજાએલી નાની મોટી પાર્ટીમાં ભેગો થયેલો કચરો ગમે ત્યાં ફેકાવી દેતા હોય છે..
આ બધો કચરો ગમેત્યા ફેકાવાને બદલે કોઈ એક યોગ્ય જગ્યાએ એકઠો કરી યોગ્ય નિકાલ કરવા માટેની સગવડ સરકારે દરેક ગામ શહેરમાં કરવી આવશ્યક છે .
જેમ પૈસો અને સમૃદ્ધિ વધારે તેમ સ્વચ્છતા વધારે ,આથીજ પૈસાવાળા દેશો જેમકે અમેરિકા ,ઓસ્ટ્રેલીયા ,સીંગાપુર ,સ્વીઝરલેન્ડ ,દુબાઈ ,જેવા દેશો ભારત પાકિસ્તાન કે આફ્રિકાના દેશો કરતા વધારે સ્વચ્છ અને સુવ્યવસ્થિત રચના વાળા હોય છે. જેમકે ભારતની અને ભારત બહારની તાજ ,ઓબેરોય કે હયાત જેવી હોટલો સામાન્ય ઘર્માંશાળા કે લોજ કરતા ચોખ્ખી હોય છે અને આવીજ રીતે મોધી હોસ્પિટલો પણ સામાન્ય સરકારી દવાખાના કરતા ચોક્કસ પણે સ્વચ્છ જોવા મળશે.
જેમ વસ્તી વધે છે તેમ ચોખ્ખાઈનું પ્રમાણ ઓછું થાય છે તે પણ હકીકત છે. ઓછી વસ્તીમાં જ્યારે વપરાશના સાધનો વધારે હોય તો ચોખ્ખાઈનું પ્રમાણ જળવાઈ રહે છે આથીજ અમેરિકા ઓસ્ટ્રેલીયા કે યુરોપ જેવા દેશો વધુ સ્વચ્છ છે જ્યારે ગીચ વસ્તી ધરાવતા દેશ કે પ્રદેશમાં ગંદકીનું પ્રમાણ વધુ માત્રામાં જોવા મળે છે, આપણા દેશમાં શરીરને ઉપયોગી એવા ફળોના રસ કાઢતી કોઈ ખુલ્લી દુકાન પાસે જઈને ઉભા રહો તો જણાશે કે આ શરીરના રોગો વધારે છે કે ઘટાડે છે , આજુ બાજુ બણબણતી માખીઓ રોગોને ભગાડવા ને બદલે આવકારે છે. જ્યાં ગંદકી છે ત્યાં રોગોનું પ્રમાણ પણ મોટી માત્રામાં મળી આવે છે. અને આનુજ પરિણામ છે કે આજે માથા ઉપર મંડરાતા ઇબોલા જેવા મહામારીના રોગ જન્મ લઇ રહ્યા છે
“પ્રદુષણ અને ગંદવાડ યમરાજ સુધી જવાનો એક માર્ગ બને છે ,કેટલાય ચેપી રોગોનું ઘર બને છે “સામાજીક નિષ્ઠાને પણ સ્વચ્છતા સાથે અતુટ સબંધ ગણવો જોઈએ વિકસિત દેશોમાં લોકો પોતાના કચરાનો નિકાલ જાતે કરે છે નહી કે બીજાના ઘર પાસે ફેકી આવે છે , આથી ઘર અને બહાર ચોક્ખીનું પ્રમાણ એક સરખું જોવા મળે છે। પોતાના ઘરમાં પાળેલા કૂતરાને સવાર સાંજ કુદરતી હાજત માટે જો લઇ જતા હોય તો મોટાભાગે દરેક જણ સાથે પ્લાસ્ટીકની કોથળી અને હાથમાં પહેરવાનું મોજું રાખતા હોય છે જેથી તેમનો ગંદવાડ નો યોગ્ય જગ્યાએ નિકાલ થઈ શકે
બહારના વિકાષિત દેશોમાં એક નાનું કાગળ પણ ફેકવું હોય તો ડસ્ટબીન શોધવું પડે છે, જ્યારે અહી કાગળનો ડૂચો જાહેરમાં ફેકતા લોકો શરમાતા નથી ,
નાના મોટા સ્ટોરની બહાર કે મોલ કે રેસ્ટોરન્ટ ની બહાર બીડી સિગારેટ હોલવી તેના ઠુંઠા ફેકવા માટે ખાસ રેતી ભરેલા કેન બનાવી મુકાય છે, જ્યારે અહી દેશમાં લોકો પાન ની પિચકારી જાણે કોઈ મહાન કાર્યની ઉજવણી કરી રહ્યા હોય તેમ શાન થી જાહેરમાં થુંકે છે.આજકાલના યુવાનોમાં ઘીમું ઝેર ગણાતા પાન ગુટકા ના ખાલી રેપર અને તે ચવાતા હાનીકારક ગુટકાના થૂંક ની પીચકારીઓ ને ગમે ત્યા દીવાલોને ચીતરવાનું બંધ કરે તો ઘણું બદલાઈ શકે છે..
“પ્રદુષણ અને ગંદવાડ યમરાજ સુધી જવાનો એક માર્ગ બને છે ,કેટલાય ચેપી રોગોનું ઘર બને છે “સામાજીક નિષ્ઠાને પણ સ્વચ્છતા સાથે અતુટ સબંધ ગણવો જોઈએ વિકસિત દેશોમાં લોકો પોતાના કચરાનો નિકાલ જાતે કરે છે નહી કે બીજાના ઘર પાસે ફેકી આવે છે , આથી ઘર અને બહાર ચોક્ખીનું પ્રમાણ એક સરખું જોવા મળે છે। પોતાના ઘરમાં પાળેલા કૂતરાને સવાર સાંજ કુદરતી હાજત માટે જો લઇ જતા હોય તો મોટાભાગે દરેક જણ સાથે પ્લાસ્ટીકની કોથળી અને હાથમાં પહેરવાનું મોજું રાખતા હોય છે જેથી તેમનો ગંદવાડ નો યોગ્ય જગ્યાએ નિકાલ થઈ શકે
બહારના વિકાષિત દેશોમાં એક નાનું કાગળ પણ ફેકવું હોય તો ડસ્ટબીન શોધવું પડે છે, જ્યારે અહી કાગળનો ડૂચો જાહેરમાં ફેકતા લોકો શરમાતા નથી ,
નાના મોટા સ્ટોરની બહાર કે મોલ કે રેસ્ટોરન્ટ ની બહાર બીડી સિગારેટ હોલવી તેના ઠુંઠા ફેકવા માટે ખાસ રેતી ભરેલા કેન બનાવી મુકાય છે, જ્યારે અહી દેશમાં લોકો પાન ની પિચકારી જાણે કોઈ મહાન કાર્યની ઉજવણી કરી રહ્યા હોય તેમ શાન થી જાહેરમાં થુંકે છે.આજકાલના યુવાનોમાં ઘીમું ઝેર ગણાતા પાન ગુટકા ના ખાલી રેપર અને તે ચવાતા હાનીકારક ગુટકાના થૂંક ની પીચકારીઓ ને ગમે ત્યા દીવાલોને ચીતરવાનું બંધ કરે તો ઘણું બદલાઈ શકે છે..
અમેરિકામાં જાહેર રસ્તા અને હાઈવે ઉપર કચરો કે કાગળ ફેકવા માટે 200$ થી લઇ 1200$નાં દંડની જોગવાઈ કાનૂની રીતે થઇ શકે છે
સીંગાપુરમાં જાહેરમાં ચુઇન્ગ્મ ફેકવા ઉપર દંડ થાય છે
સીંગાપુરમાં જાહેરમાં ચુઇન્ગ્મ ફેકવા ઉપર દંડ થાય છે
અમેરિકામાં વધુ સ્વચ્છતા હોવાનું એક મહત્વનું કારણ છે અહીની કચરાનો નિકાલ કરવાની વ્યવસ્થા
નાના ગામ કે મોટા શહેરોમાં દરેક જગ્યાએ કચરો ઉઘરાવવા મોટો ગાર્બેજ ટ્રક આવે છે અને દર સપ્તાહે ઘરેઘર આવતી આ ટ્રક બધો નકામો કચરો અને મોટાભાગનો સામાન લઇ જાય છે અહી દરેક ઘર દિઠ બે અલગ અલગ પ્લાસ્ટીકના મોટા કન્ટેનર આપવામાં આવે છે જ્યાં રીસાઈકલ થતી વસ્તુઓ ને અલગ કન્ટેનર માં ભરવામાં આવે છે અને નકામો કચરા માટે અલગ કન્ટેનર રાખવામાં આવે છે ,અને આજ પ્રમાણે બધો કચરો ટ્રકમાં ખડકાય છે જેને શહેરની બહાર અલગ નક્કી કરાએલી જગ્યા ઉપર લઇ જવાય છે જ્યાં તેનું ગોગ્ય નિરાકરણ થાઉં છે રીસાઈકલ થતી વસ્તુઓ ઉપર જરૂરી પ્રોસેસ કરી વેસ્ટ માંથી બેસ્ટ બનાવાનો ટ્રાય થાય છે અને નકામાં કચરાને કોહડાવી તેનું ખાતર બનાવાય છે આ બધીજ જવાબદારો ગવર્મેન્ટ ની હોય છે આ માટે કેટલીક વાર પ્રાઈવેટ કંપનીઓ પણ રોકાવાય છે
આપણા દેશમાં વસ્તી વધારો પણ ભારે છે અને સામે આવી કોઈ સખત વ્યવથા હજુ સુધી રોજીંદા વ્યવહારમાં આવી નથી .આના કારણે કચરાનો યોગ્ય નિકાલ થઈ શકતો નથી ,તદ ઉપરાંત કચરાને ઠાલવવાની જગ્યા પણ હવે ગામડાઓનું શહેરીકરણ થતા ઘટતી જાય છે. સાચા અર્થમાં જો સ્વચ્છતા અભિયાન આગળ વધારવું હોય તો આ બધી બાબતોનો ખ્યાલ રાખવો અત્યત જરૂરી બને છે
નાના ગામ કે મોટા શહેરોમાં દરેક જગ્યાએ કચરો ઉઘરાવવા મોટો ગાર્બેજ ટ્રક આવે છે અને દર સપ્તાહે ઘરેઘર આવતી આ ટ્રક બધો નકામો કચરો અને મોટાભાગનો સામાન લઇ જાય છે અહી દરેક ઘર દિઠ બે અલગ અલગ પ્લાસ્ટીકના મોટા કન્ટેનર આપવામાં આવે છે જ્યાં રીસાઈકલ થતી વસ્તુઓ ને અલગ કન્ટેનર માં ભરવામાં આવે છે અને નકામો કચરા માટે અલગ કન્ટેનર રાખવામાં આવે છે ,અને આજ પ્રમાણે બધો કચરો ટ્રકમાં ખડકાય છે જેને શહેરની બહાર અલગ નક્કી કરાએલી જગ્યા ઉપર લઇ જવાય છે જ્યાં તેનું ગોગ્ય નિરાકરણ થાઉં છે રીસાઈકલ થતી વસ્તુઓ ઉપર જરૂરી પ્રોસેસ કરી વેસ્ટ માંથી બેસ્ટ બનાવાનો ટ્રાય થાય છે અને નકામાં કચરાને કોહડાવી તેનું ખાતર બનાવાય છે આ બધીજ જવાબદારો ગવર્મેન્ટ ની હોય છે આ માટે કેટલીક વાર પ્રાઈવેટ કંપનીઓ પણ રોકાવાય છે
આપણા દેશમાં વસ્તી વધારો પણ ભારે છે અને સામે આવી કોઈ સખત વ્યવથા હજુ સુધી રોજીંદા વ્યવહારમાં આવી નથી .આના કારણે કચરાનો યોગ્ય નિકાલ થઈ શકતો નથી ,તદ ઉપરાંત કચરાને ઠાલવવાની જગ્યા પણ હવે ગામડાઓનું શહેરીકરણ થતા ઘટતી જાય છે. સાચા અર્થમાં જો સ્વચ્છતા અભિયાન આગળ વધારવું હોય તો આ બધી બાબતોનો ખ્યાલ રાખવો અત્યત જરૂરી બને છે
ભારત ખેતીપ્રધાન દેશ છે અહી મોટાભાગના લોકો નજીવી આવક ઉપર ગુજરાન ચલાવતા હોય છે અહી તેમને પરદેશ સુ વ્યવસ્થીત રીતે પેક થયેલા અનાજ કે શાકભાજી મળતા નથી ,અહી મોટાભાગે અનાજ અને શાકભાજીના બજાર ખુલ્લા ભરાય છે અહી શાકના ઢગલા થયા હોય તેમાંથી વીણીને શાક લેવાના હોય છે. જ્યાં કેટલોય બગાડ થતો હોય અને બગડેલા કોહવાએલા શાક નજીકમાંજ પડયા હોય છે ત્યાં માખી મચ્છર જેવી જીવાત ફરતી રહેછે આ બધું સ્વાસ્થ માટે હાનીકારક ગણાય છે ,તેમાય ઓછી મહેનતે વધુ પૈસા કમાવવાની લાલચ વાળા વેપારીઓ અનાજ અને શાક અને ફળોને આર્ટીફીસીયલ ચમક અને રંગ આપવાના મોહમાં શરીર માટે ઝેર સમાન કેમિકલ્સ વાપરી જાહેર જનતાના જીવન સાથે ખુલ્લેઆમ રમત રમે છે ,આજની પ્રગતિશીલ સરકારે આ સામે પણ કડક પગલા તાકીદે લેવા જરૂરી બને છે ,અને તોજ સ્વાસ્થ અને દેશ માટેનું આ સ્વચ્છતા ખરા અર્થમાં સાર્થક થયું જણાશે.
અમેરિકામાં 2006માં મેક્સિકન ફૂડમાં બહુ વપરાતી ગ્રીન ઓનિયન(લીલી ડુંગળી ) ને કારણે ઇ કોલા નામનું ઇન્ફેકશન ફેલાયું હતું જેના કારણે મેક્સિકન ફાસ્ટ ફૂડની જાણીતી ફાસ્ટ ફૂડ ચેનલ તાકો બેલના 5800 રેસ્ટોરન્ટમાં આ બહુ વપરાતી ગ્રીન ઓનિયન બંધ કરાઈ હતી. અમેરિકામાં અહી વસતા દેશી વિદેશી દરેકના સ્વાસ્થ સાથે જરા પણ ચેડા થતા નથી.. પહેલું સુખ તે જાતે નર્યા ” આ કહેવત અહી પુરવાર થાય છે.આ શિસ્ત અને આટલું કડક અનુશાસન જો ભારતમાં પણ અમલમાં મુકવામાં આવે તો આપણો દેશ છે તેના કરતા પણ વધુ સુંદર અને નીરોગી બની રહે.
દરેક નાગરીકે પોતાના ગંદવાડનું નિરાકરણ જાતેજ કરવું જોઈએ. જો દરેક પોતાની આસપાસની જગ્યાને ચોખ્ખી રાખવાનો સંકલ્પ લેશે તોજ આ ગંદકીનો મહાસાગર ઓછો થઇ સકે તેમ છે ,અને આમ કરવાથી આ અભિયાનનો હેતુ ખરા અર્થમાં સાર્થક બનશે .
બાકી આગળ જણાવ્યું તેમ “બસ ચાર દિન કી ચાંદની ફિર અંધેરી રાત” જેવું થશે તે નક્કી છે .રેખા વિનોદ પટેલ (ડેલાવર ,યુએસએ )
દરેક નાગરીકે પોતાના ગંદવાડનું નિરાકરણ જાતેજ કરવું જોઈએ. જો દરેક પોતાની આસપાસની જગ્યાને ચોખ્ખી રાખવાનો સંકલ્પ લેશે તોજ આ ગંદકીનો મહાસાગર ઓછો થઇ સકે તેમ છે ,અને આમ કરવાથી આ અભિયાનનો હેતુ ખરા અર્થમાં સાર્થક બનશે .
બાકી આગળ જણાવ્યું તેમ “બસ ચાર દિન કી ચાંદની ફિર અંધેરી રાત” જેવું થશે તે નક્કી છે .રેખા વિનોદ પટેલ (ડેલાવર ,યુએસએ )