RSS

Monthly Archives: November 2014

ટુંકી વાર્તા : સાચો સંતોષ .

અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપર ન્યુયોર્ક થી આવેલી ફ્લાઈટ લેન્ડ થતા પરદેશ થી દેશ આવતા મુસાફરોમાં રિયા શાહ પણ શામેલ હતી.
વેલકમ ફોઈ કહેતા બે યંગ ડેસિંગ યુવાનો મુખ્ય પ્રવેશદ્વારમાં સામે દોડી આવ્યા ,રિયાના હાથમાંથી હેન્ડબેગ લઇ વહાલથી ભેટી પડ્યા.
ઘરે આવતા મમ્મી પપ્પા ભાઈ ભાભી બધા તેને આવકારવા છેક બહાર આવી ગયા.
“દીકરી મારી બાર વર્ષે આવી છે ‘ કહેતા મમ્મી પપ્પા લગભગ રડી પડ્યા “.
પાતળાં સફેદ ચહેરા ઉપર એક સ્મિત ઉપસી આવ્યું ” મમ્મી હવે આવી છું તો બસ ખુશ થા અને રડવાનું બંધ રાખ” રિયા બોલી.
બીજા દિવસે સવારમાં રિયા નાહીને તેના સફેદ એનિમિક ચહેરા ઉપર ક્લીનીકનું ફાઉન્ડેશન લગાડી થોડી લાલાશ ભરી ,હોઠ ઉપર લાઈટ પીંક લીપસ્ટીક અને વાયોલેટ કલરના ડ્રેસ ઉપર ઉચી જાતના પ્રફ્યુમનો સ્પ્રે કરી નજીક વહેતી પાલી નદીના કિનારે આવેલા મહાદેવના મંદિરે દર્શન કરવા ગઈ.
દર્શન કરી બહાર નીકળતી હતી ત્યાજ શિવ ભટકાઈ પડયો
“રિયા તું? ક્યારે આવી ?રોકાવાની છુ ને ?”
“કાલે રાત્રેજ આવી ,પંદર દિવસ રોકાવાની છું , આવ તારી પાસે સમય હોય તો થોડી વાર આપણી જૂની જગ્યા આ નદીના કિનારા પાસે બેસીએ ” રીયાએ ચહેરા ઉપર સ્મિત ભરતા કહ્યું.
હા ચોક્કસ કહેતા શિવે ગભરાહટ થી આમતેમ જોયું અને રિયાથી થોડું અંતર રાખી મંદિરના પાછળના ભાગમાં આવેલા બાંકડા ઉપર બેઠક લગાવી.
શિવના ચહેરા ઉપર પડતી કરચલીઓ તેને ઉંમર કરતા દશ વર્ષ મોટો બતાવતી હતી ,પરંતુ સાચી જૂની લાગણીઓ દેખાવને હંમેશા અવગણતી હોય છે.
એકબીજાની આંખો માંથી અતૃપ્ત નીતરતો નેહ બંનેને પીગળાવે તે પહેલા ” ચાલ હું હવે જાઉં ફરી મળીશું “કહેતા રિયા ઉભી, જતા જતા બોલી,
“શિવ તું ખુશ છે ને તારી લાઈફ માં ?”
“હા રિયા બહુ ખુશ છું ,અને તું ? “બોલતા તેની આંખોમાં મનગમતું સાંભળવાની ઝંખના હતી.
આ ઝંખનાને પરિપૂર્ણ કરવા રીયા પીંક હોઠ ઉપર પ્લાસ્ટીકીયું સ્મિત રેલાવી બોલી ” ઓફ કોર્સ યસ ,શિવ આઈ એમ વેરી હેપ્પી ઇન માય લાઈફ ”
“તું ખુશ તો બસ હું પણ ખુશ છું ,આજે તે મને સાચો સંતોષ આપ્યો છે ,બસ તું હમેશા ખુશ રહેજે ‘ શિવે આંખોમાં પરાણે આવતી ભીનાશને રોકતા કહ્યું અને ત્વરાથી આગળ ચાલી ગયો.
ઘરે આવતા જ ભાભી બોલ્યા “આવી ગયા રીયાબેન બહુ વાર લાગી મંદિરમાં ”
હા ભાભી શિવ મળી ગયો તો બે વાત કરવા રોકાઈ ગઈ ,ભાભી શિવ પહેલા આપના ગામમાં સહુથી હેન્ડસમ યુવાન હતો અને આજે કેવો લાગે છે ! તે ખુશ તો છે એની લાઈફ માં ?”
ક્યા રીયાબેન તેની વાઈફ બહુજ ખરાબ સ્વભાવની સ્ત્રી છે ઝગડો કર્યા વિના કદી તેની સવાર થતી નથી અને રાત પડતી નથી, શિવભાઈની જીંદગી ખરાબ કરી નાખી છે .” ભાભી બોલતા બોલી ગયા પણ પછી ખ્યાલ આવ્યો રીયાબેન અને શિવ વચ્ચે પ્રણયના અંકુર ફૂટેલા હતા પરતું પપ્પાની બીકના કારણે રીયાબેન લગ્ન કરી પરદેશ ચાલી ગયા હતા.
શિવ સામે હૈયાનો ભાર હળવો કરવા આવેલી રિયા શિવને મળેલા સંતોષને અકબંધ રાખવા માગતી હતી આથી મનનો બધોજ ભાર દબાવેલો રાખીને સમય થતા પાછી અમેરિકા આવી ગઈ.હવે બે મહિના પછી થનારા ડિવોર્સ માટે એણે મનને મજબુત કરી લીધું હતું .
રેખા પટેલ (વિનોદિની)

 

સંતોષ છે કે આજ હું તારા ઇશારે ગાઉ છું

સંતોષ છે કે આજ હું તારા ઇશારે ગાઉ છું
તારા વરસતા પ્રેમનાં વરસાદમાં ભીંજાઉ છું

મે બંધ આંખોમાં જો સપનાં સાચ્વ્યા છે જનમોજનમ
કારણ વિના હુ સંગ તારો પામવાં હરખાઉ છું

આનંદ જે કૈં પથરાય છે મારા વદન પર કાયમી
તારા એ મીઠા બોલમાં ભોળી બની રીઝાઉ છું

મારી ખૂશીનું કોઇ તારણ શોધવાથી ક્યાં મળે?
બાહોમાં તારી કોઇ પણ કારણ વિનાં જકડાઉ છું

તે જાદુ પણ મારા ઉપર કેવો કર્યો છે સાજનાં
જોઈને તને નવવધું જેવી બની શરમાઉ છું.

મર્મર થતું કેવું મજાંનું સ્મિત શોભે હોઠ પર .
સુખનું સિહાસન જોઈને હું પણ સતત છલકાઉ છું
રેખા પટેલ (વિનોદિની)

 
1 Comment

Posted by on November 25, 2014 in ગઝલ

 

મારી નજરને ખેચતી કુદરત હવે આડું જુવે છે,

મારી નજરને ખેચતી કુદરત હવે આડું જુવે છે,
અળગી થતી મૌસમ મજાની જોઈને હૈયું રડે છે

વીતે વસંતોના દિવસ ને પાનખર આવી ચડે છે,
ઠંડા પવનની ઝાપટે પીળા પત્તા ધ્રૂજી પડે છે.

ચારે તરફ જ્યાં શોભતો’તો ફૂલનો વૈભવ મજાનો,
રંગીન ફૂલો વગર ડાળીઓ બધી એકલી ઝુરે છે .

મારી શરમની આ પ્રકૃતી પાનખર જોઇ ડરે છે
આભે ચમકતો સૂર્ય મો ઢાંકીને વ્હેલો જઇ ઢળે છે

ઢળતી હતી જે સાંજ મારો એક ટહુકો સાંભળીને
ચાદર બરફની જોઈ પંખી મનનું મારું ખળભળે છે.

મૌસમ અને માણસની વચમાં કેટલો છે ફર્ક જાણ્યું?
ઋતુ વરસની ચાર,તો આ માનવી પળમા ફરે છે
રેખા પટેલ(વિનોદીની)

 
Leave a comment

Posted by on November 19, 2014 in ગઝલ

 

મનનો ખાલીપો ..

સામાન્ય માનવી હોય કે સર્જક હોય દરેકના મનમાં એક અજબ ખાલિપો ભરેલો હોય છે.ખાલિપાનો મતલબ એટલે એકલતાં નહી. કોઇ પણ સ્થુળ અથવા સજીવ ઉણપનો અહેસાસ એટલે ખાલિપો.

આ ખાલીપો આપણને શુન્યતા સુધી પણ ખેચી જતો હોય છે આને આપણે કહીએ છીએ કે તેની જીવન પ્રેત્યેની ઘટતી જીજીવિષા.

અશાંત મનને કોઈ એક વસ્તુથી સંતોષ મળતો નથી અને ત્યારે આપણે તેને ભરવા નકામી ચીજો ભેગી કરવામાં પરોવાઈ જઈએ છીએ અને આપણે સ્વયંમથી મુખ ફેરવી લઇએ છીએ.

આજ ખાલીપો આપણને સત્ય અને સ્વયંમની ખોજ સુધી પણ લઇ જાય છે
જો આજ જીવનને સહેજ અલગ દૃષ્ટિકોણ થી જોવામાં આવે તો જીવન બદલાઈ જાય છે.

નવી વસ્તુઓના ગ્રહણ માટે જગ્યા હોવી જરૂરી છે.આપણા વિચારોમાં જો ખાલીપો વર્તાશે તો જ નવું કંઈક વિચારવાની શક્તિનો વધારો થશે.
આને દરેકને વ્યક્તિ પોતપોતાની સમજણ અને વૃત્તિઓ ના જોરે ભરવાનો પ્રયત્ન કરે છે ,આપવાની અને ભોગવવાની તાકાત પ્રમાણે આ ખાલીપો ભરાતો અને સર્જાતો જાય છે.

આને તૃષ્ણા અને લોલુપતાની કમજોરી ના બનાવતા તેને આશા અને નવીનતમ શક્તિઓ થી ભરવામાં આવે તો આપણે ઘણું કરવાને શક્તિમાન થઈ શકીએ છીએ.

“દુઃખ અને એકલતામાં શાહમૃગની માફક જમીનમાં મ્હો સંતાડીને જીવ્યા વિના,જે કંઇ બન્યુ છે એ બધું ભૂલીને પોતાના વિચારો અને કર્મોથી ઉન્નત શિરે જીવવું એજ પ્રગતિ છે.”એકલતામાં સ્વયંસ્ફૂર્તિનો ઘોધ વહેતો હોય છે આવા વખતે તેને પારખવો અને તેમાંથી ઉત્પન્ન થતી શક્તિઓનો યોગ્ય ઉપયોગ કરવામાં આવે તો આજ ખાલીપો ઉચ્ચ સિદ્ધિ પ્રાપ્ત કરાવે છે.આપણને મળેલી સુંદર કૃતિઓમાં જે તે સર્જકનો ખાલીપો મહત્વનો ભાગ ભજવે છે.
આ ખાલિપા તત્વનાં કારણે દુનિયાની મહાનતમ કૃતિઓ મળી છે.
મીરાની કૃષ્ણ પ્રત્યેની અસિમ પ્રેમ ભક્તિ,કાલીદાસની કૃતિ શંકુતલા,કવિ કલાપીના અંતરમાં મોંધીબા પ્રત્યે ઘરબાએલો પ્રેમ,ખલિલ જીબ્રાનની કૃતિ પ્રોફેટ હોય કે કવિ ગેટેનો ચાલાર્ટ પ્રત્યેનાં અસિમ પ્રેમનાં કારણે સર્જાયેલી કૃતિ “વર્ટેર” કે પછી ક.મા.મુનશીનાં લીલાવતીનો પ્રેમ ,રમેશ પારેખની સોનલ હોય કે આસિમ રાંદેરીની લીલા હોય.આ બધું એક ખાલીપાથી સર્જાએલું સાહિત્ય છે એ સ્વયંભૂ અને અંતઃ સ્ફુરિત છે.આ સાહિત્ય એકાએક નથી સર્જાતું એમાં એક પાત્રની કમી મહત્વનો ભાગ ભજવે છે, અહી જીંવંત અથવાં મૃત વ્યકિતની કમીથી સર્જાતો ખાલિપો લેખન સુધી દોરી જાય છે.

“એકલતામાં ઉદ્વેગને દુર રાખી તે સમયને મનગમતી પ્રવૃતી થી તેને ભરવામાં અલગ આનંદ છે.”

“નિજાનંદમાં મસ્ત બનો તો સ્વયં જેવો કોઈ સાથી નથી
સરિતા વહેતી જો અટકે તો સાગરમાં એમ ભળતી નથી. “
આપણા અંતરમનમાં જે તે ભાવનાઓ વિકસાવવી હોય તો તેની માટે જરૂરી સાધના અને પુરુષાર્થ જરૂર પડે છે અને વધારે જરુર્રી બને છે તે માટેનું વાતાવરણ.તમે દુઃખ કલેશ ભર્યા વાતાવરણમાં જીવની શાંતિ માટેની શોધ કરવામાં મુશ્કેલી અનુભવશો તેવી જ રીતે શાંત અને પ્રેમભર્યા માહોલમાં ત્રાસ અશાંતિને વહાલ નહિ કરી શકો .

તમારી આસપાસ ખાલી પડેલું વાતાવરણ હશે તો તેમાં તમે મનગમતું વિચારી તેને સર્જનાત્મક રીતે ઉપયોગમાં લઇ શકશો. હંમેશા વિચારોને ઉર્ઘ્વગતિ માન રાખો,વિચારોની અઘોગતી તમને ક્યારેય આગળ નહિ વધવા દે. આ માટે ખાલીપો સર્જાવાની જરૂર નથી પરતું જો જીવનના કોઈ એવા વળાંકે ખાલીપો મળી આવે તો તેને પ્રેમ થી અપનાવી તેનો સદુપયોગ કરી લેવો જોઈએ.. અસ્તુ

રેખા પટેલ (વિનોદિની) 11/17/14

 

ખોવાયું બચપણ કોઈ એને ગોતી લાવો ખોવાયુ સગપણ કોઈ એને ગોતી લાવો

મિત્રો આજે શૈશવ ની યાદો સાથે જોડાવાનુ મન થયુ છે…બચપણ એક એવો મધુર સબ્દ જાણે કે સાકરનો કોઈ ટુકડો જીભ પર મુકાઈ ગયો.તેની ખટ્ટી મીઠી યાદો જ્યારે પણ યાદ આવે છે ત્યારે એક મીઠી મુસ્કાન હોઠો પર ફેલાઈ જાય છે.હુ આજે પણ જ્યારે પણ એ યાદોની ગલીયો મા ઘુમવા જાઉ છુ તો તેની મીઠી યાદોની ખુસ્બુ થી ભાવુક બની જાઉ છુ.

જ્યારે પણ કોઈ જુની યાદ દસ્તક કરે છે તો,મન સીધુ શૈશવ ની ગલીયોમા પહોચી જાય છે,તેમાય ઊનાળા ની ગરમી અને બચપણ ને સીધો સબંધ છે.યાદો ની દીવાર ઉપર પહેલુ નિશાન ઉનળા નુ વેકેશન.કેરીની મીઠી મહેક અને કોયલની મધુર ગુંજ. લખોટી અને ર્ંગીન કાચ ના ટૂકડાથી ભરાયેલ ખિસ્સા,ના કહેવાયેલ કામ પહેલા કરવાનો અજબ તરવરાટ.બચપણ એટલે રંગીન શરબત અને ખીલ ખીલાટ હસતી જીંદગી ની સવાર,  ઝરણા નુ સંગીત…

ગામની ભાગોળે આવેલી નદીએ બપોરમાં બધા સુઈ જાય ત્યારે મિત્રો સાથે ઘુબકા લગાવવા , ખેતરો ખુંદવા  ,ક્યારેક સેવ- મમરાની મિજબાની … આહા ! હવે આ સ્વાદ ક્યાંથી લાવવો ?  સાંજ પડતા પહેલા ધાબા માં પાણી ભરી રાખવુ , રાત્રે તારાઓ સાથે ની અજબ ગોસ્ઠી, મા-પાપા ની કેટલીય ટોક પછી સપના ભરવા મીંચાતી આંખો..ક્યારેક દુરથી આવતો ઘૂવડ નો બીહામણૉ આવાજ ડરાવી દેતો અને પછી હંમેસ ની જેમ જય હનુમાન દાદા નુ સ્મરણ.

આજે પણ સ્મૃતિ પટ પર બધાજ દ્રશ્યો જાણે એક ફિલ્મની રિલ ની જેમ તાજા થતા જાય છે.આજના ટીવી પોગ્રામ જોતા યાદ આવી જાય છે તે જુના જાણીતા દુરદર્સન ના માલગુડિ-ડેઝ, રામાયણ ,રજની, હમપાંચ, દેખભાઈ દેખ.. શુ તમને આ બધું ક્યારેય યાદ આવ છે ?

ચાર પાચ મિત્રો ભેગા થાય તો ક્યારેય પગ ઝંપીને બેસવાનું નામ ના લેતા …સતોડીયું ,પક્કડ દાવ , લંગડી ,આઘળી ખિસકોલી  .. કેટકેટલી રમતો ક્યારેક લખોટી ,પાંચીકા ,સોગઢા,ભમરડાં …આજે પણ આ બધી રમતો મન ઉપર ભરડો લઇ લે છે.

બસ એક સવાલ હંમેસા સતાવે છે.. શુ આજની નવી પેઢીનાં આપણા બાળકો પાસે તેમની કાલ માટે આવી કોઈ યાદો જીવંત રહેસે ? ના તો તેમની પાસે દાદાજી ની વાર્તાઓ છે,ના તે આંબલી પીપળીની રમત ,ના સતોળીયુ ,ના રાત્રે ચમકતા અગાસી ના તારા.

બસ તેમની આજ અને કાલ કમ્યુટર અને વિડીયો ગેમ વચ્ચે પુરાઈ ગઈ છે.અને આજ કારણે તેમની જીંદગી મા નીરસતા આવતી જાય છે, તેઓ જલ્દી કંટાળી પણ જતા હોય છે. આપણા નવરાશ ના સમયમા મિત્રોનાં ઉષ્મા ભર્યા હાથ રહેતા સુખ દુઃખ માં તેમના સાથ રહેતા આજે અહી વિદેશ માં રહેતા આપણા બાળકોને મિત્રો નો સાથ ફેસ ટાઇમ કરી મેળવવો પડે છે , ત્યારે બહુ દુઃખ થાય છે એક ટીસ ઉઠે છે …

હુ આજે પણ ક્યારેક મારા બાળકો સાથે દાદીમા એ સીખવેલ સોગઠા કે “રમી ” રમી લઉ છુ. પણ આ બઘુ ક્યા સુધી..??

રેખા પટેલ (વિનોદિની )

 

कविता : पतजड़

कविता : पतजड़

पेड़ पर मैंने खालीपन लटक रहा देखा
जहाँ नीले वस्र पहने हँसी ख़ुशी रहते थे.
छोटे बच्चे कलियों और फूलो संग झुमते थे.

मौसमने करवट बदली …
एक एक करके ख्वाहिशें झर गई
ना कभी जख्म देखा ना लहू बहा
हर मौसम पे भारी ये मौसम रहा
सब कुछ टूट कर बिखर गया.

आज टहनियाँ भी वस्रविहीन थी
प्रकृति अपने आपमे शर्मसार थी
वक़्त उदास था सर्वत्र शून्यता थी
शायद इसे ही निर्वाणदिन कहते हैं

रेखा पटेल (विनोदिनी).

 

“સ્વચ્છતાને સંપતિ,વસ્તી અને સામાજીક નિષ્ઠા સાથે સીધો સંબંધ છે.”

Displaying IMG-20150131-WA0062.jpg
આજના પ્રગતિશીલ ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ગાંધીજીના અધૂરા સ્વપ્નને પૂરા કરવા માટે તેમની જન્મજયંતીને અલગ રીતે ઉજવવાનું નક્કી કર્યું અને તે માટે ૨૫મી સપ્ટેમ્બરથી ૨ ઓક્ટોબર સુધીના સમય ને સ્વચ્છતા સપ્તાહ તરીકે જાહેર કરી સ્વચ્છતા અભિયાન હાથે ધર્યું  ગાંધીજી સ્વચ્છતાના અતિ આગ્રહી હતા. તે માનતા મન શુદ્ધ રાખવા સહુ પ્રથમ તનની સ્વચ્છતા જરૂરી છે આ માટે દરેક વ્યક્તિએ પોતાનું કામ જાતે કરવું જોઈએ અને પોતાની આસપાસ સ્વચ્છતા રાખવી જોઈએ। તે માનતા હતા “પોતાના કામ કરવામાં કોઈ નાનમ નથી  “
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની સ્વચ્છતા અભિયાનની હાકલને દેશ ભરમાં ભલભલાના હાથમાં ઝાડું પકડાવી દીધા, નાના માણસોથી લઇ કોલેજ સ્ટુડન્ટ ,નાના મોટા અધિકારીઓ ,બિઝનેસમેનનાં હાથમાં સફાઈના સાધનો પકડાવી દીધા બધા ઉત્સાહ પૂર્વક આ સ્વચ્છતા અભિયાનમાં જોડાઈ ગયા.  જેમણે ઘરમાં કદી ઝાડુને હાથ પણ નાં અડાડ્યો હોય તેવા લોકો પણ હાથમાં પ્લાસ્ટીક ગ્લોઝ પહેરીને મ્હો ઉપર કપડું બાંધીને ઝાડું લઈ સફાઈમાં સહયોગી બન્યા હતા. દેશભરમાં સ્વચ્છતા અભિયાનમાં સામાજિક સંસ્થાઓ પણ જોડાઈ હતી, ઠેર-ઠેર સ્વચ્છતા કાર્યક્રમ યોજાતા હતા,આ માટે ઈન્ટરનેટનો અને ટેલીવિઝન તથા આધુનિક મીડિયાનો ભરપુર ઉપયોગ કરાયો હતો.માત્ર  પગારદાર માણસો રાખીને સ્વચ્છતા રાખી શકાતી નથી આ માટે દરેક વ્યક્તિએ પોતાનો સહકાર આપવો જરૂરી છે . આ સુધારો ગરીબ અને પૈસાદાર બંનેના પુરેપુરા સહકારથી જ થઇ શકે છે ”
માત્ર મહીનાભર માટે આ સ્વચ્છતા અભિયાન ચલાવવાથી દેશ ચોખ્ખો નથી થવાનો , આ અભિયાનની શરુઆત તો દરેક નાના મોટાએ પોતાના રોજીંદા જીવનમાં વણી લેવો પડે નાના બાળકોના જીવનમાં નાનપણથી જ સ્વચ્છતાનો પાઠ ભણાવવો જોઈએ તેમને સમજાવવું જોઈએ કે  “સ્વચ્છતા ત્યાં જ પ્રભુતા” છે અને આ આદર્શને જીવનમાં વણી લેતા શીખવાડવું જોઈએ.મોટા ભાગના રહેવાસીઓ પોતાના આંગણા ને  સાફ કરી કચરો ઘરની બાજુમાં ફેકી દેતા હોય છે, આમ પોતાનું આગણું ચોખ્ખું દેખાય પણ બીજાનું ખરાબ થાય છે આમ જો દરેક વ્યક્તિ કરશે તો  ક્યાય ચોખ્ખાઈ નજરે નહિ આવે
જાહેર માર્ગો ઉપર શૌચાલય અને મુતરડીઓ ને પોતાના ઘરનો એક ભાગ ગણવામાં આવે તોજ  ત્યાંથી આવતી માથું ફાડી નાખતી દુર્ગંધ માંથી છુટકારો મળી શકે તેમ છે
લગ્ન પ્રસંગોમાં કે ભોજન સમારંભ ના પ્રસંગો મા એઠવાડ ના ગંદકીના થર જામે છે જેમાંથી આવતી ગંધ આજુબાજુ રહેતા લોકોને અસહ્ય બની જતી હોય છે,અને ગંદકી થી બીમારીઓ ઉત્પન્ન થાય છે.
મંદિરો,આશ્રમો અને હોસ્પીટલ માથી ફેલાતી ગંદકી પણ કઈ ઓછી નથી હોતી  ,અને પવિત્ર ગંગામાં ઠલવાતી ગંદકી આનુ જ પરિણામ છે

સ્વચ્છતા અભિયાન  દરમિયાન તો લાગતું હતું કે  આખો દેશ ચોખ્ખો થઇ ચમકવા લાગશે પણ નવું “નવ દહાડા”  …
ઘોડાપુરની માફક આવેલો ચોખ્ખાઈનો ઉત્સાહ સમય જતા  વળતા પાણીની જેમ ઓસરવા ના લાગે તેનો ખ્યાલ રાખવો પડશે .આ અભીયાનને કાયમ માટે પોતાના રોજીંદા કાર્ય સાથે વણી  લેવો જોઈએ .

દરેક જણ પોતપોતાના ઘર, આંગણ ,મહોલ્લો અને પછી શહેરના સાર્વજનિક રસ્તા જગ્યા સ્વચ્છ રાખવવાનો વિચાર કરે અને તેમ કરવામાં ભાગીદાર બને તો આખો દેશ આપોઆપ સ્વચ્છ અને સુઘડ લાગશે.”સ્વચ્છતાને સંપતિ ,વસ્તી અને સામાજીક નિષ્ઠા સાથે સીધો સબંધ છે ”

ગરીબાઈ અને ગીચ વીસ્તારોમાં ગંદગી આપોઆપ ફેલાય છે. ગરીબ માણસોનાં કપડા ગંદા ઘોયા વિનાના પરસેવાની વાસ વાળા હોય છે તેમાય તેમના રહેઠાણ અસ્વચ્છ ગીચતાના કારણે હવાઉજાસ વિનાના હોવાથી ગંદકીનો સાથે રોગોનો ઝડપથી ફેલાવો કરે છે .
મધ્યમ વર્ગના લોકો ફેશનમાં ચવાતી ચુઇન્ગમ કે ચીપ્સ અને બિસ્કીટ કે કેન્ડીના ખાલી થયેલા રેપર, ઠંડા પીણાના ડબ્બા વગેરેને ગમેત્યા નાં ફેકતા તેને બરાબર કચરાપેટીમાં નાખવાનું રાખેતો જાહેર રસ્તાઓ સુઘડ રહેશે , કેટલાક લોકો ઘરે યોજાએલી નાની મોટી પાર્ટીમાં ભેગો થયેલો કચરો ગમે ત્યાં ફેકાવી દેતા હોય છે..
આ બધો કચરો ગમેત્યા ફેકાવાને બદલે કોઈ એક યોગ્ય જગ્યાએ એકઠો કરી યોગ્ય નિકાલ કરવા માટેની સગવડ સરકારે દરેક ગામ શહેરમાં કરવી આવશ્યક છે .
જેમ પૈસો અને સમૃદ્ધિ  વધારે તેમ સ્વચ્છતા વધારે ,આથીજ પૈસાવાળા દેશો જેમકે અમેરિકા ,ઓસ્ટ્રેલીયા ,સીંગાપુર ,સ્વીઝરલેન્ડ ,દુબાઈ ,જેવા દેશો ભારત પાકિસ્તાન કે આફ્રિકાના દેશો કરતા વધારે સ્વચ્છ અને સુવ્યવસ્થિત રચના વાળા હોય છે. જેમકે ભારતની અને ભારત બહારની તાજ ,ઓબેરોય કે હયાત જેવી હોટલો સામાન્ય ઘર્માંશાળા કે લોજ કરતા ચોખ્ખી હોય છે અને આવીજ રીતે મોધી હોસ્પિટલો પણ સામાન્ય સરકારી દવાખાના કરતા ચોક્કસ પણે સ્વચ્છ જોવા મળશે.
જેમ વસ્તી વધે છે તેમ ચોખ્ખાઈનું પ્રમાણ ઓછું થાય છે તે પણ હકીકત છે. ઓછી વસ્તીમાં જ્યારે વપરાશના સાધનો વધારે હોય તો ચોખ્ખાઈનું પ્રમાણ જળવાઈ રહે છે આથીજ અમેરિકા ઓસ્ટ્રેલીયા કે યુરોપ જેવા દેશો વધુ સ્વચ્છ છે જ્યારે ગીચ વસ્તી ધરાવતા દેશ કે પ્રદેશમાં ગંદકીનું પ્રમાણ વધુ માત્રામાં જોવા મળે છે, આપણા દેશમાં શરીરને ઉપયોગી એવા ફળોના રસ કાઢતી કોઈ ખુલ્લી દુકાન પાસે જઈને ઉભા રહો તો જણાશે કે આ શરીરના રોગો વધારે છે કે ઘટાડે છે , આજુ બાજુ  બણબણતી માખીઓ રોગોને ભગાડવા ને બદલે આવકારે છે. જ્યાં ગંદકી છે ત્યાં રોગોનું પ્રમાણ પણ મોટી માત્રામાં મળી આવે છે.  અને આનુજ પરિણામ છે કે આજે માથા ઉપર મંડરાતા ઇબોલા જેવા મહામારીના રોગ જન્મ લઇ રહ્યા છે
“પ્રદુષણ અને ગંદવાડ યમરાજ સુધી જવાનો એક માર્ગ બને છે ,કેટલાય ચેપી રોગોનું ઘર બને છે “સામાજીક નિષ્ઠાને પણ સ્વચ્છતા સાથે અતુટ સબંધ ગણવો જોઈએ  વિકસિત દેશોમાં લોકો પોતાના કચરાનો નિકાલ જાતે કરે છે નહી કે બીજાના ઘર પાસે ફેકી આવે છે , આથી ઘર અને બહાર ચોક્ખીનું પ્રમાણ એક સરખું જોવા મળે છે।  પોતાના ઘરમાં પાળેલા કૂતરાને સવાર સાંજ કુદરતી હાજત માટે જો લઇ જતા હોય તો મોટાભાગે દરેક જણ સાથે પ્લાસ્ટીકની કોથળી અને હાથમાં પહેરવાનું મોજું રાખતા હોય છે જેથી તેમનો ગંદવાડ નો યોગ્ય જગ્યાએ નિકાલ થઈ શકે
બહારના વિકાષિત દેશોમાં એક નાનું કાગળ પણ ફેકવું હોય તો ડસ્ટબીન શોધવું પડે છે, જ્યારે અહી કાગળનો ડૂચો જાહેરમાં ફેકતા લોકો શરમાતા નથી ,
નાના મોટા સ્ટોરની બહાર કે મોલ  કે રેસ્ટોરન્ટ ની બહાર બીડી સિગારેટ હોલવી તેના ઠુંઠા ફેકવા માટે ખાસ રેતી ભરેલા કેન બનાવી મુકાય છે, જ્યારે અહી દેશમાં લોકો પાન ની પિચકારી જાણે કોઈ મહાન કાર્યની ઉજવણી કરી રહ્યા હોય તેમ શાન થી જાહેરમાં થુંકે છે.આજકાલના યુવાનોમાં ઘીમું ઝેર ગણાતા પાન ગુટકા ના ખાલી રેપર અને તે ચવાતા હાનીકારક ગુટકાના થૂંક ની પીચકારીઓ ને ગમે ત્યા દીવાલોને ચીતરવાનું બંધ કરે તો ઘણું બદલાઈ શકે  છે..
અમેરિકામાં જાહેર રસ્તા અને હાઈવે ઉપર કચરો કે કાગળ ફેકવા માટે 200$ થી લઇ 1200$નાં દંડની જોગવાઈ કાનૂની રીતે થઇ શકે છે
સીંગાપુરમાં જાહેરમાં ચુઇન્ગ્મ ફેકવા ઉપર દંડ થાય છે
અમેરિકામાં વધુ સ્વચ્છતા હોવાનું એક મહત્વનું કારણ છે અહીની કચરાનો નિકાલ કરવાની વ્યવસ્થા
નાના ગામ કે મોટા શહેરોમાં દરેક જગ્યાએ કચરો ઉઘરાવવા મોટો ગાર્બેજ ટ્રક આવે છે અને દર સપ્તાહે ઘરેઘર આવતી આ ટ્રક બધો નકામો કચરો અને મોટાભાગનો સામાન લઇ જાય છે અહી દરેક ઘર દિઠ બે અલગ અલગ પ્લાસ્ટીકના મોટા કન્ટેનર આપવામાં આવે છે જ્યાં રીસાઈકલ થતી વસ્તુઓ ને અલગ કન્ટેનર માં ભરવામાં આવે છે અને નકામો કચરા માટે અલગ કન્ટેનર રાખવામાં આવે છે ,અને આજ પ્રમાણે બધો કચરો ટ્રકમાં ખડકાય છે જેને શહેરની બહાર અલગ નક્કી કરાએલી જગ્યા ઉપર લઇ જવાય છે જ્યાં તેનું ગોગ્ય નિરાકરણ થાઉં છે રીસાઈકલ થતી વસ્તુઓ ઉપર જરૂરી પ્રોસેસ કરી વેસ્ટ માંથી બેસ્ટ બનાવાનો ટ્રાય થાય છે અને નકામાં કચરાને કોહડાવી તેનું ખાતર બનાવાય છે આ બધીજ જવાબદારો ગવર્મેન્ટ ની હોય છે આ માટે કેટલીક વાર પ્રાઈવેટ કંપનીઓ પણ રોકાવાય છે
આપણા દેશમાં વસ્તી  વધારો પણ ભારે છે અને સામે આવી કોઈ સખત વ્યવથા હજુ સુધી રોજીંદા વ્યવહારમાં આવી નથી .આના કારણે કચરાનો યોગ્ય નિકાલ થઈ શકતો નથી ,તદ ઉપરાંત કચરાને ઠાલવવાની જગ્યા પણ હવે ગામડાઓનું શહેરીકરણ થતા ઘટતી જાય છે. સાચા અર્થમાં જો સ્વચ્છતા અભિયાન આગળ વધારવું હોય તો આ બધી બાબતોનો ખ્યાલ રાખવો અત્યત જરૂરી બને છે
ભારત ખેતીપ્રધાન દેશ છે અહી મોટાભાગના લોકો નજીવી આવક ઉપર ગુજરાન ચલાવતા હોય છે અહી તેમને પરદેશ સુ વ્યવસ્થીત રીતે પેક થયેલા અનાજ કે શાકભાજી મળતા નથી ,અહી મોટાભાગે અનાજ અને શાકભાજીના બજાર ખુલ્લા ભરાય છે અહી શાકના ઢગલા થયા હોય તેમાંથી વીણીને શાક લેવાના હોય છે. જ્યાં કેટલોય બગાડ થતો હોય અને બગડેલા કોહવાએલા શાક નજીકમાંજ પડયા હોય છે ત્યાં માખી મચ્છર જેવી જીવાત ફરતી રહેછે આ બધું સ્વાસ્થ માટે હાનીકારક ગણાય છે ,તેમાય ઓછી મહેનતે વધુ પૈસા કમાવવાની લાલચ વાળા વેપારીઓ અનાજ અને શાક અને ફળોને આર્ટીફીસીયલ ચમક અને રંગ આપવાના મોહમાં શરીર માટે ઝેર સમાન કેમિકલ્સ વાપરી જાહેર જનતાના જીવન સાથે ખુલ્લેઆમ રમત રમે છે ,આજની પ્રગતિશીલ સરકારે આ સામે પણ કડક પગલા તાકીદે લેવા જરૂરી બને છે ,અને તોજ સ્વાસ્થ અને દેશ માટેનું આ સ્વચ્છતા ખરા અર્થમાં સાર્થક થયું જણાશે.
અમેરિકામાં 2006માં મેક્સિકન ફૂડમાં બહુ વપરાતી ગ્રીન ઓનિયન(લીલી ડુંગળી ) ને કારણે ઇ કોલા નામનું ઇન્ફેકશન ફેલાયું હતું જેના કારણે  મેક્સિકન ફાસ્ટ ફૂડની જાણીતી ફાસ્ટ ફૂડ ચેનલ તાકો બેલના 5800 રેસ્ટોરન્ટમાં આ બહુ વપરાતી ગ્રીન ઓનિયન બંધ કરાઈ હતી.  અમેરિકામાં અહી વસતા દેશી વિદેશી દરેકના સ્વાસ્થ સાથે જરા પણ ચેડા થતા નથી.. પહેલું સુખ તે જાતે નર્યા ” આ કહેવત અહી પુરવાર થાય છે.આ શિસ્ત અને આટલું કડક અનુશાસન જો ભારતમાં પણ અમલમાં મુકવામાં આવે તો આપણો દેશ છે તેના કરતા પણ વધુ સુંદર અને નીરોગી બની રહે.
દરેક નાગરીકે પોતાના ગંદવાડનું નિરાકરણ  જાતેજ  કરવું જોઈએ.  જો દરેક પોતાની આસપાસની જગ્યાને ચોખ્ખી રાખવાનો સંકલ્પ લેશે તોજ આ ગંદકીનો મહાસાગર ઓછો થઇ સકે તેમ છે ,અને આમ કરવાથી આ અભિયાનનો હેતુ ખરા અર્થમાં સાર્થક બનશે .
બાકી આગળ જણાવ્યું તેમ “બસ ચાર દિન કી ચાંદની ફિર અંધેરી રાત” જેવું થશે તે નક્કી છે .રેખા વિનોદ પટેલ (ડેલાવર ,યુએસએ )

 

“તુમ જાન જાન કહેકે મેરી જાન લે ગયે “

“જાન આઈ લવ યુ ”
જાનું ,તારા સ્મરણ સાથે મારી સવાર થાય છે ,તારા સપના સંગાથ મારી રાત જાય છે.
તારા વીના મારું જીવવું બેકાર છે મારા શ્વાસ ઉછ્સ્વાસમાં તારો આકાર છે.
નાં હોય તું સંગાથ જીવન જીવન નથી તારા વિના સઘળા ઐશ્વર્યનો અર્થ નથી
નયનના આવા શબ્દોથી નવાજતી આરતી ખુશીમાં છબછબીયા કરતી હતી.
શાળાજીવન થી લઇ કોલેજ સુધી ની સફરમાં આરતી ફૂલ થી અદકી મહેકતી હતી
અચાનક નયને આરતીના હાથમાં પેડા ભરેલું એક બોક્સ લાવીને મુક્યું
તેનો રૂપાળો ચહેરો ખુશી થી ચમકતો હતો અને અવાજ ચહેકતો હતો
“લેન્ડ ઓફ ઓપર્ચુંનીટી ” અમેરિકા…. જાન મને વિઝા મળી ગયા.

આરતીનું હૈયું બેસી પડ્યું……
“પણ આમ અચાનક ?”તેની આંખો છલકાઈ ઉઠી અવાજ રુંધાઇ ગયો.
“જાન તને સરપ્રાઈઝ આપવી હતી ,તું ખુશ છે ને મારી પ્રગતિ થી ?”
“હા ખુશ છું પણ તારી દુરી હું કેમ કરીને શહન કરી શકીશ ?” આરતી રડી પડી
“થોડો સમય જવા દે જાનું  હું તને જલ્દી બોલાવી લઈશ” નયન આરતીને સમજાવતો બોલ્યો.
વિરહના વાદળમાં ઘેરાએલી આરતીને છોડી “બાય જાન ‘કહેતો નયન સ્વપ્ના સજાવવા નીકળી પડ્યો
શરુવાતમાં આવતા સમયસરના પત્ર અને ફોન ધીમેધીમે અનિયમિત બનતા ગયા.
“હું બીઝી છું” નું રટણ નયન કરતો રહ્યો અને આરતી પલપલ મરતી રહી.
“બેટા લગ્ન કરી લે ઉંમર થયા પછી ઠેકાણું નહિ પડે “માં બાપનું દબાણ વધતું ચાલ્યું ,
પણ આરતી નયનના વાયદાને હૈયામાં સજાવીને બેઠી હતી.
એક દિવસ ખબર આવી નયન અમેરિકામાં ઘર સંસાર સજાવીને ગોઠવાઈ ગયો છે
આરતીનું હૈયું નંદવાઈ ગયું એનો જીવન રસ ઉડી ગયો
જે સ્કુલમાં નયનો હાથ પકડી ઘુમતી હતી ત્યાજ આરતી નોકરીમાં ગોઠવાઈ ગઈ.
નાચતા ગાતા બાળકો વચ્ચે તે નયન અને આરતીને શોધતી રહી
બે દાયકા વીતી ગયા,આરતીની આંખે ચશ્માં ને વાળમાં સફેદી વાળમાં લહેરાવા લાગી
અચાનક એક ગાડી સ્કુલના પ્રાંગણમાં આવીને ઉભી રહી
જીન્સ પેન્ટમાં સજ્જ આધેડ પણ ચુસ્ત આદમી સાથે એક સુંદર સ્ત્રી નીચે ઉતરી આવી
“જાન…જાન આવ તને મારી બચપણની મીઠી યાદોમાં લઇ જાઉં” …….
આ દ્રસ્ય જોતા થાંભલાની આડશે આરતીની આંખોમાં આંસુનું ટીપું થીજી ગયું.
તેના ગળાની અંદર એક ગીત આવીને રુધાઈ ગયું
“તુમ જાન જાન કહેકે મેરી જાન લે ગયે “

રેખા પટેલ (વિનોદિની )

 
2 Comments

Posted by on November 7, 2014 in અછાંદસ

 

વિનોદે તો ભર્યું છે મુક્તતા નું આ ગગન

નજરમાં એમની એ શું હતું કે અંગ લાગી ગઈ?
ઘણું ના ના છતા કેફી અસરની સંગ લાગી ગઈ.
સમયને બાંધવા મસલત સતત કરવી પડી ભારે,
જુવો ઘડિયાળનાં કાંટે મજાની જંગ લાગી ગઇ
એ પડઘો આંખથી એની અમસ્તો જો પડ્યો તીખો,
ઉભી આ લાગણીમાં જીવતી સૂંરંગ લાગી ગઈ.

વસંતોમાં ફૂલો વેરે છે કેવો રંગ મનગમતો
પતંગીયાની પાંખોમાં અસર જીવંત લાગી ગઇ

તમારી આંખમાં ઝાંકીને શું જોઈને ડૂબી ગઇ
અરીસાને હું ભૂલી આંખ સાથ તરંગ લાગી ગઈ.

વિનોદે તો ભર્યું છે મુક્તતા નું આ ગગન આખું
ને રેખાના બધા સપનાને કેવી પંખ લાગી ગઈ
રેખા પટેલ(વિનોદીની)
લગાગાગા-લગાગાગા-લગાગાગા-લગાગાગા

 
Leave a comment

Posted by on November 7, 2014 in ગઝલ