RSS

Monthly Archives: September 2014

એક ટપકા લોહીમાં કેવા મેં અજબનાં રંગ દીઠા,

એક ટપકા લોહીમાં કેવા મેં અજબનાં રંગ દીઠા,
પ્રીત અમથી જ્યારે મળી,મીઠા મજાના સંગ દીઠા

દૂરતા વ્હાલી થાય પ્રેમ મહી,નયનમાં આંસુ આવે.
શેકાઈ વિરહી આગમાં હૈયા ના કાળા ઠંગ દીઠા

એક સુખનું સપનું જો છટકે ત્યા નિસાસા એકધારા
ડર ભરેલા એકાંત સાથે મૌન શબ્દો તંગ દીઠા

ક્રોઘમાં ખળભળતા રહેલા દેવ ને દાનવમાં શું ફર્ક? .
એક અવિચારી પગલુ ભરતા લાગણીમાં જંગ દીઠા

સાથ ગંગાજળનો તજીને જામ પીનારા બની ગ્યાં
ભળતા નશાથી આંખમાં ઘેલા બની ઉમંગ દીઠા

અંત સમયે સગપણ છુટે લોહીના સાથે લાગણીના
છોડ જો માયાજાળ તો વૈરાગના ગઠબંધ દીઠા
-રેખા પટેલ (વિનોદીની).

 
Leave a comment

Posted by on September 22, 2014 in ગઝલ

 

સાવ ખાલી આંખમાં સરનામું મળ્યું

સાવ ખાલી આંખમાં સરનામું મળ્યું
જીવવા માટે મજાનું બ્હાનું મળ્યું.

સ્નેહ ભીની આંખ ઝરણા જેવી બની
એક કારણ આંખને ઝરવાનું મળ્યું

કાયમીને મસ્ત રહેતી નજરો હતી
રાહ જોઇને પરત ફરવાનું મળ્યું

સપનાઓથી રાત મારી સજતી હતી
આભમાં તારાઓને ગણવાનું મળ્યું.

ખુદ લુટાવ્યું હૈયુ સામે ચાલી અમે
ધાડ પાડું એમને કહેવાનું મળ્યું

જિંદગીની સૌ રસમ પાળી છે અમે
રસ્મ રીવાજોથી પર ભળવાનું મળ્યું

સાવ ભૂલી ગઇ હતી શબ્દોનો સંગાથ
દર્દ હો કે શોખ હો,લખવાનું મળ્યું
-રેખા પટેલ(વિનોદીની)
ગાલગાગા-ગાલગાગા-ગાગાલગા

 
Leave a comment

Posted by on September 20, 2014 in ગઝલ

 

ભગવાનના છપ્પન જાતના પકવાન

દિવાળીનો પવિત્ર દિવસ ,સવારથી જ રાધાકૃષ્ણ ના મંદિરમાં ધામધૂમ થી સાંજના અન્નકૂટ ની તૈયારી શરુ થઈ ગઈ હતી .
આસોપાલવનાં તોરણો લટકતાં હતા , મંદિરને ફરતા આવેલા થાંભલાઓને ગલગોટા થી સજાવી દેવાયા હતા .આખું મંદિર એક નવું નવેલું શોભતું હતું ,મંદિરની ઘજા પણ લહેરાઈને મંગળ ગીતો ગાતી હોય તેવું લાગતું હતું …

બાજુમાં જ અડીને આવેલી એક નાનકડી ઝુપડપટ્ટીમાં બહાર બેઠેલી 5 વર્ષની મુન્ની એના કોરા ફગફગતા વાળ અને મોટી મોટી આંખોમાં દુનિયાભર નું આશ્ચર્ય ભરી આ સાજ સજાવટ જોઈ રહી હતી

મંગુ હાથમાં સવાર સવારમાં વીણીને કાગળ ભરેલો કોથરો લઇ ઝુંપડી પાસે આવી અને લાંબો હાથ કરી બોલી ‘અલી અહી સવારના પહોરમાં શું કરું છું ? ” લે હેંડ અંદર ”

મુન્ની એની માને પૂછે છે “બાજુમાં મંદિરમાં શું થાય છે ?”

માં જવાબ આપે છે “આજે દિવાળી છે સાંજે ભગવાન ને છપ્પન જાતના પકવાન મગસ ,મઠીયા ઘૂઘરા ખીર આવું બધું ભગવાન હારું લાવશે આરતી કરશે ભજનો ગાશે ..

તું હેડ અંદર તારે ને મારે આ બધું જાણી ને હું કામ છે ?”
“ના માં મારે આજે આ મગસ મઠીયા ઘૂઘરા બધું ખાવું છે હું આજે તારી જોડે સાંજે લગનવાડીની બહાર નહિ બેસું રોજ એકનું એક ખાવાનું હોય છે આજે મને આ તું કહું છું તે બધું ખાવું છે ”

છોડી ,જીદ ના કરીશ નહીતો ભૂખી રહીશ આખી રાત મંગુ બોલી ….
માં માં કહી રડવાનું ચાલુ કર્યું અને તેની માં માની ગઈ .

મંદિર બહાર બેસવાનું હોવાથી બંને ઠંડા પાણી થી નાહીને થીંગડા વાળા પણ ઘોયેલા ચોખ્ખા કપડાં પહેરી તૈયાર થયા

સાંજ પડી અને બધા હરીભક્તો સરસ મઝાનાં કપડાં પહેરી હાથમાં સરસ સરસ સુગંધી વાળા થાળ લઇ મંદિર માં જતા .

મુન્ની બોલી તે હે માં ! આ સરસ સુગંધી કઈ થી આવે છે ?
આ બધું ખાવાનું ભગવાન પાહે લઇ જાય છે ?
તે હે માં ભગવાન ખાય છે ?

“નાં બેટા તે કઈ ખાતા નથી આતો બધું આ લાયા છે તેજ વહેચી ને ખાઈ જવાના .
વધશે તો તને મને મળશે .” મંગું બોલી

પછી તો ઢોલ મંજીરા શરુ થયા આરતી પૂરી થઈ હવે વારો પ્રસાદનો આવ્યો .અંદર હવે જમવાનું શરુ થઇ ગયું હતું

આ બે જીવ રાહ જોઈ બેઠા હતા ક્યારે બધું પતે ને તેમના પેટ ભરાય

હવે તો બધા ધેર જવા માંડ્યા જેવી ભરીને થારીઓ લાયા હતા તેવીજ ભરેલી લઈને !!!

જતા જતા બે બેનો વાતો કરતા હતા “બેન આ તો ભગવાનનો પ્રસાદ કહેવાય ફેકી નાં દેવાય વધેલો ઘેર લઇ જવાનો ”

વળી કોક જતા જતા થોડો પ્રસાદ આ માં દીકરીના ધાતુના છાબડામાં મુકતા જતા !!!!
છેવટ આખુય મંદિર ખાલી થઈ ગયું પણ આ છાબડા અડઘા ખાલી રહ્યા

છેવટ ઘેર જતા જતા મુન્ની બોલી ” માં કાલથી લગનવાડી બહાર જઈશું તઈ આપણાં છાબડા ભરાય જાય છે ”
-રેખા પટેલ (વિનોદીની)

 

સબંધો નું વર્ગીકરણ

સાચા સબંધ માં સંગ પ્રસંગ બની ઉજવાય છે …
તેને આપણે સાચા સબંધો કહી શકીએ છીએ
કેટલાક સબંધો જેને આપણે લાગણીના સબંધો કહીએ છીએ ,
જ્યાં ક્યાય કશોજ સ્વાર્થ નથી હોતો જ્યાં કોઈ ફરિયાદ નથી હોતી .કોઈ ઊંચ નીચ કે મારું તારું નથી હોતું .

આ મુખોટો પહેરેલા જમાના માં આવા સબંધો જવલ્લેજ મળી આવે છે .
“જો કોઈને પણ આવા મોતી જડી જાય તો હૃદય નાં છીપલાં માં સાચવીને રાખજો ”

બાકી મોટા ભાગે અહી સબંધો ચહેરા ઉપર ચહેરા લગાવેલા મળે છે .પછી તે લોહીના હોય કે મિત્રતાના .

1 : કેટલાક લોકો એવા પણ હોય છે કે જે તમારી સાથે તમારા જ લાગે જરાક દુર જતા તે તદ્દન વિરુધ્ધ બની બેસે .
આવા લોકો સાથે સાવચેતી પૂર્વક વર્તવું …
કારણ તે કદી તમારી સાથે વફાદાર નહિ થઈ સકે

2 : કેટલાક એવા હોય છે જે અંગત રીતે તમારી સાથે બહુ પોતાના થઇ વર્તે અને જાહેરમાં જાણે જાણતા જ નાં હોય તેમ વર્તન કરે
આવા લોકો થી હંમેસા દુર રહેવું ….
માની લેવું કે તેઓ તમારી સાથે દેખાડો કરે છે અંગત રીતે તેમને આ સબંધો થી શરમ છે, જે અહી ઝહેર સમાન છે

3 : કેટલાક લોકો તમે જે છો તેવા અપનાવે અને તમારી સારી નરસી બન્નેવ બાજુ વિષે જાહેરમાં કહે તેમને હંમેશા માન થી જોવા …
જે તમને જાહેર માં ટોકી સકે છે તે તમારા માટે હંમેશા સારું વિચારે છે

4 : કેટલાક જે તમારા ગુણો ની જાહેર માં ચર્ચા કરે પણ તમારા અવગુણ ને એકાંત માં ગણાવે
તેમને હમેશા પ્રેમ થી જોવા ….
કારણ તે તમારા સ્વમાન ને પોતાનું ગણે છે , તમારું માન અપમાન પોતાનું ગણે છે તેમને હમેશા દિલ માં રાખો

આ મારું પોતાનું પર્સનલ માનવું છે બાકી પોત પોતાની રીતે દરેક ને વિચારવા નો અને વર્તવાનો હક સમાન છે

રેખા પટેલ (વિનોદીની)

 

એ શબ્દો સાથ ખંજર ક્યાં જરૂરી હોય છે અમથું હ્રદય વ્હેરાય છે

એ શબ્દો સાથ ખંજર ક્યાં જરૂરી હોય છે અમથું હ્રદય વ્હેરાય છે
ચુપીની વાપરો તલવાર ને માણસ હદયથી વેતરાતો જાય છે

ઉદાસીમાં તો બહુ ઊંંડે લગી ડૂબાય ખારા નીરનાં દરિયા મહી
સતત આંખે વરસતા પ્રેમરસની છાલકોમાં બસ હવે જીવાય છે

ઉડે આઝાદ માસુમ બાળપણ ઉંચે જવાની આવતાના જોશમાં
ને મનનાં પિંજરામાં કેદ પંખીથી કદી ક્યાં આભમાં ઊડાય છે?

મફતમાં ક્યા કશું મળતું નથી તો,જીતવાને પ્રેમની કુરબાની ધરો
અહી ચાદર પ્રમાણે સોળ તાણીયે,તો ઘર સપનાનું ક્યા બંધાય છે

ભલે ખિસ્સાઓ ખાલી હોય,પણ અંતરની દોલતની કદર જ્યાં થાય છે
જતી વેળાએ અશ્રુથી ભરી આંખો સિવા કોઇને ક્યાં દેવાય છે

ગુલામી જિંદગીભર માનવી થઇ માનવીની કરતા રહેવાની અહી
બને હરિનો તું ચાકર તો ડૂબેલી નાવ મધદરિયેથી ઉગારાય છે
રેખા પટેલ (વિનોદિની)

 
Leave a comment

Posted by on September 18, 2014 in ગઝલ

 

ઇક દિન બીક જાયેંગે માટી કે મોલ ,જગમે રહે જાએગે પ્યારે તેરે બોલ ….

પલ પલ..સમય તું ધીરેધીરે ચલ..સારી દુનિયા છોડ કે હમ તો આગે જાએ નીકલ.
આ ગીત સાંભંળું ત્યારે મને અચુક વિચાર આવે છે…શું સમયને રોકીને આપણે આગળ નીકળી જવા માટે સક્ષમ છીએ..હક્કીતમાં સાચો બાદશાહ તો સમય જ છે.અને આપણે એનાં ગુલામ છીએ..એટલે હમેશાં સમય સામે આપણે બાઅદબ ઝુકવું પડે છે.

સમય ક્યારેય અટકતો નથી અને બુઢ્ઢો થતો નથી . આપણે બુઠ્ઠા થઈએ છીએ માણસ બુઢ્ઢો થાય છે.જે જન્મે છે તે દરેક જીવ મૃત્યુ પણ પામે છે.કોની જીવન યાત્રા કેટલી લાંબી છે ટુંકી છે તે પણ જન્મ લેતા પહેલા જ નક્કી થયેલુ હોય છે.અને નિશ્ચિત સમયે તે પ્રમાણે એને દુનિયામાંથી વિદાય થવું પડે છે.

બહુ નાની હતી એ ઉમરમાં કોઈકે મારું ભવિષ્ય ભાખ્યું હતું કે તારી જીવન રેખા ટુંકી છે.ત્યારે એ વાતના અર્થને હું સમજી શકી નહોતી.પણ જેમજેમ સમય વીતતો ગયો ત્યારે મને લાગ્યું કે કશુક એવું કરવું જોઈએ કે જેથી હું અત્યારે હું હયાત છું અને જેટલો લોકો મને પ્રેમ આપે છે તેટલો જ પ્રેમ મને મરણ બાદ પણ એટલો જ પ્રેમ મળે.પેલી વાત કેટલી સાચી તેની તો મને ખબર નથી પણ એ એક જ વાતે મને આગળ વધવા પ્રોત્સાહન આપ્યું કે મારા લખાણ દ્વારા સમાજમાં,અને મારા વાણી અને વર્તન દ્વારા લોકોના દિલ ઉપર મારી મીઠી છાપ છોડતી જાઉં. બસ ત્યાર પછી આ બંને બાજુ ઓ તરફ મારા મતે મારી પ્રગતિ મારી ઇચ્છા પ્રમાણે રહી છે.

લેખન એક એવી કલા છે જેમાં તમે એવાં ઓતપ્રોત થઇ જાઓ છો કે સમયનું ભાન નથી રહેતું.આ કલા તમને બહું ઉંચા સ્થાને બેસાડે છે.પણ એનો મતલબ એ નથી કે મારી આજુબાજુનું બધું ભૂલીને લેખન પ્રવૃતિમાં ગળાડુબ રહુ.
લેખન પ્રવૃતિનાં કારણે મારા મુળ સ્થાન સાથે કદી છેડછાડ ન કરી શકુ. કારણકે સમાજમાં મારૂં માનસન્માન પામવાં માટે મારા ઘર પરિવાર કે મારા નજીક સ્નેહીઓ સાથે અન્યાય ના કરી શકુ.મારી પ્રાથમિક ફરજ એક પત્નીની,એક માતાની,અને એક સ્નેહાળ માનવીની છે…

મારું લખાણ તો તમે સર્વે વાંચો જ છો અને મારા છેલ્લા વરસોનાં લખાણ ઉપરથી અને મારા સ્વભાવના ફેરફાર મારી આજુબાજુ રહેલા જોઈ સમજી શકે છે
=> આ ફેરફાર બાબતે અહીં કોમેન્ટમાં લખી શકો છો 🙂

રૂક જાના નહિ તું કહી હાર કે.કાંટો પે ચલકે મીલેંગે સાયે બહાર કે.
સમયને પગ નથી છતાં એ સતત ચાલતો રહે છે વણથંભ્યે .સમયને અવાજ નથી છતાં પણ તે સતત કઈક પૂછતો રહે છે,કહેતો રહે છે,સમજાવતો રહે છે. સમયને સમજીને , સારો છે કે ખરાબ છે તે વિચાર્યા વિના કોઈ ઘ્યેયને આગળ રાખીને સમય સાથે તાલ મિલાવી ચાલનારા કદી સમયથી પાછા પડતા નથી.તેઓ જીવનમાં કઈક કર્યાનો સંતોષ મેળવીને જાય છે.

તમે જો સમયને પ્રેમ કરશો તો સમય તમને પ્રેમ અપાવશે …. એનો અર્થ એ છે કે સમયને સમજીને તેની ગતિમાં રહીને જો આપણે સારા કાર્ય કરીશું તો તેના ફળ સ્વરૂપે સમાજ તરફથી માન અને લોકોની લાગણીઓ નાં સ્નેહ છાંટણાનો અનુભવ જરૂર કરાવશે

ઇક દિન બીક જાયેંગે માટી કે મોલ ,જગમે રહે જાએગે પ્યારે તેરે બોલ ….

જ્યારે આપણને લાગે છે કે સમય ખૂબ ઓછો રહ્યો છે.ત્યારે દુઃખી કે બેચેન બની જઈયે છીએ.મોટા ભાગનો સમય આપણે આળસમાં કાઢી નાખીએ છીએ.આથી હમેશા મનુષ્યને છેવટ લાગી સમય ઓછો પડ્યાનો વસવસો રહી જાય છે.માટે મળતા બધા સમયનો યોગ્ય ઉપયોગ કરી લેવો જોઈએ.

જ્યારે તમે સાવ નિષ્ક્રિય બનીને બેઠા હશો તો ત્યારે સમય પસાર નથી થતો અને નિરસતાનો અનુભવ થાય છે અને જ્યારે તમે આગળ વધો છો કઈક નવી પ્રવૃત્તિ કરતા રહો છો ત્યારે તમારું મન પ્રફુલ્લિત રહે છે। .જો તમે ઊંડાણથી વિચારો તો “તમે પોતેજ સમય છો ”

સમય સાથે તાલમેલ સાઘવાનો સહેલો ઉપાય છે.જુનું બધું જલ્દી ભૂલી જાઓ.જુના દુઃખ શોકને મનમાં દબાવો નહી.પરતું તેને અતીતના સંભારણા રૂપે ગણી આગળ વધો. જો અતીતમાં દુઃખ મળ્યું હોત તો તેમાંથી શીખ લો અને જો ખુશી મળી હોય તો મીઠાસને તમારા મહી ઉતારો.પણ તમે યાદોના કુવામાં બેઠા છો એવું ક્યારેય ના વિચારો.દરેકે મુવ ઓનની સ્થિતિ અપનાવવી જોઈએ.

પણ મિત્રો મુવ ઓનનો મતલબ એ નથી કે તમે જે પગથીયા પરથી આગળ વધ્યા છો.એ પગથીયાને ભૂલી જાઓ.સમય એક વાત શીખવે છે.તમારા કપરા સમયમાં જે લોકો કામમાં આવ્યા છે તેને ભૂલશો નહી.
જે તમારો સાથે કપરી પરિસ્થિતિમાં છોડી ગયા છે,એને પણ ભૂલશો નહી કારણકે આ જીવનમાં આગળ વધવાં માટે અને ક્યાં રોકાવું એ ચોક્કસપણે શીખવે છે.

જબ ચીડિયા ચુગ ગઈ ખેત અબ પછતાવે ક્યા હોવત હૈ………..

જે કામ આજે કરવાનું છે તેને બને ત્યાં સુધી કાલ ઉપર ટાળવાની ભૂલ નાં કરાવી જોઈએ. કારણકે આવતી કાલ કોઈએ જોઈ નથી.અતીતના ગર્ભમાં શું ઘરબાએલું છે.તેની કોઈને ક્યા ખબર હોય છે.?ઘણી વાર આપણે જોતા હોઈએ છીએ કે માણસ જ્યારે જિવિત હોય આપણી આજુબાજુ હોય, આ વ્યકિતીની હાજરી હોય ત્યારે તેને કેમ છો પણ કહેતા નથી.તેનાં સુખ દુઃખની પરવા સુધ્ધાં કરવાનું ચુકી જઇએ છીએ.એ જ માણસ જ્યારે મૃત્યુ પામે કે જીવનમાંથી એ વ્યકિત દૂર થઇ ગઇ.પછી આપણે તેના માટે વખાણોની ઝડી વરસાવી છીએ.તેના માટે અપાર સહાનુભુતી બતાવીએ છીએ.. પણ એ બધું એનાં મરણ પછી કે જે તે વ્યકિતનાં સાથ છુટયાં પછી શું કામનું? જ્યારે સમય હતો ત્યારે આપણે આપણી ફરજ ચુકી ગયા અને હવે તે આત્માને કે એ સ્નેહીને તમારા સ્નેહની કે પ્રેમની કોઈ કીમત રહેતી નથી જે આપણે પ્રદર્શિત કરીએ છીએ.

રોજ સવારે જાગૃત થાઓ ત્યારે વિચારો કે એક નૂતન દિવસ ની શરૂવાત થઇ છે તેને નવેસરથી શણગારો.રોજ સાજે પડે આખા દિવસના કર્મોનું સરવૈયું કાઢો,એટલે તમે તરત સમજી સકશો કે આજે સમયનો સદુપયોગ થયો કે દુરુપયોગ.?

દરેક વ્યક્તિ જીવ જંતુ પુષ્પ વૃક્ષ એટલેકે જળ ચેતન બધુજ સમય સાથે થોડું થોડું બદલતું રહે છે.સમયની સાથે માણસ બદલાતો જાય છે.. તેના શરીરનો દેખાવ,તેના વિચારો,તેનો સ્વભાવ,તેની લાગણી,રહેણીકરણી અને છેવટ લગાવ સુધ્ધા બદલાય છે.

ઉંમરનો થાક અને જીવન આખાના નીચોડ રૂપે સમય જતા માણસના વિચારોમાં પણ પરિવર્તન આવતાં રહે છે.સમયની સાથે સુખની પરિભાષાઓ પણ બદલતી રાખવી પડે છે. કારણ કે જુના સમયમાં જે વસ્તુંઓ જરૂરીયાત હતી તેના બદલે તમારી સ્થિતિ અને સ્થાન પ્રમાણે તે વસ્તું અને જરૂરયાત બદલાય છે.આ જ સમયની પરિભાષા છે.સમય પ્રમાણે ચાલો. સમય આપણને સંબધોથી લઇને વ્યકિત કે આપણા કામ સાથે બાંધછોડ કરતા પણ શીખવી જાય છે.

સમય બહુ ઓછો છે.કારણકે કામ કરવા માટે ઘણું છે.બસ આજ વિચારી કરતા રહો તો પ્રગતિ નિશ્ચિત છે.

રેખા વીનોદ પટેલ (વિનોદિની)

 

એક માસુમ બાળાને હું મારા મહી ક્યાંક શોધું છું.

એક માસુમ બાળાને હું મારા મહી ક્યાંક શોધું છું.
છેક ભીતર મુજમાં દટાઈ ગઇ છે હું એને ખોળું છું

આંખમાં જો અચરજ વહે મુખ જાળવે ભોળપણ કેવું
આજ પાવડરને ,ગાલમાં લાલી લગાવી મહાલું છું.

કોઈ કાવાદાવા પ્રપંચોં એ અબુઘ જાણતી ન્હોતી
કાયમી એની માસુમિયતને દુવામાં હુ તોલુ છું

વ્હાલ ને સાથે લાગણીની મ્હેક એનામા છલકતી
બહુજ મોઘાં ભાવે મહામૂલા હું હીરાને માગું છું.

નાજુક પરી સ્વપ્નો ભરી આખા જગને માપવા ફરતી
મુગ્ધતાની એ બોલબાલા ને ફરીથી ઢંઢોળું છું.
It’s me 2 years old
-રેખા વિનોદ પટેલ

 
Leave a comment

Posted by on September 18, 2014 in ગઝલ

 

વાર્તા-“સંગીત એ રામબાણ ઔષધી”..ફિલિંગ્ઝ મેગેઝિનનાં સપ્ટેમ્બર ૨૦૧૪નાં અંકમાં પ્રકાશિત

photo

Displaying 10706489_841040795930686_1179575718_n.jpg

મુળ સૌરાષ્ટ્રના પણ રાષ્ટ્રીય ફલક પર ખૂબ પ્રખ્યાત થયેલા અને રાષ્ટ્રીય એવોર્ડ વિજેતા સંગીત સમ્રાટ તથા ગાયક  વિક્રમસિંહ પરમાર એમની સિત્તેર વર્ષની ઉમરમાં પણ મોહક વ્યકિત્વ ધરાવતા હતા.વિક્રમસિંહ એના યુવાનીથી વાનપ્રસ્થ અવસ્થાના પહેલાના સમયમાં એક પ્રખ્યાત સંગીતકાર હોવાને એનાં ચાહકો જ્યાં જ્યાં એમનાં કાર્યક્રમ યોજાતા ત્યા એમને ધેરી વળતા હતા..વાંકડિયા એવા લાબા વાળ,પાણીદાર આંખો,ચહેરા પર જીણી દાઢી કાયમ રાખતા હતા.જ્યારે વિક્રમસિંહ વાંકડિયા વાળ  હવામાં લહેરાવતા લાંબા રાગ આલાપતા ત્યારે યુવાન વયની સ્ત્રીઓ તો ઠીક પણ વયસ્ક સ્ત્રીઓ પણ અંદરથી ડોલી ઉઠતી હતી.આરોહ અને અવરોહમાં નીકળતા એનાં મદીલા અવાજમાં એક જાદું હતો..એક સંમોહન હતુ.

ભારતભરના જુદા જુદા શહેરોમાં તેમના કાર્યક્રમ યોજાતા રહેતા હતા.બરાબર એવા જ એક કાર્યક્રમમાં જે અમદાવાદના નટરાજ હોલમાં યોજાયો હતો.મદહોશી ભર્યો સંગીત પ્રોગ્રામ ચાલતો હતો ત્યાં પ્રથમ હરોળની વચલી સીટમાં એક સુંદર યુવતી રાગના લય પ્રમાણે બરાબર ડોલતી હતી જાંણે મદારીનાં બિનની ધૂન ઉપર નાગણ ડોલતી હોય.બધુ જ ભાન ભૂલી એ યુવતી વિક્રમસિંહનાં સંગીતમાં મસ્ત હતી.આ વાત વિક્રમસિંહની શ્રોતાપારખું નજર બહાર નહોતી.

સંગીતની સાથે લયબધ્ધ ચાલતાં દેહ ડોલન સાથે ગાળામાં પહેરેલી હીરાનો હાર ચમકી ઉઠતો હતો.આ જોઈને એટલી ખાતરી તો જરૂર થતી હતી કે કોઈ ઘનવાન પિતાની પુત્રી હતી.બરાબર રાત્રે બાર વાગ્યે કાર્યક્રમ પૂરો થયો.ભૂરો રેશમનો પડદો ધીરે ધીરે ઘરતીને ચૂમવા લાગ્યો.જેવા વિક્રમસિંહ જવા માટે ઉભા થયા ત્યાજ કાર્યક્રમનાં આયોજક શાહ સાહેબ અંદર આવ્યા.સાથે સાથે પેલી યુવતી હતી

ચાંદના ટૂકડા જેવી રૂપાળી યુવાતી હતી.પણ કોણ જાણે આંખોમાં ગહેરી ઉદાસી દેખાતી હતી. ગોરી ચામડીમાં હોવા છતા ચમક નહોતી,પણ આંખોમાં કઈક અજબ આકર્ષણ હતું.એ આંખોની ગહેરાયમાં પહેલી નજરે જ વિક્રમસિંહ ખોવાઈ ગયા.

“વિક્રમજી…. આ કામયા શેઠ છે.સોહનલાલની શેઠની એકની એક સુપુત્રી છે.જે આપના સેકડો ચાહકોમાની એક સૌથી મોટી ચાહક છે.”શાહ સાહેબે ઓળખાણ આપતા કહ્યુ.

બંને એક બીજાને હલ્લો કર્યું અને થોડી વાતચીત પછી કામયાએ વિદાય લીધી.જતી વેળા તેની આંખોમાં કંઈક યાચના જેવું તરવરતું હતું.જે એક ઋજુ હ્રદયના સંગીતકારને હચમચાવી ગયું.
જેવી કામયા રવાના થઇ તુરત જ વિક્રમસિહએ શાહ સાહેબને પુછયુ,”આ યુવતી કઈ દુઃખી હોય તેવું નહોતું લાગતું?”

“હા તમારી વાત સાચી છે.કામાયાને કેન્શરનો મહારોગ છે.હાલમાં એની ટ્રીટમેન્ટ ચાલે છે, પરંતુ જોઈએ એવી અસર બતાવતી નથી.સોહનલાલ શેઠ મારા સારા મિત્ર છે.મને આ દીકરીની બહુ ચિંતા છે.” શાહ સાહેબ  દુઃખી વદને બોલ્યા

“આજે ચાલુ કાર્યક્રમ દરમિયાન મે જોયું કે કામયાને સંગીતમાં બહુ રૂચી છે.અને જો તમે હા કહો તો હું એક વખત તેમના પિતાજી સાથે આ બાબતે વાત કરવા માગું છું.”વિક્રમસિંહ બોલ્યા.

“જી વિક્રમજી…જરૂર હું આવતી કાલે સોહનલાલ શેઠ  સાથે મુલાકાત કરાવી આપું છું.”

બીજા દિવસે સોહનલાલ સાથે મુલાકાત દરમિયાન વાત કરી વિક્રમસિંહ જાણી શક્યા કે કામયાને સંગીતનો બહુ શોખ છે.સાથે સાથે તેના વિશે સારી એવી સમજ પણ છે.એના પરથી વિચારીને વિક્રમસિંહએ સોહનલાલ સાથે વાતચીત દરમિયાન તેમણે સંગીત થેરાપી વિશે સમજ આપી.

મ્યુઝિક થેરાપીમાં બહુ તાકાત હોય છે. ભલભલા હઠીલા રોગો સામે લડવામાં મદદ કરે છે. કેટલાય મહારોગો જેમ કે કેન્શર,ટેન્શન,ડિપ્રેશન જેવા માનસિક અને શારિરીક રોગોથી મુક્તિ મેળવવા મ્યુઝિક થેરાપી બહુ મોટો ભાગ ભજવે છે.

જેમકે રાગ ભૈરવી અસ્થમા,શરદી કે અનિદ્રા જેવા રોગ મટાડી શકે છે.રાગ મલ્હાર,રાગ  જયજયવંતી માનસિક તાણ દૂર કરી શકે છે. રાગ સારંગથી માથાનો દુ:ખાવો દૂર કરી શકાય છે. રાગ દરબારી હૃદયનાં રોગોમાં અને રાગ શિવરંજ યાદશક્તિ વધારવા મદદરૂપ બને છે ” વિક્રમસિંહ બહુ શાંતિ પૂર્વક શેઠ સોહનલાલને સંગીતના ફાયદા સમજાવી રહ્યા હતા

“પણ આ કઈ શરદી કે દુખાવો નથી કે સંગીતથી મટી જાય,કામયાને તો કેન્શર છે.તેનો ઈલાજ ચાલે છે.”સોહનલાલ દુઃખી અવાજે બોલ્યા

“હા એ હું જાણું છું.તમે તમારો ઈલાજ ચાલુ રાખો અને મને સંગીત થેરાપી કરવા દો.હું ઈચ્છું છું કામયાજીને બને તેટલા જલ્દી સજા થતા જોવાની ઈચ્છા છે.બસ તમે હા કહો તો.”  વિક્રમસિંહ બોલ્યા

“ભલે,તમારી ઈચ્છા હોય તો તમે પણ તમારી સંગીત થેરાપી અજમાવી જુવો ”

આમ સોહનલાલની હા થતા વિક્રમસિંહ સવાર સાંજ લગાતાર એક મહિના સુધી અલગ અલગ રાગ કામયા સામેં આલાપતા જતા હતા.ક્યારેક કામયા પણ એમાં સાથ પૂરાવતી હતી.અને જોત જોતામાં દવા સાથે જેમ દુવા અસર કરે તેમ તેની ઉપર સંગીતની અસર થવા લાગી.
ધીરે ધીરે આ મ્યુઝિક થેરાપીથી કામયાને સારું લાગતા વિક્રમસિંહ હૈયામાં ખુશી અને જુદાઈના દર્દને સાથે લઇ વતન પાછા ફર્યા.

વિક્રમસિંહનાં હૈયામાં કામયા પ્રત્યે ફૂટેલું ભીની લાગણીનું એક અંકુર થીજીને રહી ગયું.એ પછી કામયા વિક્રમસિંહ સાથે પત્રવ્યવહારથી જોડાયેલી રહી.કારણકે તેના તકલીફના દિવસોમાં સંગીત સમ્રાટે તેને બહુ મદદ કરી હતી અને ગુરુ બની સંગીતનું દુર્લભ જ્ઞાન પણ પીરસ્યું હતું.

મૌસમ બદલાતા ગયા અને વરસોના પડળ ચડતા ગયા કામયા જીવનમાં ઘણી આગળ વધી ગઈ હતી.પરંતુ વિક્રમસિંહની દુનિયા તો જાણે બસ રોકાઈ ગઈ હતી.કામયાના બહુ સમજાવટ  છતાય તે આગળ નાં વધી શક્યા.બસ સંગીતમાં આગળને આગળ વધતા ગયા અને એવોર્ડ જીતતા ગયા.

છેલ્લા કેટલાક વરસોથી વિક્રમસિંહના કોઈ પત્ર કે ખબર નહોતી મળી આથી ચિંતિત હતી.અને કામયાને કોઇ પણ સંજોગે વિક્રમસિંહની ભાળ મેળવવી હતી.આથી કામયા તેના ત્રીસ વર્ષના દામ્પત્ય જીવનનાં સાથી સુરેશ શેઠને સાથે લઇ રાજકોટ નજીકના વિક્રમસિંહના વતન ત્રાજપર ગામડામાં મોંધી વિલાયતી ગાડી લઇને પહોચી ગયા.

કામયા વા આવેલા ઘુંટણના દર્દને અવગણતી ઝડપભેર પગલા ભરતી વિક્રમસિંહનાં નાના પણ સુંદર બેઠા ઘાટનાં મકાનનાંપાછળના ભાગમાં આવેલા ઓરડામાં પહોચી ગઈ.પહોચીને સીધી કામયા ફરિયાદનાં સુરમાં કહેવા લાગી.”વિક્રમસિંહ…..,આ શું માંડ્યું છે?આટલા બીમાર છો અને મને જણાવ્યું પણ નથી..આવું તે કેમ ચાલે?તમારા માટે હું કોઈ પારકી છું?બોલતાં બોલતા કામયાનાં શ્વાસ સુધ્ધા હાંફવા લાગ્યા.

“બસ બસ કામયા જરા શ્વાસ લેવા રોકાય જાવ.આ જુઓ, સુરેશભાઈ પણ હસે છે,તમારી ઉપર.પહેલા શાંતિથી તમે બંને બેસો.”હફતા હાંફતા થોડા હસતા રહીને વિક્રમસિંહ બોલ્યા

નહી હું અહીંયા બેસવા નથી આવી કે ના કે તમારી ખબર પુછવા..હું પાણી તો જ પીશ.જો  તમે તમારી હઠ છોડી અમારી સાથે અમદાવાદ આવશો”

“જો વિક્રમસિંહ  તમે અમને મિત્ર માનતા હોય તો અમારી સાથે આવવુ જ પડશે ” સુરેશભાઈ પણ આગ્રહ કરતા બોલ્યા

“ભલે તબિયત સારી થાય ત્યા સુધી તમારે ત્યાં હું રહીશ..હવે તો તમે બંને ખૂશ!!!”      કામયા અને સુરેશભાઇનાં અતિ આગ્રહને વશ થઇને વિક્રમસિંહએ હસીને હા ભણી.

“અંકલ આટલેથી કઈ અટકવાનું નથી.જે મ્યુઝિક થેરાપીથી તમે મમ્મીની જિંદગી બચાવી હતી.એ જ સંગીત થેરાપી હું તમારી માટે અજમાવીશ.અને તમારે મને સહન કરવી જ  પડશે.ભલે હું તમારા જેવી મહાન સંગીતકાર નથી,પણ તમારી સાગિર્દ છું,તો ઘણું બધું હું પણ જાણું છું”કામયા અને સુરેશભાઇ સાથે આવેલી અત્યાર સુધી મુક બેઠેલી દીકરી શ્વેતાની વાત સાંભળી બધા હસી પડ્યા.

થોડા મહિનાઓ પછી કામિયાની હ્રદયપૂર્વક માવજત અને એની દીકરી શ્વેતાની મ્યુઝિક થેરાપીથી ચેતનવંતા બનેલા વિક્રમસિંહ એક સાંજે હારમોનિયમનાં સુર છેડતા હતા.કામયાં એના અવાજનો સાથ આપતી હતી.અને શ્વેતા એની થેરાપીથી સાજા થઇ ગયેલા વિક્રમસિંહને જોતી રહી….

રેખા વિનોદ પટેલ
ડેલાવર(યુ.એસ.એ)

 

અમેરિકાની આજકાલ “વેલ્ફેર પ્રોગ્રામ‏ ભાગ-1

Displaying IMG_20150214_133429.jpg
અમેરિકામાં બેરોજગાર લોકોને કે મર્યાદિત આવક  ધરાવતા પરિવારોને મળતી સહુલીયતમાં અહીનો વેલ્ફેર પ્રોગ્રામ મહત્વનો છે
ગમે તેવી નાણાકિય કટોકટી હોય કે મંદી હોય ત્યારે પણ અહીની સરકાર આ પ્રોગ્રામને જાળવી રાખવા મરણીયો પ્રયાસ કરે છે.એ વાત ખાસ ઘ્યાનમાં રાખવા જેવી છે,કારણકે એનાં પરથી જાણી શકીએ કે અમેરિકન સરકાર નાનામાં નાના નાગરીકનો ખ્યાલ રાખે છે.આ વેલ્ફેરમાં યોજના હેઠળ નાગરીકો જુદી જુદી પેટા યોજનાં આવે છે.જેમાં એક છે ફૂડ સ્ટેમ્પ.આ યોજનાં હેઠળ નાગરીકો ફૂડ કુપનો આપવામાં આવે છે.બીજી છે મેડીકેડ.જેમાં મફત દાકતરી સેવા ઉપલબ્ધ કરાય છે.ત્રીજી છે,હુડ હોમ સપ્લીમેન્ટરી; જેમાં ઘર વગરના પરિવારોને નજીવા ભાડા હેઠળ ઘર અપાય છે.પછી આવે છે.સોશિયલ સિક્યોરીટી આવક ;જે કમાણીના અને ટેક્સના આઘાર ઉપર પાછલી ઉમરમાં મળતી પેન્સન જેવી ટેકારૂપ રકમ છે.

અમેરિકામાં એક વ્યક્તિની વાર્ષિક આવક  અગિયાર હજારની ડોલરની હોય તો તે ગરીબીની રેખા હેઠળ આવતો નથી.છતાં પણ પરિવારમાં કમાનાર એક જ વ્યકિત હોય અને ખાનારા વધુ તો તેને આ બધા આર્થિક સહાયના વેલ્ફેર પ્રોગ્રામોનો લાભ મળી શકે છે.

અહીના સહુથી મોટા વેલ્ફેર પ્રોગ્રામમાં ફૂડ સ્ટેમ્પ,મેડીકેડ મહત્વના છે આ પ્રોગ્રામમાં જરૂરી હોય એ ફંડ જે તે રાજ્ય એનો પોતાનો ફાળો આપે છે.તેમાં અમેરિકાની ફેડરલ ગવર્મેન્ટ પણ સહાય આપે છે.

ફૂડ સ્ટેમ્પ પ્રોગ્રામ એટલે સપ્લિમેન્ટલ ન્યૂટ્રિશન આસિસ્ટન્સ પ્રોગ્રામ (SNAP),એ રાજયનાં   ફંડ ઉપર ચાલે છે.જ્યાં ઓછી આવક ધરાવતા પરિવારોને ખોરાકના ખર્ચની ચૂકવણી માટે દર મહીને મળતી ફૂડ કુપન હોયા છે જેના દ્વારા રોજબરોજની ખાઘ્ય ચીજવસ્તુઓ ખરીદી શકાય છે.ફૂડ સ્ટેમ્પ લાભો માટે કોઇ પણ અરજી કરી શકે છે.આ પ્રોગ્રામ મુખ્યત્વે મર્યાદિત આવક  ધરાવતા પરિવારોને આર્થિક મદદના હેતુ માટે ચાલતો હોય છે.મોટાભાગે આર્થિક કટોકટી અનુભવી રહેલા પરિવારો તેમજ ઓછી આવક ધરાવતા પરિવારોનો સમાવેશ થાય છે.

તદુપરાંત કોઈ પણ સિંગલ પેરેન્ટ્સ બાળક સાથે એકલું રહેતું હોય અને તેની કમાણીની આવક ઓછી હોય તો આવી સ્થિતિમાં તેને ફૂડ કુપન આસાનીથી મળી શકે છે.ગર્ભવતી  સ્ત્રી અને છુટાછેડા પામેલી માતા પણ આ પ્રોગ્રામનો લાભ લઇ  શકે છે.

અહી કામ કરવા અશક્ત હોય તેવા કામદારો કે સીઝનલ માઈગ્રેટ વર્કર પણ આ પ્રોગ્રામની લાભ મેળવી શકતા હોય છે.અમેરિકાનાં એક આકડા મુજબ 109,630,000 થી વધારે અમેરિકન વેલ્ફેર પ્રોગ્રામના લાભ ઉઠાવે છે જેમાં 467,000,000 ફૂડ સ્ટેમ્પ લેતા હોય છે જે સર્વે પ્રમાણે મોટો આકડો કહી શકાય જે આશરે માસિક 1000 ડોલર મળતો હોય છે.આ બધો ભાર ગવર્મેન્ટની  તીજોરીને  પડે છે છતાં પણ અહીની ગવર્મેન્ટ આ કામ કરવામાં ક્યારેય કચાશ રાખતી જોવા મળતી નથી.દરેક લાભાર્થીને નિશ્ચિત સમયે આ રકમ મળી જતી હોય છે આ અહીની સરકારનું એક જમા પાસું ગણી શકાય.

બાકી બીજા ઘણા દેશો છે જ્યાં મહિનો પૂરો થવા આવે છતાં  પણ આવી વેલ્ફેરની રકમ જરૂરિયાતના હાથમાં પહોચી શકતી નથી ,અને જો પહોચે તો તેનો કેટલોક હિસ્સો સરકારી કર્મચારીઓના ખીસ્સાનો ભાગ બની ચુક્યો હોય છે ,અમેરિકાની આ આખી યોજનાં  સમજવા જેવી છેઆ લાભ મેળવવા માટે  યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાનાં નાગરિક હોવું જોઈએ અને  પરિવારની આર્થિક સ્થિતિના પુરાવા માટેના જરૂરી દસ્તાવેજો આપવા પડે છે.પરિવારની માસિક આવક પરિવારમાં રહેતા લોકોની સંખ્યાને આધારિત આવક મર્યાદા કરતા વધુ ના હોય તો આ લાભ મળી શકે છે.

અહી આ પ્રકારની અરજી દાખલ થયા પછી લગભગ મહિનામાં આ લાભ મળી શકે છે અને જો પરિવારની જરૂરીયાત કરતા આવક ઘણી ઓછી જણાય તો આ લાભ વહેલા પણ મળી શકે છે.

આતો વાત થઇ સરકારની નાગરીકોને મદદરૂપ થતી યોજનાની.હવે હું આ ફૂડ કુપન લેનારા વિષે હું આજના લેખમાં થોડું જણાવવા માગું છું.જેમ દરેક સિક્કાની બે બાજુ હોય છે.એ જ રીતે  આવા યોજનાઓ સાચી રીતે લાભા લેનારા છે તો બીજી બાજુ આ યોજનાનો  ગેરલાભ ઉઠાવનારા પણ અહિયાં ઘણા લોકો મળી આવે છે

આ ફંડ એવા લોકો માટે હોય છે જે પોતાનું કે પોતાના પરિવારનું ભરણપોષણ કરવા અસમર્થ હોય છતાં પણ બનાવાએલા કાયદા મુજબ મોટી સંખ્યામાં એવા લોકો આ પ્રોગ્રામનો લાભ લેતા હોય છે જેને આની જરૂરીયાત હોતી નથી. અને આવી પરિસ્થિતિમાં એવા લોકો આ કુપનનો દુરુપયોગ કરતા હોય છે…..જેમકે આમાં મળેલી કુપનની નક્કી કરેલા ડૉલરથી  માત્ર ખાવાની વસ્તુ જ ખરીદી શકાય છે તો તેના બદલે કેટલાક લોકો પોતાના શોખ પોસવા કે દારુ કે સિગારેટ જેવા વ્યાસન માટે કે એનાથી વધારે નશાને પોષવા મળતી કુપનો ને ઓછી કીમતે વેચી તેના બદલે ડોલર ખરીદી લે છે.તો કેટલાક ઓળખીતાની દુકાનોમાં ખાધ્ય સામાન કુપનની નિર્ધારીત રકમથી ઓછો  ખરીદી અને બાકીનાં ડોલર લઇ રોકડા મેળવીને આ કુપનોનો દુરુપયોગ કરે છે..

અમેરિકામાં જેમ બાળકો વધુ હોય તેમ આ કુપન બધું મળે છે.તદુપરાત તેમના બીજા ખર્ચાઓ માટે ગવર્મેન્ટ અલગથી રોકડ રકમ પણ આપતી હોય છે.તથા નાના બાળકો માટે મિલ્કનાં ડબ્બા,સીરીયલ,એગ્સ,ચીઝ જેવી પોસ્ટીક ખાવાનું પણ અલગથી આપે છે.એમાનાં કેટલાક માં બાપ નાના ગ્રોસરી સ્ટોરમાં જઈ વેચીને બાળકોનાં ફૂડની વસ્તુઓનાં રોકડા કરી લે છે.આવી અંગત કમાણી થતી હોવાથી કેટલાક લોકો જાણીબુઝીને વસ્તી વધારો કરતા હોય છે..

એકલી રહેતી બાળકની માતા  હોય તો એ આઘારે સાવ સસ્તા દરે રહેવાનું મળી જતું હોય છે.તેને હુડ હોમ સપ્લીમેન્ટરીમાં ગણવામાં આવે છે.વૃદ્ધોને  પણ આ યોજનાં લાગુ પડે છે.    આ પ્રકારના ઘર  આપણે ત્યાં સામાન્ય પરિવાર રહેતા હોય તેના કરતા પણ કઈક વધારે સારા હોય છે.જ્યાં દરેક જાતની પ્રાથમિક  સુવિધાઓ હોય છે.અહીની ગવર્મેન્ટ પણ આ બધામાં ખાસ ચોક્કસાઈ રાખતી હોય છે .

આજ કારણે અહી આર્થિક રીતે પોષાય તેવા લોકો પણ જુઠાણા ચલાવી આવા ઘરમાં સસ્તા દરે રહેતા હોય છે.આ બધામાં આપણા  દેશી ભાઈ બહેનો પણ કઈ પાછા નથી પડતા.

અહી આપણા દેશી વૃઘ્ઘો જે હંમેશા કહેતા હોય છે કે અમેરિકમાં તો અમારું જીવન જેલ જેવું છે ,બહાર જઈયે તો કોઈ આપણા ના મળે ,કે કોઈ કેમ છો કહેનારા ના મળે ,ઠંડીમાં તો હાડકામાં દુખાવો થઈ જાય છે…. વગેરે વગેરે
પણ વિચારો કે આવું બોલનારા કેટલા વૃઘ્ઘો કે વડીલો અમેરિકા છોડી ભારત પાછા આવે છે ? ખાસ કોઈ નહિ કારણ છે અહી આવા અમેરિકન નાગરિત્વ ધરાવતા પાંસઠ વર્ષથી વધારે ઉંમર વાળા વડીલોને ગવર્મેન્ટ દર મહીને અમુક ફાળવેલ રકમ તેમના માસિક ખર્ચા પેઠે આપે છે અને આ મળતી રકમ માટે તેમને આ જ દેશમાં રહેવું પડતું હોય છે। . બસ આજ કારણ છે કે તેઓ આ દેશમાં રહે છે અને દર વર્ષે તેમાંથી પોતાની ટીકીટ વગેરે ખર્ચી બે મહિના દેશમાં ફરવા આવી જતા હોય છે
આ દેશ જ એવો છે કે વગર મજૂરીએ તમને દર મહીને આવી રકમ ઘરે બેઠા આપે છે પછી ભલેને તમારે તેની જરૂર હોય કે ના હોય। …. કેટલાક તો આવું ફંડ બટોરવા અમેરિકાની સોસ્યલ ઓફિસમાં જઈને ખોટી કમ્પ્લેન પણ કરતા હોય છે કે દીકરો અને વહુ કે દીકરી અને જમાઈ રાખતા નથી અને બદલામાં પેઈન્ગેસ્ટ તરીકે આપવા માટે ગવર્મેન્ટ પાસે થી મોટી રકમ મેળવી લેતા હોય છે
હું તો બસ આજ કહેવા માગું છું કે જે ઘરતી ઉપર રહો છો તેને પ્રેમથી અપનાવતા શીખો

સારી નોકરી કરતા હોય અને તેની એ જોબ કોઈ કારણોસર છૂટી જાય તો તેને તે વ્યક્તિને તેના પગારના ઘોરણે “અન એમ્પ્લોયમેન્ટ” એટલે કે બેરોજગાર  તરીકે ચોક્કસ રકમ દર મહીને બીજી નોકરી નાં મળે ત્યાં સુધી કે પછી અમુક સમય સુધી મળતી રહે છે. આ વખતે એવું જોવામાં નથી આવતું કે તેની પાસે બાકીની મિલકત કેટલા પ્રમાણમાં છે કે પરિવારના બીજા સભ્યોની આવક શું છે. જોકે આ સહુલીયતનો મોટા ભાગે ગેરઉપયોગ વધુ થાય છે કારણકે કેટલાક લોકો થોડો સમય કામ કરીને યેનકેન પ્રકારે નોકરી છોડી ઘરે બેઠા અનએપ્લોયમેન્ટ એટલે કે બેરોજગાર ભથ્થું વસુલ કરે છે.

કેટલાક લોકો તો આ પ્રમાણે ગવર્મેન્ટ પાસેથી બેરોજગાર ભથ્થું વસુલે છે અને બીજે રોકડ પગાર લઇ બીજી નોકરી કરતા હોય છે.જે પણ હોય આ ફંડ જરૂરીયાત વાળા માટે ફાળવાય છે તે તેવાજ લોકો સુધી પહોચવું જોઈએ.આ યોજનાઓ ગેરલાભ ઉઠાવનારાઓને બહાર પાડવા જોઇએ અને એ લોકોને સમાજનો એક ભાગ બનાવવાં જોઈએ.

હવે આવે છે “ચાઈલ્ડ વેરફેર” જેમાં બાળક ફેમેલી સાથે રહેતું હોય કે સિંગલ પેરેન્ટ્સ સાથે તેના ઉપર આઘાર રહેતો નથી…. અહી બાળકને કેવી સુવિધાઓ મળે છે તેના ઉપર આ પ્રોગ્રામ આધાર રાખે છે.જો બાળક પોતાનાઓ સાથે રહેતો હોવા છતાં એકલતા અનુભવતો હોય કે ફેમીલી સભ્યો તેની દરકાર નાં કરતાં  હોય એવી સ્થિતિમાં આ પ્રોગ્રામ હેઠળ બાળકને ફૂડ,મેડીકલ ટ્રીટમેન્ટ થી લઇ કાઉન્સ્લીગ એટલે કે બાળકના કુમળા મગજ ઉપર આવી પરીસ્થિતિની થયેલી વિપરીત અસર દુર કરવા માટે માનસિક સારવાર આપવામાં આવે છે. ક્યારેક પરિસ્થિતિ બહુ બગડે અને બાળક પોતાનાજ ઘરમાં તરછોડાએલુ  હોય તો તેની માટે ફોસ્ટર પેરેન્ટ્સ એટલે કે તાત્કાલિક રીતે દત્તક અપાય છે.અહી આવા બાળકો માટે ચાઈલ્ડ એડપ્સન પ્રોગ્રામ પણ ચાલતા હોય છે.

રેખા વિનોદ પટેલ
ડેલાવર (યુ એસ એ )
 

અકબંધ પ્રેમ…..

અકબંધ પ્રેમ…..
તે હળવેકથી મારી શુ હથેળી ચૂમી
હુ ક્ષણમાં સમાઈ આખું જીવન ઝુમી …વિનોદિની
“શરુ, આપણા પ્રેમને આજે આઠ વર્ષ પુરા થયા,તને યાદ છે આ દિવસ?”
“હા વીરુ હું કેમ કરી ભૂલી જાઉં આ દિવસ અને તારીખને ”
“વીરુ! શું આપણો પ્રેમ હંમેશા આવોને આવો અકબંધ રહેશે ?” શરુએ પ્રશ્ન કર્યો
“હા કેમ નહિ ચોક્કસ રહેશે ,પરિસ્થિતિ બદલાય છે પણ પ્રેમ નહિ,
જો પ્રિયે આ સામે નદીમાં જળ વધતા જાય તો સમજજે આપનો પ્રેમ વધે છે,
આ નાનકડા છોડને જો તું ઘટાઘોપ થતું જુવે તો સમજજે આપણો પ્રેમ મજબુત થાય છે.”
વીરુ એ શરુનાં હાથને પોતાના હાથમાં લઇને જવાબ આપ્યો .
છ મહિના પછી સંવાદ બદલાય છે સ્થળ એજ છે….
” વીરુ મારા માતા પિતાએ મારી સગાઇ નક્કી કરી નાખી છે ” રડતા અવાજે શરુ બોલી
” શરુ આ શું કહે છે તું? તારા વિના હું કેમ જીવી સકીશ?”
“મને માફ કરી દે, હું મારા માતા-પિતાની વિરુદ્ધમાં કશું કરી શકું તેમ નથી”
“તે તો હું સમજી શકું છું પણ મારું શું ?” વીરુ લગભગ રડી પડ્યો
” જો પ્રિયે તને યાદ છે તેજ એક વખત મને કહ્યું હતું કે પરિસ્થિતિ બદલાય છે પણ પ્રેમ નહિ,
મારા અંતરની દાબડીમાં આપણો પ્રેમ અકબંધ રહેશે હું વચન આપું છું ” રડતા અવાજે શરુ બોલી
વિદાયની વસમી વેળાએ આભ સાથે નદી ,ઝાડ,પાન સઘળા રડી પડ્યા ……
વર્ષો વીતી ગયા આજે પેલો નાનો છોડ ઘટાઘોપ વૃક્ષ બનીને બેઠો છે,
અને આવતા જતા વટેમાર્ગુ નો વિસામો બન્યો છે.
પેલી નદી દિવસ દિવસે તેના પટને પહોળો કરે છે,ને બેવ કાઠે છલકાય છે
એકાંત શોઘતા પ્રેમીઓનું મીલન સ્થાન બનીને મલકાય છે .
રેખા પટેલ (વિનોદિની)