આંસુની જો પરબ ભરું તો વચમાં તું મને દેખાય છે,
ગઝલની કરું જ્યાં અવતરણ સબ્દોમાં તુ ટંકાય છે
ઝાખું જ્યાં અરીસા મહી તું આવી ત્યાં મલકાય છે,
તુજ અલગારી લાગણીઓમાં મન ગુલાલે રંગાય છે .
સ્મરણ જરા આવે એનું વિનોદે ઉર્મીઓ લહેરાય છે
સ્પર્શ જો ભેગો ભળે તો તનમન વિનોદિની પંકાય છે.
તારી સંગાથે જીવતર જોને ઉત્સવ બની ઉજવાય છે,
વિરહ જો આવી ચડે લખેલ કાગળિયાં કોરા વંચાય છે.
આંખ મીચું અને સપનામાં તારો પગરવ જણાય છે,
એને રવાડે ચડીને દુઃખ બધા ખુશીઓ તળે ઢંકાય છે.
વેઢાર્યો વિરહનો ભાર બહુ,પણ ના હવે ઉચકાય છે,
હર્દયમાં પડેલા પગલાંમાં ના બીજા પગલાં સંતાય છે.
સ્મરણ જરા આવે એનું વિનોદે ઉર્મીઓ લહેરાય છે
સ્પર્શ જો ભેગો ભળે તો તનમન વિનોદિની પંકાય છે.
રેખા પટેલ (વિનોદિની)